SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ તારંગાજી તીર્થ सदानंदनिधानाय, मंगलालिप्रदायिने । तारंगातीर्थनाथाय चाजिताय नमोनमः ॥ તારંગા ગિરિ (જિ. મહેસાણા) ઉપર આવેલું શ્રી અજિતનાથનું મંદિર (ઈ.સ. ૧૧૬૫) ચૌલુક્ય નરેશ પરમ અર્હત્' કુમારપાળના સમયનું છે. ‘સાંધાર મેરુપ્રાસાદ’ પ્રકારનું આ મંદિર તેની વિશાળ અને ભવ્ય સ્થાપત્યરચનાથી પ્રભાવશાળી લાગે છે. રૂપ : શ્રમણમાર્ગી બૌદ્ધોના સ્તૂપો ઘણા જાણીતા છે. તે જ રીતે શ્રમણમાર્ગી જૈનોમાં પણ સ્તૂપોની રચના થતી હતી. જિનપ્રભસૂરિએ (૧૪મી સદી) સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથના માનમાં મથુરામાં બંધાયેલા સ્તૂપનો ઉલ્લેખ કર્યો છે. દિગંબર સૂરિ હરિષણના ‘બૃહત્કથાકોષ'માં મથુરામાં પાંચ સ્તૂપોના નિર્માણની કથા આવે છે. ઈ.સ. ૧૪૭૮ના પહાડપુર તામ્રપત્રમાં પણ એક ‘પંચરૂપનિકાય'નો ઉલ્લેખ છે. હરિભદ્રસૂરિ અને જિનપ્રભસૂરિએ મથુરામાં એક ‘દૈવનિર્મિત’ સ્તૂપનો ઉલ્લેખ કર્યો છે. આ બધા પરથી નિશ્ચિત છે કે મથુરામાં જૈન સ્તૂપનું અસ્તિત્વ હતું. મથુરાના કંકાલી ટીલાના ઉત્ખનનમાં એક સ્તૂપના પાયાના અવશેષો મળ્યા છે. આ પાયાનો વ્યાસ ૧૪.૩૩ મીટર અને તેમાં આઠ આરા હતા. આ જ ઉત્ખનનમાં ખોદી કઢાયેલા પુરાવશેષોમાં ઈ.સ. પૂર્વે બીજી-પહેલી સદીના પ્રવેશદ્વારના ટુકડા ઉપર સ્તૂપનું સર્વપ્રથમ શિલ્પાંકન પ્રાપ્ત થયેલું છે. જૈન સ્તૂપ એ અર્ધગોળાકાર ટેકરા જેવું ઇંટોનું બનેલું નક્કર સ્થાપત્ય હતું, જેના તળિયે મધ્ય ભાગમાં તીર્થંકરના પવિત્ર અવશેષો Jain Education International ૨૮૫ મથુરા કંકાલી ટીલામાંથી પ્રાપ્ત ભગવાન મહાવીરની પ્રતિમા મૂકવામાં આવતા. તેની ફરતે પથ્થરની સંરક્ષણાત્મક વેદિકા ઊભી કરવામાં આવતી. સ્તૂપ અને વૃત્તાકાર વેદિકાની વચ્ચે રચાતા પ્રદક્ષિણામાર્ગમાં પ્રવેશવા માટે ચાર દિશામાં ચાર તોરણદ્વાર રખાતાં. જૈનોમાં મૂર્તિપૂજાનો આરંભ બૌદ્ધો કરતાં વહેલો થયો હોવાથી સ્તૂપનિર્માણની પ્રણાલી પણ વહેલી બંધ થઈ હોવાની સંભાવના છે. કાષ્ઠમંદિરો : કળા અને સ્થાપત્યમાં લાકડાનો ઉપયોગ સદા અને સર્વત્ર થતો આવ્યો છે. તેમાંયે ગુજરાતમાં મકાનો, મંદિરો, ચબૂતરા (પરબડી), રથ, રમકડાં, રાચરચીલાં જેવાં નિર્માણ અને ઉત્પાદનનાં વિવિધ ક્ષેત્રે તેનો વપરાશ થતો હોવાથી કાષ્ઠકળા વધારે પ્રમાણમાં વિકસી છે. સ્વાભાવિકપણે જ ગુજરાતના ધર્માનુરાગી જૈનો દ્વારા કાષ્ઠકળાકારોને સારું એવું પ્રોત્સાહન મળતાં ભારતમાં ક્યાંય જોવા ન મળતાં લાકડાનાં લઘુ મંદિરોનો ભારતની કળાસંપત્તિમાં ઉમેરો થયો છે. વડોદરાના રાજ્યસંગ્રહાલયમાં આવા એક જૈન કાષ્ઠમંદિરનો નમૂનો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy