________________
ધન્ય ધરાઃ
ધરાની પુણ્યભૂમિ સૌરાષ્ટ્રને મળેલ છે, એ કાંઈ નાનુસૂનું પુણ્ય નથી, એ ગિરિરાજના પ્રભાવકો, અનંતભવોમાં દુર્લભ એવા સમાધિમરણના પ્રાપ્તકર્તાઓનો પરિચય.....
એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે બ્રહ્મચારીઓને વંદન કરી ઇન્દ્રસભામાં બેસે. ઇન્દ્રોને પણ પૂજ્ય એવા બ્રહ્મચારીઓને ધન્ય હો! બ્રહ્મચર્ય તો અડધી દીક્ષા કહેવાય...આદિ વિષયો...
સાહિત્યકલા : વિશિષ્ટદર્શન વિભાગમાં પશ્ચિમ ભારતના જૈનમંદિરોની અદ્દભૂત સ્થાપત્યકલા ડોકાશે....તો જૈન મૂર્તિ વિધાનના પરિપ્રેક્ષ્યમાં જૈન તીર્થકરોની આગવી વિશેષતાઓ....જેનોની વંદનીય સાંસ્કૃતિક સંપત્તિ....પ્રાચીન જૈન અભિલેખોનું ઐતિહાસિક વિશ્લેષણ દ્વારા સમુચિત મૂલ્યાંકન, ગુજરાતના ખૂણે-ખાંચરે રહેલા અને હસ્તલિખિતમાં સચવાયેલ સાહિત્ય વારસાનો પરિચય, સંગીતના માર્ગે ભક્તિયોગની આરાધના કરતા અને કરાવતા સાધકો...આંગીરચના અને લેપચક્ષુના કલાવિદો...ગુજરાતના મધ્યકાલીન સંસ્કૃત સ્રોતો...પ્રાચીન લીપીનો પરિચય...મૂર્તિપૂજાના પ્રમાણ રજૂ કરતો મથુરાનગરીનો ઇતિહાસ અને ડગલે ને પગલે ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં જૈનો દ્વારા અપાતા પ્રદાનનું સફળ સરસ નિરૂપણ ખરેખર ધન્યધરાની સૌરભ છે અને તન-મનને તરબતર કરે છે. | વિક્રમની વીસમી સદી : વિશિષ્ટ વિભૂતિઓનું ચત્રિ દર્શન વિભાગમાં વસમી કહી શકાય એવી વીસમી સદીમાં પણ ધન્યધરાની શાશ્વત સૌરભ શોધી શોધીને આ વિભાગમાં એકત્રિત કરવામાં આવી છે. જિનશાસન નૌકાના સમર્થ સુકાનીઓ, શાસ્ત્રસર્જક સારસ્વતો, સદીના સમયજ્ઞ રત્નો, સૂરિમંત્ર સહિતના સાધક સૂરિવરો, શાસન દીપક પ્રજ્ઞાપુરુષો, તેજકિરણ તપોધનો, ધર્મપ્રવર્તક પુણ્ય પુરુષો, સમકાલીન શાસ્ત્ર પ્રભાવકો
ધર્મતીર્થની આરાધના, પ્રભાવના અને રક્ષાને કરતાં આ તમામ પૂજ્યોને નાસ્તિકો પણ નમી પડે તો આસ્તિકો નમે, એમાં નવાઈ શી? | વૈવિધ્ય સૌરભદર્શન વિભાગમાં વિવિધ વિષયો લીધા છે. અનુમોદના કરતાં હૈયું ભીનું ભીનું થઈ જાય તેવા પ્રસંગો લીધા છે. જૈનશાસનની એક ઊંચી પ્રણાલિકા છે કરણ, કરાવણ ને અનુમોદન સરિખા ફળ નિપજાયો. સાચૂકલા હૈયે અનુમોદના કરતાં જાણે પુણ્યનો મેરુ આકાશને આંબતો જશે. ગુણદૃષ્ટિ કેળવવા માટે અને હોય તેને પુષ્ટ કરવા માટે આ ગ્રંથ સુંદર આલંબન પુરું પાડે છે.
ઉપા. યશોવિજયજી સ્મૃતિગ્રંથની પ્રસ્તાવનામાં બે વેદના વ્યક્ત કરાઈ છે. જે હકીકત હોવાથી અહીં ઉદ્ધત કરીએ. પ્રસંગોપાત એક આંતર વેદના જણાવું કે આજના વિદ્વાનો અને શિક્ષિતવર્ગ પરદેશી વિદ્વાનોના નામ અને કામ જેટલું જાણે છે, તેટલું આ ભૂમિના મહાપુરુષોના નામ અને કામને જાણતા નથી. આ એક કમનસીબ શરમજનક ઘટના છે. અરે! ખુદ ગુજરાતના જ વિદ્વાનો પોતાના જ ઘર આંગણે પ્રકટેલી આવી ? વિશ્વ વિભતિઓને કામથી તો પછી પણ નામથી પણ જ્યારે ન જાણે, ત્યારે પ્રાન્તીય વિદ્વાનોને તો આપણે શું કહી શકીએ.
બીજી મહાદુઃખની વાત એ છે કે આપણા વિદ્વાનો બીજા ધર્મો અંગે સારું જ્ઞાન ધરાવતા હોય છે, જ્યારે પોતાના જ આંગણે જ રહેલા ગુજરાતી પ્રજાના ઉત્કર્ષમાં સર્વોત્તમ અને અજોડ ફાળો આપનાર જૈનધર્મ અંગે અને તેમના સાધુપુરુષો અંગેનું જ્ઞાન મેળવવામાં ખૂબ ખૂબ પાછળ રહ્યા છે. અને તેઓનું ઘણીવાર તો
Jain Education Intemational
For Private & Personal Use Only
Jain. Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only