SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ શ્રમણ ભગવાન મહાવીરનું પાવાપુરી (બિહાર)માં નિર્વાણ થયું હોવાથી જૈનો દિવાળીની રાત્રિ પવિત્ર સ્તોત્રોના ઉચ્ચરણ અને મહાવીર પ્રભુના ધ્યાનમાં વિતાવે છે. તેને બીજે દિવસે કાર્તિક સુદ પડવાના પરોઢિયે તેમના પ્રથમ શિષ્ય ગણધર ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયું હોવાથી બેસતા વર્ષના દિવસે જૈનો દિવાળીની ઉજવણી નવ સ્મરણસ્તોત્રોની ભક્તિ અને ગૌતમ સ્વામીના રાસના શ્રવણથી કરે છે. ભાઈબીજ :—શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણથી તેમના ભાઈ રાજા નંદિવર્ધન ઘેરા દુઃખ અને સંતાપમાં ડૂબી જતાં બહેન સુદર્શના કાર્તિક સુદ બીજના દિવસે તેમને પોતાને ઘરે લઈ ગઈ હતી. તેથી આ દિવસને જૈનો પણ ભાઈબીજ તરીકે ઊજવે છે અને બહેનો ભાઈને પોતાને ઘરે આમંત્રીને સત્કારે છે. જ્ઞાનપંચમી :—કાર્તિક સુદ પાંચમ જૈન ધર્મમાં ‘જ્ઞાનપંચમી' તરીકે ઊજવાય છે. આ દિવસે જ્ઞાનભંડારોના ગ્રંથોને સ્વચ્છ કરવામાં આવે છે, પવિત્ર શાસ્ત્રગ્રંથની વિધિપૂર્વક પૂજા-અર્ચા-વંદના કરવામાં આવે છે અને દાનરૂપે ભેટ મૂકીને જ્ઞાનભંડારોના સંરક્ષણ-સંવર્ધન માટે વપરાતા ‘જ્ઞાનદ્રવ્ય’માં ફાળો આપવામાં આવે છે. શ્વેતાંબરો જ્ઞાનની દેવી સરસ્વતીનું પૂજન કરે છે. આ ઉપરાંત પવિત્ર સ્તોત્ર-ઉચ્ચરણ, ઉપવાસ, પૌષધ–વ્રત, ધ્યાન, દેવવંદન અને પ્રતિક્રમણ પણ કરાય છે. કાર્તિક પૂર્ણિમા —કાર્તિક પૂર્ણિમાએ ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં જૈન સાધુ-સાધ્વીઓ વિહાર (= પદયાત્રા) પર નીકળી પડે છે. આ પાવનકારી દિવસે તીર્થાધિરાજ કહેવાતા શત્રુંજય ગિરિની યાત્રાનું મોટું માહાત્મ્ય છે. આથી સેંકડો જૈનો ત્યાં ઊમટી પડે છે. આ જ દિવસે વિ.સં. ૧૧૩૪ (ઈ.સ. ૧૦૭૮)માં કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સૂરિનો જન્મ થયેલો તેથી ઘણા એ રીતે પણ તેની ઉજવણી કરે છે. મૌન એકાદશી :—માગશર સુદ અગિયારશ જૈનોમાં મૌન એકાદશી તરીકે ઊજવાય છે. તેથી આ દિવસ તેઓ મૌન વ્રત ઉપરાંત ઉપવાસ, પૌષધ વ્રત, ધ્યાન આદિમાં પસાર કરે છે. આજના પર્વએ ૧૫૦ જિનેશ્વરોનાં જીવનની મહાન કલ્યાણક ઘટનાઓનાં ગુણગાન થાય છે. મૌન એકાદશી સાથે સુવ્રત શ્રેષ્ઠીની કથા સંકળાયેલી છે. મહાવીરજન્મકલ્યાણક:—ભગવાન મહાવીરનો જન્મ-કલ્યાણક (=જન્મદિન) ચૈત્ર સુદ તેરસના રોજ ઊજવાય છે. આ દિવસે રથયાત્રા, દેવવંદન, મહાવીર પ્રભુનાં ગુણગાન, Jain Education International ૨૬૯ શાસ્રશ્રવણ જેવા ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવથી ઊજવાય છે. શ્રી મહાવીરના જન્મસ્થળ ક્ષત્રિયકુંડ .(બિહાર)માં ભવ્ય ઉત્સવની ઉજવણી થાય છે. અક્ષય તૃતીયા —વૈશાખ સુદ ત્રીજના દિને પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભનાથે એક વર્ષના સળંગ ઉપવાસને અંતે પારણાં કર્યાં હોવાથી ‘વરસીતપ' કરનારા તપસ્વીઓ આજે શેરડીનો રસ પીને ઉપવાસ છોડે છે. શત્રુંજય તીર્થની યાત્રાએ જવા માટે અક્ષય તૃતીયા (=અખાત્રીજ) મંગળ દિન મનાય. છે. પોષ દશમીઃ—પોષ વદ દશમી ૨૩મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથનો જન્મદિન છે. જૈનો આ દિવસ અઠ્ઠમ’ (= ત્રણ દિવસના સળંગ ઉપવાસ), સ્તોત્ર ઉચ્ચરણ, ધ્યાન આદિ દ્વારા ઊજવે છે. આ તહેવારે શંખેશ્વર તીર્થ (મહેસાણા જિલ્લો)માં જૈનોનો મેળો ભરાય છે અને તેમાં સેંકડો શ્રદ્ધાવાન જૈનો અઠ્ઠમ તપ પાળે છે. અષાઢ ચતુર્દશી —અષાઢ સુદ ચૌદશથી પવિત્ર જૈન ચાતુર્માસનો આરંભ થવાથી સાધુ-સાધ્વીઓ એ દિવસે જ્યાં હોય ત્યાં જ કાર્તિક સુદ ચૌદશ સુધી રોકાઈ જાય છે. ચાતુર્માસ દરમિયાન અનેક ત્યાગ અને તપસ્યાપોષક ધાર્મિક આયોજનો હાથ ધરાય છે. જૈન ધાર્મિક સાહિત્ય જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને આવરી લેતા મૂળ ગ્રંથોને આગમ-સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં જૈન ધર્મનાં મૂળ સિદ્ધાંત–સૂત્રો તથા તેમના ઉપરના ભાષ્યાત્મક કે ટીકાત્મક સાહિત્યનો સમાવેશ થાય છે. જૈન દર્શનના સિદ્ધાંતો અંગે શ્વેતાંબર કે દિગંબર, સ્થાનકવાસી કે તેરાપંથ જેવા સંપ્રદાયોમાં કોઈ મતભેદ નથી. સંપ્રદાયોનાં ધાર્મિક સાહિત્યમાં થોડોક ભેદ છે, છતાં સંપ્રદાયોના તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ બદલાયા વગરનું રહે છે. સંપ્રદાયો વચ્ચે જે ભેદ છે તે આચાર બાબતે છે. જૈન પરંપરા જણાવે છે તે મુજબ શ્રમણ ભગવાન મહાવીરે જૈન ધર્મના સિદ્ધાંતોની જે સ્પષ્ટતા આપી હતી તેનું અગિયાર ગણધરોએ પ્રત્યક્ષ શ્રવણ કરેલું. એમાંના ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી અને સુધર્મા સ્વામી સિવાયના ગણધરો મહાવીર સ્વામીના જીવનકાળમાં જ નિર્વાણ પામેલા. તેથી આ બે શ્રુતકેવલીમાંના સુધર્માસ્વામીએ શ્રી મહાવીરના ઉપદેશોને બાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy