SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ મંદિરોના સમૂહ શિખરીનું દર્શન (ભીલડિયાજી તીર્થ) ગુજરાતના આ પ્રાચીન તીર્થની ઐતિહાસિક વિગતો જાણવા જેવી છે. જૈન અભિલેખોમાંથી એ માહિતી પણ મળી છે કે કર્ણાટકમાં એક સમયે મૃતાત્માની સ્મૃતિમાં ‘નિશિધિ'ના નામે ઓળખાતા સ્તંભ ઊભા કરવાની ઓછી પ્રચલિત એવી એક પ્રથા હતી. ચંદવટે (જિ. બીજાપુર)માં આવેલા એક નિશિધિ–સ્તંભના લેખમાંથી એક સૂચક માહિતી મળે છે કે તેનું નિર્માણ સુરાષ્ટ્ર-ગણના માઘનંદી ભટ્ટારકની સ્મૃતિમાં થયું હતું. અહીં સુરાષ્ટ્રગણના ઉલ્લેખથી સૌરાષ્ટ્રના જૈનો મધ્યકાળમાં કર્ણાટકમાં વસતા હોવાનું જાણવા મળે છે. આન્ધ્રપ્રદેશના એક તામ્રપત્ર મુજબ ધર્માવરમ્ ખાતે પૂર્વ ચાલુક્ય કાળમાં દુર્ગરાજે ‘કટકાભરણ-જિનાલય' બંધાવેલું અને તેની જાળવણી માટે એક ગામનું દાન કરેલું. જૈન પુરાવશેષો માટે જાણીતા મથુરાના કંકાલી ટીલામાંથી મળેલાં શિલ્પોમાંના એકનો લેખ જણાવે છે કે મહાક્ષત્રપ શોડાસના રાજ્યકાળમાં ઈ.સ. ૧૫માં એ જગ્યા અમોહિનીએ દાનમાં આપેલી. અહીંથી મળેલા દેવી સરસ્વતીના એક શિલ્પ ઉપર નોંધેલી શક સંવત ૫૪ (ઈ.સ. ૧૩૨)ની તિથિ આ શિલ્પને સરસ્વતીની સહુથી પ્રાચીન મૂર્તિ ઠેરવે છે. ઉત્તરપ્રદેશના જ કહા (જિ. ગોરખપુર)માંથી મળેલા વેળુપાષાણના સ્તંભ ઉપર આદિનાથ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરની સુંદર આકૃતિઓ કંડારેલી છે, જેના ઉપર સ્કંદગુપ્તના કાળનો ઈ.સ. ૪૬૦નો લેખ છે. દેવગઢ (જિ. ઝાંસી)માં હજારેક વર્ષ પૂર્વે જૈનોની મોટી વસાહત હતી, જેનું પ્રમાણ ત્યાં મળેલાં ૪૦ જેટલાં જૈન મંદિરો અને ૪૦૦ જેટલા શિલાલેખો (૯મી સદીથી શરૂ થતાં) પૂરું પાડે છે. આ Jain Education International. ૨૯૧ અભિલેખોમાંથી જાણવા મળે છે કે પૂર્વે આમાંનાં કેટલાક મંદિરોની સાથે માનસ્તંભ હતા. મધ્યપ્રદેશના બહરીબંદ (જિ. જબલપુર)માં સ્થાપિત શાંતિનાથની વિશાળ પ્રતિમાના લેખમાંથી જાણવા મળે છે કે ત્યાં શાંતિનાથનું એક સુંદર મંદિર હતું, જેના ઉપર સફેદ ‘વિતાન' હતું (૧૨મી સદી). દુર્જનપુર (જિ. વિદિશા)માંથી મળેલી ત્રણ જિનમૂર્તિઓના અભિલેખમાંથી એ જાણવા મળે છે કે ‘મહારાજાધિરાજ' રામગુપ્તે તે બનાવડાવેલી. જેની ઐતિહાસિકતા વિવાદાસ્પદ રહી છે તે ગુપ્ત રાજા રામગુપ્ત (ચોથી સદી)ના અસ્તિત્વનું પુરાતત્ત્વીય પ્રમાણ આ જૈન અભિલેખે પૂરું પાડ્યું છે. ગુજરાત-રાજસ્થાનના શિલાલેખો જિનાલય માટે ‘ચૈત્ય’, ‘વસતિ’, ‘હર્મ્યુ’, ‘મંદિર’, ‘વિહાર’, ‘ભુવન’, પ્રાસાદ’ અને ‘સ્થાન’ જેવાં નામોનો પ્રયોગ કરે છે. આ લેખો ક્યારેક મંદિરનાં અંગો (દા.ત. ‘બિમ્બ', દંડ', ‘કળશ’, ‘દેવકુલિકા’) વિષેની વિગતો આપે છે તો ક્યારેક મંદિર અને પ્રતિમાના પથ્થર અંગેની જાણકારી આપે છે. કેટલાક અભિલેખો સ્થપતિ અને શિલ્પીનો પરિચય આપે છે તો અમુક મંદિરના નિર્માણ અને પુનરુદ્ધારને લગતી ઉપયોગી માહિતી આપે છે. ઢાંક (પ્રાચીન ઢંકગિરિ, જિ. રાજકોટ)ની ગુફાએથી મળેલાં આદિનાથ, શાંતિનાથ અને પાર્શ્વનાથનાં શિલ્પો (૭મી સદી) કળાર્દષ્ટિએ સાદાં છે, પણ ત્યાંનો પ્રસ્તરલેખ પુરાતત્ત્વવિદ્ બર્જેસની દૃષ્ટિએ ઈસુની બીજી સદીનો છે. જાલોર (રાજસ્થાન)ના શિલાલેખમાંથી પ્રકટ થાય છે કે ચૌલુક્ય કુમારપાળે ત્યાં ‘કુમારવિહાર' બંધાવેલો (ઈ.સ. ૧૧૬૪), જેનો ચાહમાન રાજા સમરસિંહે ઈ.સ. ૧૨૦૫માં પુનરુદ્ધાર કરાવીને મધ્યમંડપ ઉપર સુવર્ણકળશ ચડાવેલો. રાણકપુર (રાજસ્થાન)ના વિખ્યાત ચૌમુખ મંદિર ‘ધરણવિહાર’નો જીર્ણોદ્ધાર તથા તેમાં મેઘનાદ-મંડપની પૂર્તિ બાદશાહ અકબર પ્રતિબોધક આચાર્ય હીરવિજયસૂરિના ઉપદેશથી કરવામાં આવેલી એ તથ્ય પણ એક શિલાલેખ દ્વારા જાણવા મળે છે. ઘટિયાલા (જિ. જોધપુર)ના પ્રાકૃત શિલાલેખમાંથી (સંવત ૯૧૮) પ્રકટ થયું છે કે મંડોરના કેટલાક પ્રતિહારવંશીય રાજાઓએ અનશનવ્રત ગ્રહણ કર્યું હતું. વળી કક્કુક નામના પ્રતિહાર રાજાએ જિનભવન બંધાવી શ્રી ધનેશ્વર ગચ્છને અર્પણ કર્યું હતું. વડોદરામાંથી મળેલા કર્ક સુવર્ણવર્ષના તામ્રપત્ર (શક સંવત ૭૩૮)માંથી જાણવા મળે છે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy