________________
*
===
Oી
પ્રાપ્તવિક
ನನ
ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિનો વિરલ જ્ઞાનયજ્ઞ
શ્રી નંદલાલભાઈ દેવલુક સંપાદિત ગ્રંથો મારા માટે હંમેશા આશ્ચર્યનું કારણ રહ્યા છે. જેન ધર્મના જુદા જુદા વિષયો પર એના તજજ્ઞો પાસે દીર્ઘ લેખો લખાવીને તેઓ પ્રગટ કરતા રહ્યા છે. આ સમયમાં આવા વિરાટ ગ્રંથો પ્રગટ કરવા એ સ્વયં એક ભગીરથ કાર્ય છે. વળી એમણે આવા એક-બે નહીં, પણ અનેક ગ્રંથો પ્રકાશિત કર્યા છે. અને વર્ષોથી એકાગ્રતા અને એકનિષ્ઠાથી આ પ્રવૃત્તિ કરતા રહ્યા છે. આજે આવું કાર્ય કરનારા બહુ ઓછા સાહિત્ય-સંશોધનના રસિકો છે અને એમાં પણ જૈન ધર્મ વિષે આટલા વિશાળ ફલક પર કાર્ય કરનારા નંદલાલભાઈનો જોટો જડવો મુશ્કેલ છે.
પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ'ના પ્રથમ ભાગના અનેકવિધ વિષયો આશ્ચર્યમાં _ઉડૂબાડી દે તેવા છે. હસ્તપ્રતવિઘા, મૂર્તિવિધાન, અભિલેખો જેવા વિષયોથી આરંભીને
આગમસાહિત્યનો તત્ત્વબોધ, જૈનદર્શનના દાર્શનિકો વિષેના લેખોનો આમાં સમાવેશ થયો છે. જેનશાસનના સાધકસૂરિવરો, પ્રજ્ઞાપુરુષો, તપોધનો, શાસ્ત્ર પ્રભાવકો, રત્નત્રયીના આરાધકો, હિતચિંતકો અને સારસ્વતો એમ એમણે અનેક વ્યાપક ફ્લક પર જિનશાસનનું કાર્ય કરનારાઓની નોંધ લીધી છે. વળી પ્રાચીન જિનાલયોના જિર્ણોદ્ધારકોથી માંડીને ૨૧મી સદીના આરાધક રત્નો. સુધીના લેખો આમાં સમાવ્યા છે. આ વિપુલ લેખસામગ્રી જ દર્શાવે છે કે એમણે કેટલા જુદા જુદા વિષયની માહિતી. એકત્રિત કરી છે. આ રીતે જૈન ધર્મ વિશેની અત્યંત મૂલ્યવાન એવી સામગ્રી રજૂ કરીનેં એમણે જૈન ધર્મ અને સંસ્કૃતિના સંવર્ધનમાં મૂલ્યવાન યોગદાન કર્યું છે.
રમૂજમાં એમ કહેવાય છે કે આજે લોકો “વાંચે છે પાસબુક અને લખે છે ચેકબૂક', એ સિવાય એમના જીવનમાં કોઈ વાચન-લેખન હોતું નથી. આવે સમયે કશાય વિશેષ વળતરની અપેક્ષા વિના એક પછી એક આવા વિરાટ ગ્રંથો પ્રગટ કરીને નંદલાલભાઈએ (ધર્મ, સાહિત્ય અને સંસ્કારની કેડી કંડારી આપી છે જેની ઇતિહાસે નોંધ લેવી જ પડે. એમના આવા પ્રયત્નો એમની ઉત્કટ ધર્મભાવનાના ધોતક છે અને તેથી જ “ધન્ય ધરા: શાશ્વત સૌરભ' ભાગ-૧ના પ્રાગટ્ય સમયે એમને અનેકશઃ ધન્યવાદ આપતાં અપાર આનંદ વ્યક્ત કરું છું.
(કુમારપાળ દેસાઈ).
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org