SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૨૮૩ શ્રી પાર્શ્વનાથનું છે. આમાં ભારતીય-મુસ્લિમ સ્થાપત્યનાં તત્ત્વો સમન્વિત થયેલાં જોવા મળે છે. અન્ય બે નોંધપાત્ર મંદિરો ચિંતામણિ મંદિર (ઈ.સ. ૧૫૦૫) તથા શ્રી નેમિનાથ મંદિર (ઈ.સ. ૧૫૩૬) છે. ઓસવાલ વણિકોનું આદિસ્થાન ઓસિયા (પ્રાચીન ઉપકેશ, જિ. જોધપુર) ૮મીથી ૧૧મી સદી સુધીનાં હિંદુ મંદિરોની નગરી સમું છે. તેમાં આવેલું શ્રી મહાવીરસ્વામીનું મંદિર મૂળ ૮મી સદીનું છે, પણ ૧૦મી સદીમાં તેનો જીર્ણોદ્ધાર થતાં સુધારા-વધારા થયા છે. ગર્ભગૃહ, પ્રદક્ષિણામાર્ગ, અંતરાલ, ગૂઢમંડપ, ત્રિકમંડપ અને મુખચોકી ધરાવતા “મારુગુર્જર શૈલીના આ મંદિરની સામે અગાઉ એક તોરણ હતું. ગર્ભગૃહ ઉપરનું શિખર ૧૧મી સદીનું પાછળથી જીર્ણોદ્ધાર પામેલું છે. જૈન મંદિરોની વિશિષ્ટતા સમો આનો ‘ત્રિકમંડપ’ રાજસ્થાનમાં જૂનામાં જૂનો છે. મંદિર કળાકૃતિઓ અને દેવશિલ્પોથી સમૃદ્ધ છે. ફલોધિ (પ્રાચીન ફલવર્ધિ, જિ. જોધપુર)નું શ્રી પાર્શ્વનાથ મંદિર ૧૨મી સદીમાં બંધાયેલું અને પાછળથી જીર્ણોદ્ધાર પામેલું હોવા છતાં તેના મૂળ સ્થાપત્યનાં મુખ્ય લક્ષણો તેમાં અદ્યાપિ જળવાઈ રહ્યાં છે. અજમેરની “અઢાઈ દિન કા ઝોપડા' નામની મસ્જિદ ઘણા વિદ્વાનોના મતે મૂળ જૈન મંદિર હતું, કારણ કે તેની અંદર ૧ :: શ્રી નેમિનાથ જિનાલયની ભીંતમાં કંડારાયેલા દેવીઓનાં નર્તન-પ્રકારો (રાણકપુર) પાર્શ્વનાથનું મંદિર (ઈ.સ. ૧૪૭૩). આના પ્રવેશદ્વાર આગળ બે સ્તંભો પર સુંદર તોરણ છે. સભામંડપમાં નંદીશ્વરદ્વીપના ત્રણ, શત્રુંજયનો એક અને ગિરનારનો એક, એમ પથ્થરના ચાર પટ્ટ છે. (૨) શ્રી સંભવનાથનું મંદિર (ઈ.સ. ૧૪૯૭). આના સભામંડપનો ઘુમ્મટ સુંદર કારીગરી અને વચ્ચે કમળાકાર લોકથી સુશોભિત છે. (૩) શ્રી શીતલનાથનું મંદિર. તેમાં મૂળનાયક તરીકે સ્થાપિત શ્રી શાંતિનાથની મૂર્તિ ૧૭મી સદીની છે, જે સૂચવે છે કે મૂળ મંદિર વધુ જૂનું છે. (૪) શ્રી શાંતિનાથ તથા શ્રી અષ્ટાપદનું જોડકું મંદિર. આ બંને મંદિરો એક જ ભવનમાં ઉપરનીચે આવેલાં છે. ઉપલા મંદિરમાં શ્રી શાંતિનાથની સમવસરણની આકૃતિમાં વિરાજિત ૧૬મી સદીની ધાતુની મૂર્તિ છે. નીચલા અષ્ટાપદના મંદિરમાંની મૂર્તિ શ્રી કુંથુનાથની (ઈ.સ. ૧૫૩૬) છે. (૫) શ્રી ઋષભદેવનું મંદિર (૧૬મી સદીના ઉત્તરાર્ધ) (૬) શ્રી ચંદ્રપ્રભુનું મંદિર (૧૬મી સદી). ત્રણ માળના આ ચૌમુખ મંદિરમાં શ્રી ચંદ્રપ્રભુની ચાર મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. આને “ચતુર્મુખવિહાર' પણ કહે છે. (૭) શ્રી મહાવીર સ્વામીનું મંદિર (૧૬મી સદી). બિકાનેરમાં જૂનામાં જૂનું મંદિર ૧૫મી-૧૬મી સદીનું જૈન દેરાસર-ચિત્તોડગઢ For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy