SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૨૮૧ અંતરાલ, ગૂઢમંડપ અને મુખચતુષ્કીનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતીય મંદિર-સ્થાપત્યના અભ્યાસીઓ માટે અનિવાર્ય મનાતા ખજુરાહો (જિ. છતરપુર)માં પથરાયેલાં કુલ ૨૨ મંદિરોમાં ચાર દિગંબર સંપ્રદાયનાં જેન મંદિરો પણ છે. આમાંનું પાર્શ્વનાથનું મંદિર ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને અધમંડપ સહિતનું ‘સાંધાર પ્રાસાદ' (૧૧મી સદી) છે. મૂળનાયક પાર્શ્વનાથની શ્યામ આરસની પ્રતિમા ૧૯મી સદીમાં પ્રતિષ્ઠિત થયેલી છે, પરંતુ પૂર્વે આ મંદિરના અસલ મૂળનાયક તરીકે શ્રી આદિનાથની ચતુર્વિશતિપટ્ટવાળી પ્રતિમા હતી. આની બાજુમાં કદમાં નાનું શ્રી આદિનાથ મંદિર (૧૦-૧૧મી સદી) આવેલું છે, જે “નિરંધર પ્રાસાદ' છે. તેના ગર્ભગૃહ અને અંતરાલ સિવાયના બાકીના વિભાગો જેમના પર ચૂનાનો થર ચડાવેલો છે તે પશ્ચાત્કાલીન છે. મૂળનાયકની પ્રતિમા પણ પશ્ચાત્કાલીન છે. શાંતિનાથ મંદિર (૧૨મી સદી)માં મૂળનાયકની પ્રતિમા ૧૪ ફૂટ ઊંચી છે. ચોથા ઘંટાઈ–મંદિરના જીર્ણશીર્ણ અવશેષો જ બચ્યા છે. તેના સ્તંભો ઉપર ઘંટડીઓની કળાત્મક કોતરણી હોવાથી તેને “ઘંટાઈ’ નામ મળ્યું છે. આના અવશેષોમાં ત્રિશલા માતાનાં ૧૪ સ્વપ્નોનું અંકન ખાસ ધ્યાન ખેંચે છે. પ્રવેશદ્વાર પર ગરુડારૂઢ અષ્ટભુજા દેવીની શિલ્પાકૃતિ વિશિષ્ટ છે. ઉત્તરપ્રદેશના દેવગઢ (જિ. ઝાંસી)ના કિલ્લામાં ૯મીથી ૧૨મી સદીનાં ૩૧ જૈનમંદિરોનો સમૂહ છે. આમાંનાં ત્રણ સિવાયનાં બધાં મંદિરો કદમાં નાનાં અને સાદાં છે. મોટાભાગનાં પ્રવેશ-મંડપ અને સપાટ છતવાળાં ચોરસ યા લંબચોરસ છે. આમાંનાં બે મંદિરો જ સ્થાપત્ય શોભા ધરાવે છે. તેમાં ‘પંચરથ' પ્રકારનાં પ્રભાવક શિખરવાળા પ્રતિહાર શૈલીનાં મંદિર (૯મી સદી)માં મૂળનાયક શ્રી શાંતિનાથની કાયોત્સર્ગ મુદ્રામાં પાંચ મીટર ઊંચી પરિકરવાની પ્રતિમા બેસાડેલી છે. છત્તીસગઢના અરંગ (જિ. રાયપુર)માં “ભાંડ દેવતા'ના નામે ઓળખાતું જૈન મંદિર (૧૧મી સદી) કલચુરી શૈલીનું છે. મંડપ આદિ કાળગ્રસ્ત થતાં તેનું પાંચ માળના શિખરથી શોભતું ભૂમિ' પ્રકારનું ગર્ભગૃહ બચ્યું છે. તેમાં કાળા બેસોલ્ટ પથ્થરની શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથની કાયોત્સર્ગ મુદ્રામાં પ્રતિમાઓ સ્થાપિત થયેલી છે. જૈન મંદિરોની સંખ્યા, ઐતિહાસિકતા અને ઉત્કૃષ્ટતાની બાબતમાં ઉત્તર ભારતમાં રાજસ્થાન સર્વોપરી છે. ગુજરાતની લગોલગ આવેલા માઉન્ટ આબુ (= અર્બુદગિરિ) ઉપર દેલવાડા ગામે (જિ. સિરોહી) આવેલો મંદિર-સમૂહ કળાપ્રેમીઓ માટે તીર્થ સમાન છે. આમાંનું શ્રી આદિનાથનું શ્વેત આરસનું બનેલું વિમલ-વસતિ પશ્ચિમ ભારતનું જૂનામાં જૂનું હયાત (ઈ.સ. ૧૦૩૨) જૈનમંદિર છે. તેનાં ગર્ભગૃહ, ગૂઢમંડપ અને ત્રિકમંડપ મૂળભૂત છે, જ્યારે બાકી : ભાગો ૧૩મી સદીમાં ઉમેરાયા છે. આની બાજુમાં આવેલું શ્રી નેમિનાથનું સફેદ આરસનું જ ‘લૂણવસહિ' (૧૨મી સદી) તેના નૃત્યમંડપની સર્પાકાર ‘વંદનમાલિકા' તથા કળાત્મક ઘુમ્મટની મનમોહક પઘશિલા માટે સુખ્યાત છે. આ બંને મંદિરોની યોજના એક સમાન છે. બંને બાહ્ય દેખાવમાં સાદાં પણ અંદરના ભાગમાં શિલ્પ–સુશોભનોથી સમૃદ્ધ છે, બંને લંબચોરસ પ્રાંગણમાં દેવકુલિકાઓથી ઘેરાયેલાં છે, બંનેના મધ્યસ્થ મુખ્ય દેવાલય પર પિરામિડ આકારનાં શિખર છે અને બંને ખંભાધારિત સભાખંડ ધરાવે છે, જે આઠ સ્તંભો પર ટકેલા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy