SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરાઃ અંગ’ના રૂપમાં અર્ધમાગધી ભાષામાં સૂત્રબદ્ધ કરીને જાળવી રાખેલા. આ જ્ઞાનનું શિષ્ય-પ્રશિષ્ય પરંપરાથી કંઠસ્થ રાખીને જતન કરવામાં આવેલું. પ્રાચીન કાળમાં આ અંગ–સાહિત્ય શ્રુત'ના નામે ઓળખાતું હતું. ગણિપિટક, પ્રવચન, બદ્ધસૂત્ર, દ્વાદશાંગ આદિ પણ તેનાં નામાંતરો હતાં. આ અંગોની સંખ્યા બારની હોવાથી તે ‘દ્વાદશાંગ'ના નામે વધુ જાણીતા બન્યાં છે. મહાવીરોત્તર કાળમાં ધર્મ-પ્રચારની પ્રવૃત્તિને વેગ મળતાં અન્ય સ્થવિરોના ઉપદેશનું પણ સાહિત્ય રચાયું અને તેનું વ્યાખ્યા-સાહિત્ય પણ રચાયું. તેથી આ બધાનો યે આગમસાહિત્યમાં સમાવેશ કરવામાં આવ્યો, કારણ કે તે તીર્થકરો દ્વારા પ્રબોધિત મૂળ વિચારધારાને જ અનુસરતું હતું. સમય વીતવાની સાથે આગમ સાહિત્યની વૃદ્ધિ થતાં તેનું વર્ગીકરણ કરવાની જરૂર ઊભી થઈ. તેના પ્રાથમિક વર્ગીકરણમાં ગણધરોએ રચેલાં શાસ્ત્રોના વર્ગ (‘અંગ’)ને “અંગપ્રવિષ્ટ' કહેવામાં આવ્યો તથા તે સિવાયનો શાસ્ત્રવર્ગ ‘અંગબાહ્ય' તરીકે માન્ય થયો. અંગપ્રવિષ્ટ આગમ ગ્રંથો (= બાર અંગો) :-તર જૈન ધર્મના બધા પંથોએ માન્ય રાખેલા ગણધરો દ્વારા લિખિત બાર અંગો આ છે : (૧) આચાર. (૨) સૂત્રકૃત. (૩) સ્થાન. (૪) સમવાય. (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ. (૬) જ્ઞાતૃધર્મકથા. (૭) ઉપાસકદશા. (૮) અંતકૃદશા. (૯) અનુત્તરોપતિક દશા. (૧૦) પ્રશ્નવ્યાકરણ. (૧૧) વિપાક સૂત્ર. (૧૨) દૃષ્ટિવાદ (આ અંગ લુપ્ત થઈ ગયું છે). અંગબાહ્ય આગમ-ગ્રંથો : શ્વેતામ્બર મત મુજબ ૧૨ ઉપાંગ, ૧૦ પ્રકીર્ણક, ૬ છેદસૂત્ર, ૪ મૂલ અને ૨ ચૂલિકાસૂત્ર મળીને કુલ ૩૪ અંગબાહ્ય - આગમ-ગ્રંથો છે. તેમની સૂચિ આ પ્રમાણે છે : ઉપાંગ –(૧) ઔપપાતિક. (૨) રાજપ્રશ્નીય. (૩) જીવા- ભિગમ. (૪) પ્રજ્ઞાપના. (૫) સૂર્યપ્રજ્ઞપ્તિ. (૬) જમ્મુદ્વીપપ્રજ્ઞપ્તિ. (૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ. (૮) નિરયાવલી. (૯) કલ્પાવતંસિકા. (૧૦) પુષ્મિકા. (૧૧) પુષ્પચૂલિકા. (૧૨) વૃષ્ણિ દશા. પ્રકીર્ષક (૧) ચતુઃ શરણ. (૨) આતુરપ્રત્યાખ્યાન. (૩) ભક્તપરિશા. (૪) સંસ્તારક. (૫) તંદુલવૈચારિક. (૬) ચંદ્રવેધ્યક. (૭) દેવેન્દ્રસ્તવ. (૮) ગણિવિદ્યા. ૯) મહાપ્રત્યાખ્યાન. (૧૦) વીરસ્તવ.૧ છેદસૂત્ર –(૧) નિશીથ. (૨) મહાનિશીથ. (૩) વ્યવહાર. (૪) દશાશ્રુતસ્કંધ. (૫) બૃહત્કલ્પ. (૬) જીતકલ્પ. મૂલઃ-(૧) ઉત્તરાધ્યયન. (૨) દશવૈકાલિક. (૩) આવશ્યક. (૪) પિંડનિર્યુક્તિ. ચૂલિકાસૂત્ર :-(૧) નંદીસૂત્ર. (૨) અનુયોગદ્વાર. શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાય દૃષ્ટિવાદ સિવાયનાં ૧૧ અંગો અને ઉપર મુજબનાં ૧૨ ઉપાંગોને માને છે. તે ઉપરાંત નીચેના ૮ ગ્રંથોને અંગબાહ્ય રૂપે માન્ય રાખે છે : છેદ –(૧) વ્યવહાર. (૨) બૃહત્કલ્પ. (૩) નિશીથ. (૪) દશાશ્રુતસ્કંધ. મૂલ –(૧) દશવૈકાલિક. (૨) ઉત્તરાધ્યયન. (૩) નંદી. (૪) અનુયોગ. દિગંબર સંપ્રદાયની માન્યતા અનુસાર તીર્થંકર પ્રણિત આગમનો વીરનિર્વાણ પછી હ્રાસ થતો ગયેલો. હાલ ૧૧ અંગો સહિતના જે આગમ—ગ્રંથો મળે છે તે મૂળ રૂપમાં નથી પણ પાછળથી લખાયેલા છે, કારણ કે વીરનિર્વાણના ૬૮૩મા વર્ષે આચારાંગધારી આચાર્ય લોહ કાળધર્મ પામતાં કોઈ “અંગધર' કે પૂર્વધર’ આચાર્ય રહ્યા ન હતા. જે આચાર્યો થયેલા તે “અંગ’ કે ‘પૂર્વના અંશના જ જ્ઞાતા હતા. આમ છતાં બીજા પૂર્વ અગ્રાયણીય’ના અંશના આધારે પુષ્પદંત અને ભૂતબલિ નામના આચાર્યોએ રચેલા “પખંડાગમ’ તથા પાંચમાં પૂર્વ ‘જ્ઞાનપ્રવાહના અંશ પર આધારિત આચાર્ય ગણધરની રચના ‘કષાયપાહુડ'ને દિગંબરોએ માન્ય રાખી છે. આ ઉપરાંત દિગંબરોએ કેટલાક ગ્રંથોને આગમ જેટલા જ મહત્ત્વના ગણીને તેમને “જૈન વેદ'નું નામ આપી ચાર અનુયોગોમાં નીચે પ્રમાણે વિભક્ત કર્યા છે : પ્રથમાનુયોગ –(૧) પદ્મપુરાણ (રવિણનું). (૨) હરિવંશપુરાણ (જિનસેનનું). (૩) આદિપુરાણ (જિનસેનનું). (૪) ઉત્તરપુરાણ (ગુણભદ્રનું). કરણાનુયોગઃ-(૧) સૂર્યપ્રજ્ઞપ્તિ. (૨) ચંદ્રપ્રજ્ઞપ્તિ. (૩) જયધવલ. ૧. ૧૦ પ્રકીર્ણકોમાં થોડાક ફેરફાર સાથેનાં નામ પણ જોવા મળે ૨. કેટલાક પિંડનિર્યુક્તિને સ્થાને ઓશનિયુક્તિ ગણાવે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy