SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૨૬૩ પર સર્પફણા અને લલિતાસનમાં બેઠેલ છે. ગુજરાતમાંથી પદ્માવતીની ઘણી પ્રતિમાઓ મળી છે. પ્રભાસ-પાટણ, શંખેશ્વર, ભાવનગર, પાટણ, અમદાવાદ વગેરે સ્થળોએથી પ્રાપ્ત | પ્રતિમામાં પદ્માવતી મુશ્કટ સર્પ પર પવાના આસન ઉપર લલિતાસનમાં બેઠેલ, પરિકરમાં ઉપર મધ્યમાં પાર્શ્વનાથજી અને બંને બાજુ માલધરો, મસ્તક પર સર્પનો છત્રવટો તથા દેવીના હાથમાં પદ્મ, પાશ, અંકુશ અને બિજોરું ધારણ કરેલ જોવામાં આવે છે. અમદાવાદના જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસરમાં આવેલ પદ્માવતીના મસ્તકે મુકુટ અને નવફણા નાગનું છત્ર છે. પરિકરના ઉપરના મધ્યમાં પાર્શ્વનાથ અને બંને બાજુ બે-બે એમ પાંચ તીર્થકરોની મૂર્તિઓ છે. ચતુર્ભુજમાં અક્ષમાલા, અંકુશ, સનાળપઘ અને બિજોરું છે. આસનની મધ્યમાં કુકકુટનું વાહન ઊડતા ગંધર્વો તેમજ પ્રભામંડળથી યુક્ત છે. પીઠિકાની મધ્યમાં ધર્મચક્ર અને તેની પ્રત્યેક બાજુ સિંહ લાંછન ઉત્કીર્ણ છે. ગુજરાતમાં અકોટામાંથી ગુપ્ત સમયની જીવંતસ્વામીની ધાતુપ્રતિમા મળી છે, જેમાં વર્ધમાન કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલા, મસ્તકે મુકુટ, કંઠમાં હાર વગેરે આભૂષણોથી અલંકૃત છે. ખંભાતમાં ચોકસીની પોળમાં મહાવીર સ્વામીના જિનાલયમાં સફેદ આરસની પંચતીર્થી પ્રતિમામાં મહાવીર યોગાસનમાં બેઠેલા છે. મસ્તક પાછળ પ્રભામંડલ, આસનની મધ્યમાં સિંહનું લાંછન અને પરિકરમાં બંને ટોચ ઉપર હંસ, ગંધર્વો, ફૂલવેલની ભાત કંડારી છે. ઉપરાંત શત્રુંજય ઉપર મૂળનાયક તરીકે, મહુવા, આબુમાં વિમલવસહી તથા લૂણસહિમાં, પાટણ, જૂનાગઢ વગેરે સ્થળોનાં જિનાલયોમાં મૂળનાયકજી તરીકે સ્વતંત્ર મંદિરમાં મહાવીર સ્વામીની વિવિધ પદાર્થોમાં કંડારેલ વિશાળ અને ભવ્ય પ્રતિમાઓ જોવામાં આવે છે. યક્ષ માતંગનો વર્ણ શ્યામ કે શ્વેત, વાહન હાથી, દ્વિભુજમાં નકુલ અને બિજોરું કે વરદમુદ્રા હોય છે. આ પક્ષની પ્રતિમાઓ શંખેશ્વર, દેવગઢમાં આવેલ છે. યક્ષિણી સિદ્ધાયિકા નીલ વર્ણની, વાહન સિંહ, ચતુર્ભુજમાં પુસ્તક, માતુલિંગ, અભયમુદ્રા, વીણા અથવા વરદ અને પુસ્તક હોય છે. ઈલોરાની ગુફા નં. ૩૨માં એમનું સુંદર શિલ્પ આવેલું છે. જેમાં તેઓ સિંહ પર આરૂઢ છે. દ્વિભુજમાં અભયમુદ્રા અને માતુલિંગ છે. મસ્તક પર વૃક્ષ છે. મહાવીર સ્વામી ચોવીસમા અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી જૈન પરંપરામાં ઐતિહાસિક અને સૌથી મહાન ગણાય છે. એમના યક્ષ માતંગ અને યક્ષિણી સિદ્ધાયિકા છે. એમના ચામરધારી મગધના રાજા શ્રેણિક અથવા બિંબિસાર અને શાલવૃક્ષ હેઠળ એમને કેવળજ્ઞાન થયું. મહાવીર સ્વામીના જીવનના કેટલાય પ્રસંગો જૈન મંદિરોમાં સ્તંભો, છતો અને ભીંતો ઉપર કોતરેલા કે ચીતરેલા જોવામાં આવે છે. ભારતના ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમના તમામ ભાગમાં આવેલ જૈન સ્થળોએથી મહાવીરની અસંખ્ય પ્રતિમાઓ મળે છે. મહાવીરની ઊભેલી અને બેઠેલી મૂર્તિઓ મોટી સંખ્યામાં નાનીથી માંડીને પૂર્ણકાય સુધીની મળેલી છે. મહાવીરની બે પ્રકારની પ્રતિમાઓ જોવા મળે છે. (૧) દીક્ષા લીધા પહેલાનું સ્વરૂપ જે “જીવંત સ્વામી’ નામે ઓળખાય છે. આ પ્રતિમા અલંકારયુક્ત હોય છે. (૨) મહાવીરનું ત્યાગી સ્વરૂપ. મહાવીર સ્વામીની ઈ.સ. ૧લી થી ૩જી સદી દરમ્યાનની સાત પ્રતિમાઓ મળી છે, જે લખનૌ મ્યુઝિયમમાં છે. એમાંની છ મૂર્તિઓ પર પીઠિકા-લેખમાં ‘વર્ધમાન' અને એકમાં મહાવીર' લખેલું છે, જેમાંની ચાર પ્રતિમાઓ અખંડ છે. જેમાં મહાવીર સ્વામીને ધ્યાનસ્થ અવસ્થામાં સિંહાસન પર બેઠેલા, આસનના મધ્યમાં ઉપાસકો તેમજ શ્રાવક-શ્રાવિકાઓથી ઘેરાયેલ ધર્મચક્ર અંકિત છે. ગુપ્તકાલની એક મૂર્તિ વારાણસીના કલાભવનમાં સુરક્ષિત છે. એમાં ધ્યાનમુદ્રામાં બેઠેલ મહાવીરના આસન સમક્ષ વિશ્વપદ કંડારેલું છે. મહાવીર ચામરધરો, સેવકો (જૈન પ્રતિમાજીમાં અભિનવ કલાવિધાન | અચલગચ્છ સ્થાપક પ. પૂ. આ. ભ. શ્રી | આર્યરક્ષિતસૂરિશ્વરજી મહારાજા સાહેબના પરિવારના ૫. પૂ. આ. ભ. શ્રી સંધપ્રભસૂરિજી મ.સા.ની વિ.સં. ૧૨૩૫ની શ્રી મોઢેરા પાર્શ્વનાથ પ્રભુની પંચતીર્થની પ્રતિમાજીમાં પાછળ છત્રધારી માણસની પ્રતિકૃતિ જોવા મળે છે. ત્યારબાદ આજ પ્રમાણની પ્રતિમાજી ફક્ત અચલગચ્છના આ.ભ. શ્રી દ્વારા પ્રતિષ્ઠિત પંચતીર્થીમાં જોવા મળે છે. પણ પાટણમાં કોકા પાર્શ્વનાથ જિનાલયમાં અને વિરમગામના દેરાસરમાં બીજા | ગચ્છના આ.ભ. દ્વારા પ્રતિષ્ઠિત પંચતીર્થિ ભગવાન જોવા મળેલ છે. સંકલન : સર્વોદયસાગર મ.સા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy