SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ધન્ય ધરાઃ સોસાયટીના પૂર્વ મંત્રી અને મુંબઈ યુનિવર્સિટીની ડાન્સ એન્ડ મ્યુઝિક સોસાયટીના પૂર્વ કારોબારી–સભ્ય. (૮) માનદ્ ક્યુરેટર, ગુજરાત સંશોધન મંડળ મુંબઈનું સંગ્રહાલય. વિવિધ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરીને માટે અમેરિકાના બાયોગ્રાફિક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રગટ થતી “ઇન્ટરનેશનલ ડિરેક્ટરી ઑફ ડિસ્ટીક્વીડ લીડરશિપ ૧૯૯૮'માં પરિચય પ્રકાશિત થયો (વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની ભલામણ પ્રમાણે આ ડિરેક્ટરીમાં પરિચય સમાવાય છે. કોઈની અરજી ધ્યાન પર નથી લેવાતી). ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ કચ્છમાં થયેલા વિનાશકારી ભૂકંપના પાંચ મહિના પહેલા ભાવનગર વિસ્તારમાં થતી ભૂકંપની પરંપરાઓના અભ્યાસ પરથી ગુજરાતમાં ક્યાંક મોટો ભૂકંપ થવાની સંભાવના અખબાર દ્વારા વ્યક્ત કરેલી અને તે માટે આફત નિવારણનાં લેવા જોઈતાં પગલાં પણ સૂચવેલાં. મોજીલા સ્વભાવના શ્રી પંડ્યા સાહેબ મળવા જેવા માણસ છે. –સંપાદક પ્રાસ્તાવિક - ઈ.સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં ચરમ તીર્થકર ભગવાન શ્રી વર્ધમાન અથવા શ્રી મહાવીર પ્રભુના સમયથી જૈન ધર્મપરંપરા | એક સંગઠિત ધર્મ તરીકે ઊપસતાંની સાથે તેમાં પોતાના | તત્ત્વદર્શનને અનુરૂપ આગવી ધર્મભાવના, ધર્માચરણ, ઉપાસનાપદ્ધતિ, ભક્તિસ્વરૂપો, ધર્મસ્થાનો, કર્મકાંડ, ધાર્મિક, સાહિત્ય, ઉપાસ્ય દેવોની શ્રેણી અને ધાર્મિક પ્રતીકોનો પણ વિકાસ થતો ગયો. આ સર્વ તત્ત્વો જૈનધર્મીઓના આશ્રયે ખીલેલી તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સ્વાભાવિક રીતે પ્રતિબિંબિત થતાં રહ્યાં છે. જૈન ધર્માનુયાયીઓ ધનાઢ્ય વૈશ્ય વર્ણના હોવાથી આવી સાંસ્કૃતિક સર્જનાને પોષવાની તેમને અનુકુળતા પણ રહી છે. પરિણામ એ આવ્યું કે ભારતીય ભાષા, સાહિત્ય, સ્થાપત્ય અને લલિતકળાઓના ક્ષેત્રે જેનો થકી ભરપૂર સર્જન થયું. વિશ્વનાં તત્ત્વદર્શનોમાં જૈન દર્શનનું સ્થાન જેમ અનન્ય છે તેમ ભારતીય સંસ્કૃતિના વિશાળ નિધિમાં જૈનોની | (સાંસ્કૃતિક સંપત્તિનું યોગદાન અનુપમ છે. જૈન દર્શન ભગવાન શ્રી મહાવીરે તેમના પ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી અને દશ ગણધરોને જૈન તત્ત્વજ્ઞાનનું સ્પષ્ટીકરણ કરીને તેના સારરૂપ ત્રણ વિધાનો સમજાવેલાં. ‘ત્રિપદી’ને નામે જાણીતાં તે વિધાનો આ છે . (૧) ૩૫થી વા = પદાર્થની ઉત્પત્તિ થાય છે. (૨) વિપામેલી વ = પદાર્થનો લય થાય છે. (૩) ધ્રુવેયી વા = પદાર્થ સ્થાયી છે. આ પદાર્થ અર્થાત્ દ્રવ્ય” તે “સતું' છે. આ “સત્' એ જ વાસ્તવિકતા છે અને તેથી તે વિવિધ સ્વરૂપોમાં હોવા છતાં મૂળભૂત રીતે સ્થાયી અથવા શાશ્વત છે, કારણ કે તે પોતાનું મૂળ રૂપ કદી ગુમાવતો નથી. આ રીતે દ્રવ્યના મૂળ રૂપમાં પદાર્થ શાશ્વત અને અવિકારી હોવા છતાં તે વિવિધ સ્વરૂપોમાં પરિવર્તન પામતો રહે છે. આમ આજે અસ્તિત્વ ધરાવનાર કોઈ પણ પદાર્થ-જે શાશ્વત કે ક્ષણિક નથી–તે ભૂતકાળમાં પણ હતો અને ભવિષ્યમાં પણ હશે. તેમાં વૃદ્ધિ કે ક્ષયની સંભાવના નથી. પદાર્થનો તેના ગુણધર્મો અને અંતર્નિહિત ક્ષમતા પ્રમાણે યથાસમય લય થતાં તેનું રૂપાંતર થાય છે, પરંતુ તેના દ્રવ્યનું મૂળભૂત અને તાત્ત્વિક સ્વરૂપ સદા અવિનાશી રહે છે. વિશ્વવ્યવસ્થા – જડ અને ચેતન તત્ત્વોથી બનેલા વિશ્વ યા બ્રહ્માંડના સર્જન અને સંચાલન અંગેનો જૈન દૃષ્ટિકોણ અન્ય દર્શનોથી જુદો પડે છે. જૈન દર્શન સૃષ્ટિના સર્જક કે સંચાલક તરીકે કોઈ ઈશ્વરના અસ્તિત્વને નથી માનતું, કારણ કે આવા સર્જક-પાલક ઈશ્વરની વિભાવનાને સ્વીકારવાની સાથે એકમાંથી બીજો એમ અગણિત પ્રશ્નોની એવી શૃંખલા રચાય છે. તેના તર્કશુદ્ધ ખુલાસા મળતા નથી. આથી જૈન દર્શન માને છે કે બ્રહ્માંડ પ્રકૃતિના નિયમો પ્રમાણે સ્વયંસંચાલિત છે. તેમાં જોવા મળતું સર્જન, વિસર્જન, વર્ધન કે ક્ષયનું ઘટનાચક્ર એ કાળના નિરંતર પ્રવાહમાં સ્વતઃ ચાલતી સનાતન પ્રક્રિયા છે. નથી તેનો કોઈ પૂર્વઆયોજક કે નથી કોઈ નિયંતા. વિશ્વવ્યવસ્થા કર્મસત્તાના પ્રભાવથી સંચાલિત છે, તેમાં પ્રભાવક પરિબળ ‘કર્મનું છે. સમસ્ત વિશ્વમાં અદેશ્યરૂપે વ્યાપ્ત કર્મના અણુઓનો અનુભવ ફક્ત તેના પ્રભાવથી જ થઈ શકે છે. Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy