SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૨૦૯ ગુફા મંદિરોની જેમ ઇમારતી મંદિરોનું પ્રાચીનતમ દષ્ટાંત પણ તમિળનાડુમાં સચવાયું છે. તે છે કાંચીપુરમના ઉપનગર તિરુપ્પરુત્તિક્લનરનું (જે જૈન-કાંચીના નામે પણ ઓળખાય છે.) પલ્લવકાલીન મંદિર (૮મી સદી). કળામય કોતરણીથી શોભતા ઊંચા ચોતરા ઉપર બાંધેલું આ બે માળનું મંદિર શ્રી ચંદ્રપ્રભુનું છે. મંદિરના પહેલા માળે ખુલ્લો પ્રદક્ષિણામાર્ગ છે. આ માળના ઉપલા ભાગમાં લઘુ મંદિરોની હારમાળા છે, જેની ઉપર બેઠેલા તીર્થકરો અંકિત છે અને તેના ચતુષ્કોણ શિખરની ચાર બાજુએ તીર્થકરની આકૃતિ કોતરેલી છે. | વિજયમંગલમ્ (જિ. કોઈમ્બતુર)ની પાસેના સુપુદરા ગામમાં ગંગ કાળનું શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર છે. આના અધમંડપ અને મહામંડપ પથ્થરના છે જ્યારે ‘વિમાન' ટેરી છે. અંદર ૨૪ તીર્થકરો, વાલ, નર્તકો, વૃષભો અને અશ્વોનાં શિલ્પો ધ્યાન ખેંચે છે. તિરૂમલે (જિ. ઉત્તર આર્કોટ)માં શ્રી વર્ધમાન અને શ્રી નેમિનાથને સમર્પિત કરેલાં બે મંદિરો છે. આંધ્રપ્રદેશમાં પ્રદર. કબડર, પાણી, ચિપ્પગિરિ. પદ્દતુમ્બલમ્, વર્ધમાનપુર, પ્રગતુર વગેરે સ્થળોનાં જૈન મંદિરો ઉલ્લેખનીય છે. આમાંથી વર્ધમાનપુર અને પ્રગતુરનાં મંદિરો ત્રિકુટાચલ' પ્રકારનાં છે. જૈન અનુશ્રુતિ અનુસાર દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો પ્રવેશ ઈ.પૂર્વે ચોથી સદીમાં શ્રુતકેવલી આચાર્ય ભદ્રબાહુના નેતૃત્વમાં ગયેલા અને શ્રવણબેલગોળમાં સ્થિર થયેલા આપત્તિગ્રસ્ત સ્વદેશયાગીઓથી થયેલો. તેનો ઉલ્લેખ નવસો વર્ષ પછીના અહીંના સ્થાનિક શિલાલેખમાં મળે છે. કર્ણાટકનાં જૈન ઇમારતી મંદિરોના બે પ્રકાર છે : પહેલો પ્રકાર “બસતિ' યા “બસદિ' કહેવાય છે, જેમાં ખંભાધારિત મંડપ અને ગર્ભગૃહ હોય છે પણ પ્રદક્ષિણામાર્ગ હોતો નથી. બીજા પ્રકારને “બેટ્ટ’ કહે છે, જે મુખ્યત્વે ડુંગર કે ઊંચા ટેકરા ઉપર હોય છે. આ પ્રકારમાં બંધ પ્રાંગણમાં મંડપ અને ગર્ભગૃહ ઉપરાંત ગોમ્મટ અર્થાતુ બાહુબલિની ખગ્રાસન મૂર્તિ પ્રતિષ્ઠિત હોય છે. “બેટ્ટ' પ્રકારનાં મંદિરો કર્ણાટકમાં શ્રવણબળગોળ, વેણુર, કાર્કલ, ગોમ્મટગિરિ વગેરે સ્થળે આવેલાં છે. કર્ણાટકનાં આરંભિક ઇમારતી મંદિરો શ્રવણબેલગોળ (જિ. હાસન)ના ચંદ્રગિરિની ટોચ પર લગભગ એક સમાન દેખાવ ધરાવતાં ૧૩ બસતિમંદિરો છે. તેમાંનું પાર્શ્વનાથ–બસતિ ૯મી સદીનું અને સહુથી પુરાણું છે. તેમાં સ્થાપિત મૂળનાયકની જિનમંદિરો ભારતના સાંસ્કૃતિક ખજાનાનાં બેનમૂન પ્રતીકો છે. આ ખજાનો આપણને વારસામાં મળ્યો છે. પ્રતિમા ૧૫ ફૂટ ઊંચી છે. આદિનાથને સમર્પિત કટ્ટાલેબસતિ વિશાળ હોવાની સાથે પ્રદક્ષિણામાર્ગ ધરાવતું એકમાત્ર બસતિમંદિર છે. ચંદ્રગુપ્ત–બસતિના અગ્રભાગના દ્વાર આગળ ચંદ્રગુપ્ત મૌર્ય અને આચાર્ય ભદ્રબાહુને સાંકળતી કથાનાં શિલ્પો તેમજ અન્ય રેખાંકનો છે. ચામુંડરાય–બસતિ શ્રી નેમિનાથનું મંદિર (૧૦મી સદી) છે અને સ્થાનિક મંદિરોમાં સહુથી વિશાળ અને સુંદર કારીગરીવાળું છે. તે ત્રણ માળનું ચતુષ્કોણ દ્રવિડ ‘વિમાન' ચંદ્રગિરિની બાજુમાં આવેલા ઇન્દ્રગિરિ અથવા વિધ્યગિરિ ઉપર ૧૭મી સદીનાં ચાર “બસતિ' છે. આ ગિરિ પર ઉત્કીર્ણ ગોમ્પટેશ્વરની વિશ્વવિખ્યાત વિરાટ પ્રતિમાની વિગત શિલ્પવિષયક લેખમાં આગળ આપી છે. આ બંને ગિરિની વચ્ચે તળેટીમાં વસેલા શ્રવણબળગોળ ગામમાં ૧૨મી સદીનાં બસતિ-જિનાલયો આવેલાં છે. આમાંનું ‘ભંડારીબસતિ' ચોવીસ-તીર્થંકર-મંદિર છે. તેના ગર્ભગૃહમાં લાંબી અલંકૃત પીઠિકા ઉપર ૨૪ તીર્થકરોની કાયોત્સર્ગી મૂર્તિઓની હાર છે.. શ્રવણબેળગોળની લગોલગ આવેલા ગામ જિનનાથપુરમાં શાંતિનાથ-બસતિ કર્ણાટકના હોયસળ સ્થાપત્યનો સુંદર નમૂનો છે. અહીંથી થોડેક દૂર આવેલ કંબડહલ્લીનું પંચકૂટ-બસતિ' દક્ષિણના ‘વિમાન' પ્રકારના સ્થાપત્યનું ઉત્તમ દષ્ટાંત છે. પ્રાકારથી ઘેરાયેલો અને ગોપુરદ્વાર Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy