________________
૩૦૮
ધન્ય ધરાઃ
લેખ શ્રી ઇન્દ્રવર્ધનગણિના શિષ્ય શ્રી ભાગ્યવર્ધનગણિએ લખ્યો છે. એમાં શત્રુંજય, ગિરનાર, તારંગા, અર્બુદાચલ, દેવકુલપાટક, મથુરા, હસ્તિનાપુર, કલિકુંડ, ફલવર્ધિ, કરહેટક, ઉસવીર, શંખેશ્વર જેવાં ૧૭૫ જેટલાં તીર્થો દર્શાવ્યાં છે. સૂરિઓની પટ્ટાવલી નીચે મુજબ છે.
સાગર ગચ્છના શ્રી રાજસાગરસૂરિ
શ્રી વૃદ્ધિસાગરસૂરિ
શ્રી લક્ષ્મીસાગરસૂરિ
શ્રી કલ્યાણસાગરસૂરિ
શ્રી પુણ્યસાગરસૂરિ
શ્રી ઉદયસાગરસૂરિ હઠીસિંહ દેરાસરના શિલાલેખ :
(ચિત્ર નં. ૧૦-૧૧) દિલ્હી દરવાજા બહાર હઠીસિંહની વાડીમાં ધર્મનાથનું ચેય હઠીસિંહે બંધાવવા માંડેલું, એ એમની હયાતી બાદ એમના પત્ની હરકુંવરે પૂરું કરી સં. ૧૯૦૩, શક ૧૭૬૮માં ૨૧ દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવી શ્રી શાંતિસાગરસૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. એનો એક સંસ્કૃત અને એક ગુજરાતી શિલાલેખ મંદિરમાં પ્રવેશતાં ડાબી અને જમણી તરફ અનુક્રમે કોતરેલા છે. સંસ્કૃત શિલાલેખની મિતિ સં. ૧૯૦૩, માથે વદિ ૧૧, ગુરુ (૧૧ ફેબ્રુ, ઈ.સ. ૧૮૪૭) છે.
સંસ્કૃત લેખની ભાષા સંસ્કૃત અને લિપિ દેવનાગરી છે. એમાં વર્ણવ્યા અનુસાર વિ.સં. ૧૯૦૩, માધ સુ. ૬ (૨૨ જાન્યુ., ઈ.સ. ૧૮૪૭)ના દિવસે જલયાત્રા, માઘ સુદિ ૭ના દિવસે નંદ્યાવર્ત પૂજા, આઠમ અને નવમીએ ગ્રહપૂજા, દસમે દિક્યાલ, ક્ષેત્રપાલ વગેરેની પૂજા, અગિયારશે ૨૦ સ્થાનોની પૂજા, બારશે સિદ્ધચક્રપૂજન, તેરશે તીર્થકર ચ્યવન મહોત્સવ, ચૌદશે દિકકુમારીઓ દ્વારા જન્મભાવપઠન અને પૂનમે સ્નાત્ર કર્મ કરાયું. માઘ વદિ એકમે અષ્ટાદશ અભિષેકપૂજા, દ્વિતીયાએ પાઠશાલાગમન, તૃતીયાએ લગ્નસમારંભ, ચતુર્થીએ દીક્ષાસમારોહ, પંચમીએ અંજનશલાકા, માઘવદિ ૬ થી ૧૦ સુધી
કલશપ્રતિષ્ઠા, ધ્વજદંડસ્થાપન વગેરે, એકાદશીએ બિંબપ્રવેશ અને વાસક્ષેપવિધિ કરાયો અને ધર્મનાથ તીર્થંકરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ સ્થળોએથી પધારેલા ચાર લાખ ભાવિકોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો અને ચૈત્યબિંબની સ્થાપના માટે અને સદ્ધર્મીઓ, સૂરિઓ, આચાર્યો, સાધુઓ, શ્રાવકોના સત્કાર માટે અઢળક દ્રવ્યનો ખર્ચ કરવામાં આવ્યો. પ્રશસ્તિની રચના ખરતરગચ્છની ક્ષેમ શાખાના પં. સરૂપે કરી અને લખાણ મોઢ ચતુર્વેદી વનમાલીદાસના પુત્ર વિજયરામે કર્યું. લેખ રહેમાનના પુત્ર ઇસફે કોતર્યો. આમ અહીં જૈન, બ્રાહ્મણ અને મુસ્લિમ ત્રણે ધર્મ-સંપ્રદાયોના અનુયાયીઓનું પ્રદાન જોવા મળે છે.
| ગુજરાતી લેખ હઠીસિંહ મંદિરમાં પ્રવેશતાં ભમતીમાં પ્રવેશમાર્ગ પાસે દક્ષિણ તરફની દીવાલ પર આરસની તક્તીરૂપે ગોઠવેલો છે. એની ભાષા સંસ્કૃતમિશ્રિત ગુજરાતી છે. લખાણ ગુજરાતી લિપિમાં કોતરેલું છે. કુલ ૧૯ પંક્તિના આ લેખમાં જણાવ્યા અનુસાર સં. ૧૯૦૩માં માઘ માસમાં રાજનગર અમદાવાદમાં શ્રી કંપની બહાદુરના રાજ્યમાં વીસા ઓસવાલ જ્ઞાતિના શાહ ખુશાલચંદના પુત્ર કેસરીસિંહ, તેની પત્ની બાઈ સૂરજ, તેની કૂખે જન્મેલ હઠીસિંહ. તેમની પત્નીઓ રૂખમણિ અને હરકુંવરે સિદ્ધાચલ પર્વત પર સંઘ લઈ તીર્થયાત્રા કરી હતી. ધર્મનાથ તીર્થકર વગેરેનાં ઘણાં બિંબ ભરાવી બાવન જિનાલયવાળો પ્રાસાદ કરાવ્યો. મહા વદ ૧૧ના દિવસે સાગરગચ્છના શ્રી શાંતિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. ગોવર્ધન મંછારામે લખાણ લખ્યું અને સફભાઈ રહેમાનજીએ કોતર્યું. લેખમાંની મિતિ સં. ૧૯૦૩, મહા વદ ૫ને ગુરુવારે (૫ ફેબ્રુ., ઈ.સ. ૧૮૪૭) અંજનશલાકા મહોત્સવ અને મહાવદિ ૧૧ના દિવસે (૧૧ ફેબ્રુ, ઈ.સ. ૧૮૪૭) પ્રતિષ્ઠામહોત્સવ કરાવ્યો.
હઠીસિંહ દેરાસરમાં મૂળનાયકની પ્રતિમા પર વિ.સં. ૧૯૦૩, શક ૧૭૬૮, માઘ વદિ ૫, શુક્રવાર (૫ ફેબ્રુ, ઈ.સ. ૧૮૪૭)નો લેખ છે, જેમાં સાગરગચ્છના શ્રી શાંતિસાગરસૂરિના હસ્તે આ પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હોવાનો ઉલ્લેખ છે. આદીશ્વરની પાષાણપ્રતિમા પરના સં. ૧૯૦૩, માઘ વદિ પના લેખમાં શેઠ હઠીસિંહનાં પત્ની રુખમણિબાઈએ આ મૂર્તિ કરાવી અને સાગર ગચ્છના શાંતિસાગરસૂરિએ એની પ્રતિષ્ઠા કરાવી હોવાનું જણાવ્યું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org