________________
શાશ્વત સૌરભ ભાગ-૧
જૈનોની સાંસ્કૃતિક સંપત્તિ
જૈન ધર્મ માટે (૧) ચારિત્રના આચારો, (૨) વિવિધ ભાગો, (૩) શ્રુત સાહિત્ય અને (૪) વિવિધ તીર્થો મુખ્યરૂપે સંસ્કૃતિના સ્તંભ સમાન છે.
સાધુઓના અને શ્રાવક-શ્રાવિકાઓના વિવિધ આચારો, જૈનધર્મની અહિંસાકરુણા, પરમાર્થવૃત્તિ, મૈત્યાદિભાવો, ઇન્દ્રિયસંયમન, શીલની પવિત્રતા જેવી બાબતો જિંદગીની શ્રેષ્ઠ ભૂમિકાને ટકાવે છે, સંવર્ધન કરે છે અને વિશ્વ સમક્ષ જૈનધર્મને પ્રથમ સ્થાન અપાવે છે.
છ મહિના સુધીના ઉપવાસ, આંબેલ, એકાસણાં, બિયાસણાં, લોચ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાઉસગ્ગ-ધ્યાન એ તો જૈનોની આગવી ઓળખ છે. અકબર જેવા બાદશાહો પણ જૈનધર્મના તપ સામે નતમસ્તક થયા છે.
૨૬૫
જૈનોના શ્રુતસાહિત્યમાં તો ઘણી વાત લખી છે. દુનિયાના બીજા ધર્મોનાં તીર્થો જોયાં પછી મધ્યસ્થ ભાવને પામેલી વ્યક્તિ જ્યારે જૈન તીર્થ જુએ છે, ત્યારે જૈનોની સ્વચ્છતા-પવિત્રતા, કરુણાને વરેલી સંસ્કૃતિથી તાજ્જુબ થઈ જાય છે. મસ્તક અહોભાવથી ઝૂકી જાય છે. પર્વતોની ટોચે હોય કે નદીના કિનારે હોય, ગામમાં વસ્તીની વચ્ચે હોય કે જંગલના એકાંતમાં હોય......રસ્તાને અડીને હોય કે માર્ગથી દૂર હોય, જૈન તીર્થો જૈન સંસ્કૃતિની ભવ્ય યશોગાથા ઊંચે લહેરાતી ધજાઓને ફરકાવતાં સતત ગાતાં રહે છે.
Jain Education International
—નલિનાક્ષ પંડ્યા
ગુજરાતમાં સાક્ષરોની પ્રથમ હરોળમાં બેસી શકે તેવા પ્રખર વિદ્વાન શ્રી નલિનાક્ષભાઈ પંડ્યા વલ્લભવિદ્યાનગરમાં શિક્ષણ-સંશોધનની સંસ્થા પારિયાત્ર ફાઉન્ડેશનના વડા છે. બહુવિધ ક્ષેત્રોનાં રસ-રુચિ-સંસ્કાર પિતાશ્રી અમૃત પંડ્યા પાસેથી ગળથૂથીમાં મળેલા તથા તેમના મિત્ર-સમુદાય (રવિશંકર રાવળ, મોતીચંદ્ર, વાસુદેવશરણ અગ્રવાલ, નિર્મલકુમાર બોઝ, પોપટલાલ ગો. શાહ, ડોલરરાય માંકડ, મંજુલાલ મજમુદાર, પંડિત ઓમકારનાથ ઠાકુર, રાય કૃષ્ણદાસ, બચુભાઈ રાવત, લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, ડૉ. સંપૂર્ણાનંદ વગેરે)ના સાન્નિધ્યને કારણે પોષાયેલાં ને વિકસેલાં.
એમણે ભારતભરમાં વ્યાપક પ્રવાસો કર્યા છે. સંખ્યાબંધ લેખો ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં લખ્યા છે તથા અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિદ્યુત્પરિષદોમાં ભાગ લીધો છે. શ્રી પંડ્યા સાહેબ સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, જે આ મુજબ છે : (૧) પૂર્વ સહમંત્રી, અખિલ ભારતીય ભાષા-સાહિત્ય સંમેલન, (૨) એકેડેમી ઑફ વર્લ્ડ સિવિલિઝેશનના સભ્ય, (૩) મંત્રી, આંતરરાષ્ટ્રીય અપંગ વર્ષની ખેડા જિલ્લા સમિતિ, (૪) સ્થાપક અને સંયોજક, વલ્લભવિદ્યાનગર લોકસમિતિ. (જયપ્રકાશ નારાયણના વિચાર મુજબ રચાયેલી આ ગુજરાતની સહુથી પહેલી લોકસમિતિ હતી.) (૫) મુંબઈમાં અભ્યાસકાળ દરમિયાન ઇન્ડિયા પીસ કોરના સ્વયંસેવકોની પ્રથમ ટુકડીના સભ્ય તરીકે પસંદગી થયેલી, જેમાં પ્રમુખ કેનેડીએ સ્થાપેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા અમેરિકન પીસ કોરના સ્વયંસેવકોની સાથે સેવાકાર્ય કર્યું. (૬) મુંબઈમાં યુથ ઓર્ગેનાઇઝેશન ઑફ ગ્રુપ ઇનિશિયેટિવના સ્થાપક. (૭) મુંબઈ યુનિવર્સિટીની ફિલ્મ
For Private & Personal Use Only
www.jainelibrary.org