________________
૨૮૦
ધન્ય ધરા:
ધરાવતો આ પાંચ મંદિરોનો સમૂહ છે. તેમાં શ્રી મહાવીરનાં બે તથા બાકીનાં ત્રણ આદિનાથ, શાંતિનાથ અને નેમિનાથનાં છે.
શ્રવણબેલગોળની જેમ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના મૂડબિદ્રી, કાર્કલ અને વેણુર પણ દિગંબર જૈન સંપ્રદાયનાં મહાન કેન્દ્રો તરીકે કીર્તિત છે. દક્ષિણના જૈન-કાશી તરીકે જે જાણીતું છે તે મૂડબિદ્રીમાં ૧૮ જૈન મંદિરો (બસતિ) છે. તેમાં ‘ત્રિભુવન તિલક ચૂડામણિ' (ઈ.સ. ૧૪૩૦) છે મંડપો અને ત્રણ માળ ધરાવતું અત્યંત વિશાળ અને ભવ્ય મંદિર છે. આ મંદિર પૂર્વવર્તી કાષ્ઠમંદિરોની પરિપાટીમાં પ્રસ્તરમંદિરનાં તત્ત્વોનો સમન્વય સાધતું હોઈ શિખરને સ્થાને બૌદ્ધ પેગોડા કે નેપાળનાં મંદિરોના જેવી ઢળતી છતો તેની વિશિષ્ટતા છે. તેની બીજી વિશિષ્ટતા સ્તંભોની વિપુલતા છે, જેને કારણે તેને હજાર થાંભલાવાળું મંદિર પણ કહે છે. ગર્ભગૃહમાં શ્રી ચંદ્રપ્રભુની અષ્ટધાતુની બનાવેલી આઠ ફૂટ ઊંચી પ્રતિમા છે. મંદિરની સામે ૫૦ ફૂટ ઊંચો માનસ્તંભ છે. મૂડબિદ્રીનું બીજું મહત્ત્વનું મંદિર “ગુરુબસતિ' યા સિદ્ધાંતમંદિર' છે. તેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથની શ્યામ શિલામાંથી નિર્મિત ૯ ફૂટ ઊંચી પ્રતિમા તથા મૂલ્યવાન ધાતુઓ અને રત્નોથી બનેલી જિનોની ૩૪ લઘુપ્રતિમાઓ છે. કાર્કલમાં ગ્રેનાઇટ પથ્થરમાંથી બાંધેલા “ચતુર્મુખ–બસતિ' (૧૮મી સદી)માં ચાર દિશાના દરેક દ્વારની સામે શ્યામ પથ્થરમાંથી કોતરેલી અરનાથ, મલ્લિનાથ અને મુનિસુવ્રતસ્વામીની એક સરખી ત્રણ મૂર્તિઓની સાથે કુલ બાર મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. આ મંદિર શિખરરહિત છે. તેથી તેની ગણના “સર્વતોભદ્ર' વર્ગમાં વિરલ એવા મુંડ પ્રાસાદ' પ્રકારમાં થાય છે. ભટકળનું (જિ. દક્ષિણ કન્નડ) “જત્તપ્પા નાયકન ચંદ્રણા તેસ્વર બસતિ' બે ઇમારતોનું બનેલું અને મધ્યમાં આવેલી મંડપિકાથી જોડાયેલું છે.
બસતિહલ્લી (જિ. હાસન)માં પાર્શ્વનાથ, શાંતિનાથ અને આદિનાથનાં એમ ત્રણ મંદિરો (૧૨મી સદી) છે. પહેલાં બે હોયસળ શૈલીનાં અને ત્રીજું દાક્ષિણાત્ય વિમાન પ્રકારનું છે. મક્લીની હોયસળ સ્થાપત્યની “પંચકૂટબસતિ' (૧૨મી સદી)માં આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, પુષ્પદંત અને સુપાર્શ્વનાથની પ્રતિમાઓ છે. હળબિડુ (પ્રાચીન કારસમુદ્ર, જિ. હાસન)માં એક કાળે ૧૨૦ જૈન મંદિરો હોવાની અનુશ્રુતિ છે. હાલ ફક્ત ત્રણ મંદિરો–પાર્શ્વનાથ, આદિનાથ અને શાંતિનાથનાં છે. પાર્શ્વનાથ-મંદિરમાં મૂળનાયકની ૪.૨૭ મીટર ઊંચી શ્યામ પથ્થરની પ્રતિમા છે.
લમેશ્વર (જિ. ધારવાડ) ક્યારેક પશ્ચિમ કર્ણાટકમાં જૈન ધર્મનું કેન્દ્ર હતું. અહીંનાં બે મંદિરો–શંખબસતિ અને આદિનાથબસતિ-ખંડિત દશામાં પણ તેમની મૂળ વિશાળતાનો અંદાજ આપે છે. તે “ચોવીશી’ અને ‘ચૌમુખ એ બંને પ્રકારોનો સમન્વય સાધે છે. લાક્ડી (જિ. ધારવાડ)નું બ્રહ્મજિનાલય (૧૧મી સદી) શીસ્ટ પથ્થરમાં બાંધેલું છે. ચતુષ્કોણ તલમાનમાંથી ત્રણ માળના “ચતુરઐશિખરમાં વિકસતું આ મંદિર પશ્ચિમી ચાલુક્યોના આરંભિક કાળનું દૃષ્ટાંત છે.
ઐઠોળે (જિ. બીજાપુર)ના મેગુટી–મંદિર (૭મી સદી)ના મૂળનાયક શ્રી મહાવીર છે. તેની સુવિકસિત સ્થાપત્યશૈલીના કારણે ચાલુક્ય મંદિરોમાં તેને અગ્રસ્થાન મળ્યું છે. ઐહોળનાં અન્ય જૈન મંદિરો યોગીનારાયણ-સમૂહ, ચારન્ટીમઠ અને વેરૂયલારગુડીનાં છે. આમાંનું ચારન્ટી-મઠ (૧૧મી સદી) દાક્ષિણાત્ય શૈલીના ‘વિમાન' પ્રકારનું મહાવીર-મંદિર છે. પત્તડકળ (જિ. બીજાપુર)નું ત્રણ માળનું જિનાલય (૮મી સદી) તલથી શિખર સુધીની ચતુષ્કોણાકાર રચનાને લીધે દર્શનીય છે. હુલુર (જિ. બીજાપુર)ના એક મંદિરની (૭મી સદી) બાંધણી મેગુટીના પૂર્વોક્ત મંદિરના જેવી જ હોવાથી તે પણ મેગુટીમંદિરના નામે ઓળખાય છે. હેગેરે (જિ. તુમકુર)નું પાર્શ્વનાથબસતિ (૧૨મી સદી) હોયસળ કળાનો સુંદર નમૂનો છે. હમ્પી (પ્રાચીન વિજયનગર, જિ. બેલારી)નાં જૈન મંદિરોમાં ગણિગટ્ટી-મંદિર (૧૪મી સદી) કુંથુનાથને સમર્પિત છે. તેની સામે ઊંચો માનસ્તંભ પણ છે.
મધ્યપ્રદેશના ગ્યારસપુર (જિ. વિદિશા)માં આવેલું માલાદેવી-મંદિર (૯મી સદી) પ્રતિહાર સ્થાપત્યકળાનું ઉત્તમ દૃષ્ટાંત છે. ગર્ભગૃહ, પ્રદક્ષિણામાર્ગ, અંતરાલ, મંડપ અને મુખમંડપ સહિતના આ “સાંધાર પ્રાસાદમાં પંચરથ' તલમાન ધરાવતા ગર્ભગૃહ પર નાગર શૈલીનું શિખર છે. ગર્ભગૃહના પ્રવેશદ્વાર અને પ્રદક્ષિણામાર્ગમાં કાયોત્સર્ગ મુદ્રામાં જિનમૂર્તિઓ પંક્તિબદ્ધ ઉત્કીર્ણ થયેલી છે. બાણપુર (જિ. ટિકમગઢ)માં ‘સર્વતોભદ્ર-સહસ્ત્રકૂટ’ પ્રકારનું ચાર દિશામાં ચાર દ્વારા ધરાવતું એક નાગર શૈલીનું જૈન મંદિર આવેલું છે. એમાં સરસ્વતી અને નવગ્રહનાં શિલ્પાંકનો સુંદર છે અને મૂળનાયક શ્રી આદિનાથ છે. બડવાની પાસેના ચૂલગિરિ (જિ. પશ્ચિમ નિમાડ)માં ૨૨ જૈનમંદિરો છે. ઉન (જિ. પશ્ચિમ નિમાડ)માં ગુજરાત-નરેશ કુમારપાળના યુગની ચૌલુક્ય શૈલીનું શ્રી શાંતિનાથ મંદિર (૧૨મી સદી) આવેલું છે. તેની બાંધણીમાં પંચરથ ગર્ભગૃહ,
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal Use Only
www.jainelibrary.org