________________
૨૬૮
ધન્ય ધરાઃ
આમ સત્યતાને પૂર્ણતાથી પામવાની દૃષ્ટિને અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ કહે છે. સ્યાદ્વાદને બીજા શબ્દોમાં સાપેક્ષવાદ પણ કહી શકાય. વળી તેમાં સર્વતો ગ્રાહી દૃષ્ટિ હોવાથી તે યથાર્થવાદ પણ છે. તર્કશાસ્ત્રમાં સ્યાદ્વાદ અથવા અનેકાન્તવાદ વિશ્વને જૈનદર્શનનું અનોખું પ્રદાન છે.
જન પવો
દરેક ધર્મની સાથે તહેવારોની ઉજવણી સંકળાયેલી હોય છે અને જે તે ધર્મના અનુયાયીઓ ઉત્સાહભેર તેમાં ભાગ લે છે. સામાન્ય રીતે પર્વોની ઉજવણી ઉત્સવની માફક આનંદોલ્લાસના ઘોષ, ઉત્સાહ, મનોરંજન, ખાનપાન સહિતના મેળાવડારૂપે થતી હોય છે, પરંતુ જૈન પર્વોની ઉજવણી આથી વિપરીત રીતે એટલે કે શાંતિપૂર્વક મંત્રજાપ, તપ, ધ્યાન, ત્યાગ, ભક્તિ, શાસ્ત્રાભ્યાસ વગેરે દ્વારા થાય છે. જૈન પર્વોની આ લાક્ષણિકતા આ ધર્મના પાયાના સિદ્ધાંતો તપ અને ત્યાગની નીપજ છે. વર્ષ દરમિયાન આવતાં જૈન તહેવારો નીચે પ્રમાણે
(૧૦) દશાવકાશિક વ્રત (પ્રથમ આઠ વ્રતોના પાલનમાં લીધેલી
છૂટછાટોને ક્રમશઃ ઘટાડતાં જવું, જેથી તેના પાલનમાં
સ્થાયિત્વ આવે) (૧૧) પૌષધોપવાસ વ્રત (પૌષધ કરીને આધ્યાત્મિક સ્વાધ્યાયમાં
૨ત થવું). (૧૨) અતિથિ સંવિભાગ દ્રત (નિસ્પૃહભાવે આદરપૂર્વક સાધુ,
સાધ્વી કે ઉપાસકને જીવનાવશ્યક વસ્તુઓ આપવી)
આમાંનાં પહેલાં પાંચ વ્રતો, જેમનું પાલન સાધુ-સાધ્વીઓ માટે અતિમાત્રામાં હોય છે, તેમાં “ઉપાસકો માટે ગૃહસ્થ જીવનની અનિવાર્યતા પૂરતી છૂટછાટો અપાઈ હોવાથી તેમની આગળ “શૂળ' વિશેષણ લગાડાય છે. આથી જ શ્રમણ માટે જે મહાવ્રત' કહેવાય છે તે શ્રાવક માટે ‘અણુવત’ ગણાય છે. સખ્યત્વ –
જૈન દર્શનની આધારશિલા સમો સિદ્ધાંત “સમ્યકત્વ'નો છે, જેનું વ્યાવહારિક સ્વરૂપ “રત્નત્રયી'ના નામે જાણીતા સમ્યક્દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના આચારમાં પ્રસ્થાપિત થયું છે. મોક્ષ માર્ગના મૂલાધાર સમા આ ત્રણ આચારોને અપનાવ્યા સિવાય અન્ય વ્રત-નિયમ–આચાર નિરર્થક થઈ જાય છે. સ્યાદ્વાદ અથવા અનેકાન્તવાદ :–
દરેક પદાર્થના ગુણ તેની સમગ્રતાના વ્યાપક રૂપમાં એક અને તેનાં વિશિષ્ટ રૂપોની બહુલતામાં અનેક હોય છે. આપણી દૃષ્ટિની મર્યાદાને લીધે આપણે એક સમયે કોઈ પણ પદાર્થને બધી બાજુએથી જોઈ શકતાં નથી, એટલે કે તેના અંગેના પૂર્ણ સત્યને પામી શકતાં નથી, પણ આંશિક સત્યને પામીએ છીએ. આંશિક દૃષ્ટિથી મેળવેલું જ્ઞાન પણ આંશિક હોય છે, પૂર્ણ નથી હોતું. આ સાથે એ પણ સાચું છે કે જે રીતે અંશમાં પૂર્ણ સત્ય સમાયેલું નથી હોતું તે જ રીતે અંશ સત્યરહિત પણ નથી હોતો. અંશમાં અંશતઃ સત્ય તો હોય જ છે. વળી પ્રત્યેક પદાર્થને ભિન્ન દૃષ્ટિકોણથી જોતાં ક્યારેક ભિન્ન અને ક્યારેક વિરોધી સત્યોનાં દર્શન થાય છે. આમ સત્ય સ્વતંત્ર નહીં પણ સાપેક્ષ હોય છે. જો દર્શન પાછળની દૃષ્ટિ યા અપેક્ષા સમજીએ તો તેમાં રહેલું સત્ય પણ સરળતાથી સમજી શકાય છે. કોઈ પણ બાબતને એક દૃષ્ટિકોણથી જોવી “અંધગજ ન્યાય’ મુજબની ‘એકાંત' દષ્ટિ છે અને તેને વિભિન્ન દષ્ટિકોણથી જોવી તે “અનેકાન્ત’ દૃષ્ટિ છે.
પર્યુષણ –શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધી આઠ દિવસનું પર્યુષણ એ જૈનોનું મહાપર્વ છે. આ દરમિયાન ભાવિક જેનો પોતાની શક્તિ મુજબ અઠ્ઠાઈ (આઠ દિવસના ઉપવાસ), અટ્ટમ (ત્રણ દિવસના સતત ઉપવાસ) અથવા છૂટા છૂટા ત્રણ દિવસના ઉપવાસ જેવાં તપો કરે છે. ઘણાં પૌષધવ્રત પાળે છે. મુનિ મહારાજ પર્યુષણ દરમિયાન કલ્પસૂત્ર'નું સાર્વજનિક વાચન કરીને તેનો ઉપદેશ સમજાવે છે. પર્યુષણના સાત દિવસ સાધનાના તથા આઠમો “સંવત્સરી'ના નામે ઓળખાતો દિવસ આત્મસાધનાની સિદ્ધિનો છે, જેમાં અન્ય પ્રત્યે દેખાડેલા દુર્ભાવ બદલ “
મિચ્છામિ દુક્કડમ્'નું સુપરિચિત વચન ઉચ્ચારીને ક્ષમાયાચના કરવાની હોય છે.
નવપદ ઓળી :–આસો સુદ સાતમથી પૂર્ણિમા સુધીના નવ દિવસ તેમજ ચૈત્ર સુદ સાતમથી પૂર્ણિમા સુધીના . નવ દિવસ, આમ વર્ષમાં બે વાર આ પર્વની ઉજવણી કરવામાં
આવે છે. તેમાં પવિત્ર ઉચ્ચરણ, ધ્યાન અને તીર્થકરાદિ નવા પદની ભક્તિઆરાધના કરાય છે. શ્રીપાલ અને મયણાસુંદરીની કથા આ પર્વની વિધિ સાથે સંકળાયેલી હોવાથી ક્યાંક તેમની કથાનો નાટ્યપ્રયોગ આ પર્વ સાથે કરવામાં આવે છે.
દિવાળી –આસોની અમાવસ્યા (= દિવાળી)એ
Jain Education Intemational
For Private & Personal Use Only
ucation Intemaliona
www.jainelibrary.org
For Private & Personal Use Only