________________
૨૮૪
ધન્ય ધરાઃ
| ગિરનારનાં શિખરો સાથે હરીફાઈ કરતાં જેનમંદિરોનાં શિખરો
અને બહાર જૈન પ્રતિમાઓ મળી આવેલી. આ ઇમારતની અલંકૃત છત અને રચના જૈન મંદિરોની છત અને લંબચોરસ યોજના સાથે સામ્ય ધરાવે છે.
જૈન ધાર્મિક પરંપરા અનુસાર બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિ અથવા શ્રી નેમિનાથ શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ અને દ્વારવતી (= દ્વારકા)ના નિવાસી હતા. તેમણે ત્યાં જ શ્રમણદીક્ષા લઈને પ્રથમ ભિક્ષા પણ સ્વીકારેલી તથા ઉજ્જયંત ( ગિરનાર) ઉપર તેઓ નિર્વાણ પામેલા. આમ તેમના સૌરાષ્ટ્ર સાથેના સંબંધને આધારે ગુજરાતમાં જૈન ધર્મનાં મૂળ મહાવીર અને પાર્શ્વનાથની યે પૂર્વેના આધ-ઐતિહાસિક મહાભારત-કાળ સુધી જાય છે. તેમ છતાં ગુજરાતમાં જૈન ધર્મ સાથે સંબંધિત પુરાવશેષો છેક ઇતિહાસ-કાળ સુધી મળતા નથી.
જૈનોનાં સર્વ તીર્થોમાં પરમ પવિત્ર ગણાતા તીર્થાધિરાજ શત્રુંજય (જિ. ભાવનગર) ઉપર નવ ટૂંકોમાં થઈને કુલ ૧૦૬ મંદિરો અને ૭૩૧ દેરીઓ છે. આથી શત્રુંજયગિરિને યથાયોગ્ય રીતે “મંદિરોની નગરી' કહ્યો છે. જુદા જુદા સમયે બંધાયેલાં આ મંદિરોમાંથી મોટા ભાગનાં ૧૬મી સદી પછીનાં છે. આ સહુમાં વિમલવસી–ટૂકમાં આવેલું શ્રી ઋષભદેવનું ઈ.સ. ૧૫૩૦માં સાતમી વાર જીર્ણોદ્ધાર પામેલું મંદિર ઉન્નત શિખર ધરાવતું બે માળનું જિનાલય છે. બીજું અગત્યનું મંદિર ખરતરવસીની ટૂકમાં આવેલું ચૌમુખ મંદિર (ઈ.સ. ૧૬૧૮) છે. ૯૬ ફૂટ ઊંચું શિખર ધરાવતા અને બે માળના આ મંદિરમાં સિંહાસન ઉપર વિરાજિત શ્રી આદિનાથની ચાર પ્રતિમાઓ છે. શિખરમાં પણ ચૌમુખજી છે. શત્રુંજય પર્વત ઉપર આ ઉપરાંત રાજવી કુમારપાળ તથા મંત્રીઓ વિમળશાહ અને વામ્ભટે બંધાવેલાં મંદિરો નોંધનીય છે.
જૂનાગઢના સાન્નિધ્યમાં આવેલા ગુજરાતના સૌથી ઊંચા પર્વત (૩૬૬૪ ફૂટ) ગિરનાર ઉપર ૧૬ જૈન મંદિરોનો સમૂહ છે, જેમાં સહુથી મોટું મંદિર શ્રી નેમિનાથનું છે, જે ઈ.સ. ૧૨૭૮માં જીર્ણોદ્ધાર પામેલું છે. લંબચોરસ પ્રાંગણમાં આવેલા આ મંદિરની આસપાસ ૭૦ દેવકુલિકાઓ છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહ સાથે જોડાયેલો સ્તંભરચનાવાળો મંડપ જૂનો અને મૂળ સ્વરૂપમાં છે, જ્યારે તેની આગળનો મંડપ પાછળથી ઉમેરાયેલો છે. બીજું અગત્યનું મંદિર વસ્તુપાળ-તેજપાળે બંધાવેલું, ત્રણ અલગ મંદિરોના સંયોજનથી બનેલું ત્રિચય (ઈ.સ. ૧૨૩૧-૩૨) છે, જેમાં મધ્યનું શ્રી મલ્લિનાથને સમર્પિત છે, જ્યારે ઉત્તર તરફના મંદિરમાં મેરુ પર્વત અને
દક્ષિણના મંદિરમાં સમેતશિખરની રચના સ્થાપિત કરેલી છે. આ ત્રિમંદિરની વચ્ચે એક સંયુક્ત સભામંડપ છે.
કુંભારિયા (પ્રાચીન આરાસણા, જિ. બનાસકાંઠા)માં પાંચ જૈન મંદિરો આવેલાં છે : (૧) મહાવીર સ્વામીનું મંદિર (ઈ.સ. ૧૧૭૬-૭૭) ગર્ભગૃહ, ગૂઢમંડપ, ત્રિકમંડપ, રંગમંડપ સહિત ૧૬ દેવકુલિકા ધરાવતું આરસનું જિનાલય છે. મંદિરના આંતરિક ભાગો સુંદર નકશીકામથી સુશોભિત છે અને જગતીમાં નાનકડું સમવસરણ છે. (૨) શ્રી શાંતિનાથનું મંદિર (૧૧મી સદીનો અંતભાગ) આરસનું છે. તેની રચના ઉપરોક્ત શ્રી મહાવીર–મંદિર જેવી જ છે. તેની જગતીમાં નંદીશ્વર-દ્વીપનું નાનકડું પૂજાઘર છે. એક દેરીમાં સમવસરણ છે. (૩) શ્રી પાર્શ્વનાથનું મંદિર (૧૨મી સદીનો આરંભ) ૨૪ દેવકુલિકા ધરાવે છે. ગર્ભગૃહમાં પરિકરવાની મૂળનાયકની એકતીર્થી પ્રતિમા છે. (૪) શ્રી નેમિનાથનું મંદિર કેટલાક વિદ્વાનોના મતે સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. ૧૦૯૪૧૧૪૪)ના સમયમાં બંધાયેલું છે. ગર્ભગૃહ, ગૂઢમંડપ, વિશાળ રંગમંડપ, શૃંગાર ચોકીઓ, ઉન્નત શિખર અને ૨૪ દેવકુલિકાઓથી શોભતું આરસનું જિનાલય સ્થાનિક મંદિરોમાં વિશાળતમ છે. (૫) શ્રી સંભવનાથનું મંદિર (ઈ.સ. ૧૨૩૧) પ્રમાણમાં નાનું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org