________________
૨૮
પણ સમાવેશ થાય છે. તેમાં ‘ઇન્દ્રસભા’ના નામે જાણીતું મંદિર ચતુષ્કોણ તલમાન અને અષ્ટકોણ શિખર ધરાવતું ‘વિમાન’ છે. આ બે માળનું જિનાલય ખડકની ઉપલી સપાટીથી આશરે ૨૦૦ ફૂટ જેટલું ઊંડું ખોદેલું છે. ખડકમાંથી જ કોતરેલા ગોપુરદ્વારમાંથી મંદિરના પ્રાંગણમાં પ્રવેશાય છે. મંદિરની સન્મુખ ખડકમાંથી કોતરેલો માનસ્તંભ છે, જેની ડાબી બાજુએ તીર્થંકર શાંતિનાથની બે વિશાળ મૂર્તિઓ છે. બીજા છેડે ઉપરના માળે આવેલા ખંડમાં કોતરકામથી ભરપૂર બાર સ્તંભો પર ચોવીસ તીર્થંકરોની મૂર્તિઓ કોતરેલી છે. મંદિરના બંને માળમાં તીર્થંકરો ઉપરાંત ગોમ્મટ (= બાહુબલિ), કુબેર, અંબિકા અને યક્ષોની મૂર્તિઓ કોતરેલી છે. મંદિરના મૂળનાયક શ્રી મહાવીર છે. મંદિરની દીવાલો અને છત પરનાં આકર્ષક ભીત્તિચિત્રોમાં ઊડતાં ગંધર્વો અને વિદ્યાધર–યુગલો અને એક અષ્ટબાહુ દેવનાં ચિત્રો ઉલ્લેખનીય છે. ઇલોરાનું બીજું શૈલોત્કીર્ણ મંદિર ‘જગન્નાથસભા’(૯મી-૧૦મી સદી) છે, જે મહદ્અંશે ‘ઇન્દ્રસભા’ને જ અનુસરતું બે માળનું સ્થાપત્ય છે, પણ કદ અને સૌંદર્યમાં ઊતરતું છે. આમાં જૈન શૈલીને અનુરૂપ કોતરણીથી સમૃદ્ધ સ્તંભો અને ભીંતોમાં જિનમૂર્તિઓ છે. મંદિર શ્રી સુમતિનાથને સમર્પિત છે. ત્રીજું નોંધપાત્ર મંદિર ‘ચૌમુખ’નું છે.
ITOWER
ધૂપ-દીપથી વાસિત અને ફૂલોની સુગંધથી મહેકતાં સ્વચ્છ સુઘડ મંદિરોના મધુર વાતાવરણમાં ભગવાનનાં દર્શનમાત્રથી અવિકસિત આત્માઓમાં ચેતના જાગૃત થાય છે.
ઉડીસાની ખંડિઝિરની ગુફાઓ, જેમાં પ્રાચીન યુગમાં
Jain Education International
ધન્ય ધરા
શ્રમણોના વિહારો હતા, તેમાં છૂટી કે દીવાલમાં કોતરેલી જિનમૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરીને મધ્યયુગમાં મંદિરોમાં ફેરવવામાં આવી હતી. આ ગુફામંદિરો ૧૦મી–૧૧મી સદીનાં
છે.
ઇમારતી મંદિરો ઃ
જૈન ધર્મસંઘની સર્વ પ્રવૃત્તિઓને સાત ક્ષેત્રોમાં વહેંચવામાં આવી છે અને તેમાં પ્રથમ બે ક્ષેત્રો—જિનમંદિર અને જિનમૂર્તિ—માટે ‘દેવદ્રવ્ય'ના નામે સંયુક્ત ભંડોળ ફાળવવામાં આવે છે. આ ભંડોળનાં નાણાં દેવમંદિરો અને જિનપ્રતિમાઓના નિર્માણમાં ખર્ચવામાં આવે છે. આથી જૈન સાંસ્કૃતિક સંપત્તિનું સહુથી પહેલું આંખે ચડતું કોઈ અંગ હોય તો તે ભારતનાં દરેક શહેર અને કસબામાં જોવા મળતાં જૈન મંદિરો છે.
કળા–સર્જનનાં અન્ય ક્ષેત્રોમાં બન્યું છે તેમ જૈનમંદિરોનું નિર્માણ પણ જે તે પ્રદેશ અને યુગની પ્રચલિત શૈલીમાં થયું છે, બાહ્ય દેખાવમાં હિંદુ મંદિર જેવાં જ લાગતાં જૈન મંદિરોની લાક્ષણિકતા તેનાં આંતરિક સુશોભનોની વિપુલતા, સ્તંભોની બહુલતા અને મૂળ સ્વરૂપના પુનરાવર્તનમાં સમાયેલી છે. તેમાંયે ઉત્તર ભારતનાં આરસ પાષાણથી બાંધેલાં જૈન મંદિરોમાં બાહ્ય સુંદરતાની સાથે મંદિરની અંદરનું શાંત અને પવિત્ર વાતાવરણ આધ્યાત્મિક પ્રસન્નતાનો ભાવ જન્માવે છે.
કર્મક્ષય દ્વારા આત્માના ઊર્ધીકરણના માર્ગે મોક્ષપ્રાપ્તિ પ્રબોધતા જૈન ધર્મના નિવૃત્તિવાદને અનુલક્ષીને ઐતિહાસિક મહત્ત્વનાં ઘણાંખરાં જૈન મંદિરો પ્રવૃત્તિમય નગરજીવનથી દૂર પ્રકૃતિના ખોળે વન, પર્વત કે ખુલ્લા વિસ્તારના શાંત રમણીય વાતાવરણમાં બાંધવામાં આવ્યાં છે. જૈન મંદિરોની આ વિશિષ્ટતા છે. તેમનું બીજું ધ્યાનાકર્ષક પાસું મંદિરોની સમૂહમાં કરવામાં આવતી રચના છે. આવા મંદિર--સમૂહનાં નોંધનીય ઉદાહરણો ગુજરાતમાં શત્રુંજય, ગિરનાર અને કુંભારિયા; રાજસ્થાનમાં દેલવાડા (આબુ), જાલોરગઢ (સુવર્ણગિરિ), જૈસલમેરની હવાપોળ, નાકોડા તીર્થ (નગર), રાણકપુર; મધ્યપ્રદેશમાં સોનગઢ, ખજુરાહો, કુંડલપુર, પૌરા, ફૂલગિર; ઉત્તર પ્રદેશમાં દેવગઢ; ઝારખંડમાં પારસનાથિંગર (સમેતશિખર); મહારાષ્ટ્રમાં મુક્તગિરિ અને કર્ણાટકમાં શ્રવણબેળગોળ, ઐહોળે અને મૂડબિદ્રી છે. આ તમામમાં શત્રુંજયગિર તેની નવ ટૂકો પર છવાયેલાં બહુસંખ્ય મંદિરોને લીધે ‘મંદિર-નગરી’ની જેમ શોભે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org