________________
૨૮૨
કળામય ઘુમ્મટથી શોભાયમાન છે. વિમળવસહિથી આરસનાં મંદિરો બાંધવાની પરંપરા શરૂ થઈ હતી. આ મંદિરનાં સ્તંભોકમાનો પરની સૂક્ષ્મ કોતરણી અને ઉત્કીર્ણ મૂર્તિઓમાં પ્રકટ થતી સુકુમાર્તા, ઘુમ્મટમાં સમકેન્દ્રી વૃત્તાકારે ગોઠવાયેલી મનુષ્યો, હાથી અને અન્ય પ્રાણીઓની હારમાળા, ઘુમ્મટને ટેકવતી હોય તે રીતે ગોઠવેલી દેવી સરસ્વતીની પ્રતિમાઓ અને ઘુમ્મટના કેન્દ્રમાંથી ઝૂલતું મનમોહક કમળાકાર લોલક નિહાળતાં ભાવુક દર્શકને કોઈક સ્વપ્નસૃષ્ટિનાં દર્શનનો ભાસ થાય છે. લૂણવસહિ સ્થાપત્ય-યોજનામાં વિમલ–વસહિને અનુસરતું હોવા છતાં તેનાં આંતરિક ભાગોની વિગતોમાં જુદું પડે છે. ગુજરાતની વિશિષ્ટ સ્થાપત્યશૈલીના ચરમોત્કર્ષનું ઉદાહરણ તે પૂરું પાડે છે. આ મંદિર તેના અલંકરણયુક્ત નકશીકામ માટે પ્રસિદ્ધ છે. આમાં શ્રી નેમિનાથના જીવન-પ્રસંગો ઉપરાંત મંદિરના નિર્માતા શ્રાવકબંધુઓ વસ્તુપાળ-તેજપાળનું તેમની પત્નીઓ સહિત શિલ્પાલેખન થયેલું છે. દેલવાડાના મંદિરસમૂહનાં અન્ય બે મંદિરો તે શ્રી પાર્શ્વનાથનું ખરતર-વસહિ' તથા ‘પિત્તલહર મંદિર’ છે. ખરતરવસહિ એ ચૌમુખ-મંદિર (સોળમી સદી) છે. દેલવાડાનાં ચારેય મંદિરોમાં તે સહુથી ઊંચું છે. તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથની ચાર પ્રતિમાઓ બિરાજમાન છે. નીચેના માળની મૂળનાયક પ્રતિમાઓ પરિકરવાળી છે. શ્રી ઋષભદેવને સમર્પિત ‘પિત્તલહર મંદિર’માં મૂળનાયકની મૂર્તિ પિત્તળ આદિ ધાતુઓથી બનેલી હોવાથી તેને આ નામ મળ્યું છે (પંદરમી સદી). તેનું બીજું નામ ‘ભીમાશાહનું મંદિર' છે.
માઉન્ટ આબુ ઉપર અચલગઢમાં પણ ચાર જૈન મંદિરો– ચૌમુખજી, શ્રી કુંથુનાથ, શ્રી શાંતિનાથ અને શ્રી આદીશ્વરનાં આવેલાં છે.
રાણકપુર (જિ. પાલી)નું નયનરમ્ય અને વિશાળ ધરણવિહાર’(ઈ.સ. ૧૪૩૯) ચતુર્મુખ મંદિરોમાં શિરોમણિ સમું છે. ઊંચી વિશાળ ચતુષ્કોણ પીઠિકા ઉપર ચોતરફ આવેલી દેવકુલિકાઓની મધ્યમાં શ્રી ઋષભદેવને સમર્પિત આ ચૌમુખ મંદિર આવેલું છે. ૪૮,૦૦૦ ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલા અને ૧૪૪૪ સ્તંભો, ૨૪ મંડપો, ૭૬ દેવકુલિકાઓ, ચાર ખૂણાનાં ચાર દેરાસર અને મધ્યસ્થ ચતુર્મુખ જિનાલયથી શોભતા આ ભવ્ય મંદિરને યથાર્થ રીતે ત્રૈલોક્યદીપક પ્રાસાદ' અને ‘નલિનીગુલ્મવિમાન’ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. મધ્યવર્તી જિનાલયમાં ચાર દિશાનાં ચાર દ્વારમાંથી દર્શન આપતી શ્રી ૠષભનાથની ચાર પદ્માસનસ્થ પ્રતિમાઓ છે. ચાર ખૂણે
Jain Education International
ધન્ય ધરા
આ જિનમંદિરોએ જ ભારતીય કલા, શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને અસ્મિતાનું અનેરું સંવર્ધન કર્યું છે.
આવેલાં દેરાસરોમાં શ્રી ઋષભદેવ, શ્રી પાર્શ્વનાથ, શ્રી અજિતનાથ અને શ્રી મહાવીરની પ્રતિમાઓ સ્થાપિત છે. ચૌમુખ ‘ધરણવિહાર’ની સામે શ્રી પાર્શ્વનાથનું મંદિર (૧૫મી સદી) અને ૧ કિલોમીટર દૂર શ્રી ચક્રેશ્વરીનું મંદિર છે.
મેવાડના પ્રખ્યાત શૈવ તીર્થ એકલિંગજીની પાડોશમાં આવેલા નાગદા (જિ. ઉદયપુર)માં પદ્માવતી-મંદિર (૧૪મી સદી) તરીકે ઓળખાતું મંદિર એના ગર્ભગૃહમાંના એક અભિલેખ પ્રમાણે શ્રી પાર્શ્વનાથનું જિનાલય છે.
ચિત્તૌડના પ્રસિદ્ધ જૈન કીર્તિસ્તંભની બાજુમાં આવેલું શ્રી શાંતિનાથ-જિનાલય (૧૪મી સદી) તેના ‘પંચરથ’ તલમાન અને શૃંગારચોકીને કારણે નોંધપાત્ર છે. ચિત્તૌડનું બીજું ઉલ્લેખનીય જિનાલય શ્રી આદિનાથનું ‘સાતબીસ દેવડી’ (૧૫મી સદી) છે.
ઘાણેરાવ (જિ. પાલી)નું શ્રી મહાવીર મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણામાર્ગ, ગૂઢમંડપ, ત્રિકમંડપ અને મુખચોકી ધરાવતું ‘સાંધારપ્રાસાદ' છે. પૂર્વે આના અગ્રભાગમાં ૨૪ દેવકુલિકા સહિતનો રંગમંડપ હતો. શ્રી મધુસૂદન ઢાંકી આને ‘મારુગુર્જર’ સ્થાપત્યશૈલીની મેદપાટ પરિપાટીનું ગણાવીને ૧૦મી સદીના મધ્યભાગમાં મૂકે છે.
જૈસલમેરના કિલ્લામાં હવાપોળમાં પીળા પથ્થરનાં બાંધેલાં સાત જૈન મંદિરોનું એક ઝૂમખું છે, જેની વિગત આ પ્રમાણે છે : (૧) ‘લક્ષ્મણવિહાર' અથવા શ્રી ચિંતામણિ
For Private & Personal Use Only
www.jainelibrary.org