SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૩૦૭, શ્રી જિનચંદ્રસૂરિ શ્રી અભયદેવસૂરિ શ્રી જિનવલ્લભસૂરિ . શ્રી જિનદત્તસૂરિ શ્રી જિનચંદ્રસૂરિ (દ્વિતીય) શ્રી જિનપતિસૂરિ શ્રી જિનેશ્વરસૂરિ (દ્વિતીય) શ્રી જિનપ્રબોધસૂરિ શ્રી જિનચંદ્રસૂરિ (તૃતીય) શ્રી જિનકુશલસૂરિ શ્રી જિનપરસૂરિ શામળાની પોળમાં પાર્શ્વનાથ મંદિરનો શિલાલેખ : (ચિત્ર નં. ૮) અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી શામળાની પોળમાંના શામળા પાર્શ્વનાથ મંદિરમાં પ્રવેશતાં જમણી તરફની દીવાલ પર આરસની તક્તીરૂપે વિ.સં. ૧૯૫૩, ઇલાહી સન ૪૨, ફાલ્ગન સુદિ ૧૧ (૧૭ ફેબ્રુ, ઈ.સ. ૧૫૯૭)નો આ શિલાલેખ કોતરેલો છે. તેમાં જણાવ્યા અનુસાર બાદશાહ શ્રી અકબરના વિજય રાજ્યમાં અમદાવાદ નગરના નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતિની શોભારૂપ સા. પસાઈયાના પુત્ર સં. જોગી, પત્ની જસમાદેવી, પુત્રરત્ન સંઘપતિ સોમજીએ ભાઈ શિવા, પુત્રો સં. રત્નજી, સં. રૂપજી, સં. ખીમજી, પૌત્ર સં. સુંદરદાસ વગેરે પરિવાર સાથે શ્રી લટકણ સાધુની પોળ (શામળાની પોળ)માં પોતાના ધન વડે નવા ચૈત્યમાં શામળા પાર્શ્વનાથના બિબની પ્રતિષ્ઠા શ્રી જિનચંદ્રસૂરિના હસ્તે કરાવી. વાઘણ પોળનું અજિતનાથ દેરાસર : શિલાલેખ અમદાવાદમાં ઝવેરીવાડમાં આવેલી વાઘણ પોળમાંના શ્રી અજિતનાથ તીર્થકરના દેરાસરમાં પ્રવેશતાં બહારની બાજુએ જમણી તરફની દીવાલ પર આરસની તક્તીરૂપે વિ.સં. ૧૮૬૦, શક ૧૭૨૬, દ્વિતીય ચૈત્ર શુદિ ૧૧, ભૃગુવારનો શિલાલેખ કોતરેલ છે. જેમાં જણાવ્યા અનુસાર રાજનગર (અમદાવાદ)માં ગોવિંદરાવ ગાયકવાડના રાજ્યમાં સાગરગચ્છના શ્રી ઉદયસાગર સૂરીશ્વરના ઉપદેશથી વખતચંદ શેઠ અજિતનાથનું મંદિર કરાવ્યું. ઓસવાલ જ્ઞાતિના વૃદ્ધ શાખાના શાંતિદાસ શેઠે ધર્મકાર્ય અને પુસ્તક-ન્યાસવિધિ વગેરેથી યુક્ત નવીન તીર્થકરોની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. એમના પુત્ર લક્ષ્મીચંદ અને એમના પુત્ર ખુશાલચંદે ઋષભદેવનું મંદિર કરાવ્યું. ખુશાલચંદનાં પુત્ર વખતચંદ પત્ની જડાવ, પુત્રો ઇચ્છાભાઈ, પાનાભાઈ, મોતીભાઈ, હેમાભાઈ, અનુપમભાઈ, સૂર્યમલ્લ, મનસુખ વગેરેએ અજિતનાથનું મંદિર કરાવ્યું. વિ.સં. ૧૮૫૫, ફાગણ સુ. ૨ના દિવસથી (૮ માર્ચ, ઈ.સ. ૧૭૯૯) શરૂ કર્યું અને સં. ૧૮૬૦, કિં.ચે શુ. ૧૧, શુક્રવારે (૨૦ એપ્રિલ, ઈ.સ. ૧૮૦૪) પૂરું કર્યું. આ જ મંદિરમાં અંદરની દીવાલ પર સં. ૧૯૦૫ (ઈ.સ. ૧૮૯૯)નો તક્તીલેખ છે, જેમાં ઓસવાલ જ્ઞાતિના સા. ભૂખણ "સની પત્ની વાળીબાઈ, પુત્રી ગુલાબબહેન સાંકણીનાં બે ગોખવા કરાવ્યાનો ઉલ્લેખ છે. (ચિત્ર ૯) શ્રી જિનલબ્ધિસૂરિ શ્રી જિનચંદ્રસૂરિ (ચતુર્થ) શ્રી જિનોદયસૂરિ શ્રી જિનરાજસૂરિ શ્રી જિનભદ્રસૂરિ શ્રી જિનચંદ્રસૂરિ (પંચમ) શ્રી જિનસમુદ્રસૂરિ શ્રી જિનહંસસૂરિ શ્રી જિનમાણિજ્યસૂરિ શ્રી જિનચંદ્રસૂરિ (છઠ્ઠા) Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy