SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ આમ્રલંબ અને બાળક છે. પ્રભાસ-પાટણ, વંથલી, અકોટા અને પાટણમાંથી પણ અંબિકાની પ્રાચીન મૂર્તિઓ મળી છે. પાર્શ્વનાથ ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ ઐતિહાસિક વ્યક્તિ અને જૈનધર્મના સાચા સ્થાપક મનાય છે. તેઓ ઈ.પૂ. આઠમા-નવમા સૈકામાં થયાનું જણાય છે. બનારસના રાજા અશ્વસેનના તેઓ પુત્ર હતા. ત્રીસમા વર્ષે ગૃહત્યાગ કર્યો. તેમની ૭૦ વર્ષની ઉપદેશ કારકિર્દી છે. તેમના જીવનમાં એક નાગે અપૂર્વ ભાગ ભજવ્યો હતો તેવી પૌરાણિક કથા છે. પાર્શ્વનાથ નામ વિશે બે મત પ્રચલિત છે. એક તેઓ ગર્ભમાં હતા ત્યારે તેમની માતાએ લાંબો કાળો સર્પ જોયો હતો માટે પાર્શ્વનાથ અને બીજો તેમના યક્ષનું નામ પાર્શ્વ હતું અને તેઓ દેવ હતા તેથી પાર્શ્વનાથ. પાર્શ્વનાથ નીલવર્ણના, લાંછન સર્પ, શિલ્પમાં તેઓના મસ્તક ઉપર ત્રણ, સાત, અગિયાર કે સહસ્રફણા નાગનો છત્રવટો હોય છે. કેવલવૃક્ષ દેવદાર, યક્ષ પાર્શ્વ કે ધરણેન્દ્ર, યક્ષિણી પદ્માવતી, ચામરધારી રાજા અજિતરાજ છે. નિર્વાણસ્થળ સમેતશિખર (બિહાર) પારસનાથ પર્વત. પાર્શ્વનાથની પ્રતિમા બે પ્રકારની મળે છે. એક ઊભેલી કાયોત્સર્ગ અવસ્થામાં અને બીજી બેઠેલી ધ્યાનાવસ્થામાં. પાર્શ્વનાથની કાર્યોત્સર્ગ અવસ્થામાં ઊભેલી ૧લી સદીમાં ઘડાયેલ પ્રતિમા મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં આવેલી છે. આ ઉપરાંત આબુ, શત્રુંજય, શંખેશ્વર, પાટણ, ખંભાત, અમદાવાદમાં પાર્શ્વનાથનાં મંદિરો અને પ્રતિમાઓ આવેલી છે. આબુમાં વિમલવસહીના ગૂઢમંડપની બંને બાજુ પાર્શ્વનાથની વિ. સં. ૧૪૦૮ના લેખવાળી સરખા કદની પ્રતિમાઓ ઊભેલી છે. આ પ્રતિમાઓની મધ્યમાં પાર્શ્વનાથની કાયોત્સર્ગ મૂર્તિ છે. પરિકરમાં ૨૪ જિન પ્રતિમા કંડારેલ છે. પાર્શ્વનાથના મસ્તક પર સપ્તફણા નાગનો છત્રવટો છે. આબુ પર ૧૫મી સદીમાં બંધાયેલ ખરતરવસહિમાં ગર્ભગૃહમાં મૂલનાયક તરીકે પાર્શ્વનાથની ભવ્ય પ્રતિમાઓ છે. દરેકના મસ્તક પર નવણા નાગનો છત્રવટો છે. શત્રુંજય પર અમીધરા પાર્શ્વનાથના મંદિરમાં શ્યામ આરસમાં કંડારેલ પ્રતિમાના મસ્તક પર સપ્તણા નાગ છે. સૌરાષ્ટ્રની ઢાંકની ગુફામાંથી પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા મળી છે. જૂનાગઢ પાસેના હજીરા ગામમાંથી પાર્શ્વનાથની ઈ.સ. ૩જા સૈકાની મૂર્તિ મળી છે. અમદાવાદમાં ઝવેરીવાડમાં આવેલ Jain Education International ધન્ય ધરાઃ જગવલ્લભ પાર્શ્વનાથનું મંદિર પ્રસિદ્ધ છે, જેમાં ભોંયરામાં સફેદ આરસમાં કંડારેલ પાર્શ્વનાથની વિશાળકદની પ્રતિમા આવેલી છે. રાણકપુરમાં સહસ્ત્રફણાના છત્રવટાયુક્ત મંદિરમાં પાર્શ્વનાથની ઊભેલી પ્રતિમા છે. ખંભાતના સ્તંભન પાર્શ્વનાથ મંદિરમાં દુર્લભ એવી નીલમની પાર્શ્વનાથની પ્રાચીન પંચતીર્થી પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. પ્રતિમાના પરિકરમાં અશોકવૃક્ષ તથા સિંહાસન, પ્રભામંડલ સહિત શાસ્ત્રોક્ત આઠેય પ્રતિહારો કંડાર્યા છે. આસનની પીઠમાં સર્પનું અંકન છે. ઉપરાંત ખંભાતના સુખસાગર પાર્શ્વનાથ જિનાલયમાં સોમચિંતામણિ પાર્શ્વનાથ, ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં મૂળનાયક તરીકે પાર્શ્વનાથ બિરાજે છે. યક્ષ પાર્શ્વ કે ધરણેન્દ્રનું સ્થાન ઘણું અગત્યનું છે. તેનો વર્ણ શ્યામ, વાહન હાથી કે કૂર્મ, મસ્તક પર સર્પણા, ચાર હાથમાં સર્પ, બિજોરું, નાગ, નકુલ અથવા સર્પ, વરદ અને પાશ હોય છે. પાર્થ યક્ષની પ્રતિમાઓ તીર્થંકરની મૂર્તિ સાથે અને સ્વતંત્ર પણ મળે છે. મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં તેની ૧૨મી સદીની પ્રતિમા આવેલી છે. તેમાં યક્ષ વાહન કૂર્મ પર લલિતાસનમાં બેઠેલ, મસ્તક પર ત્રણ ફણાયુક્ત નાગનો છત્રવટો અને પ્રભામંડળ છે. ચતુર્ભુજમાં ઉપલા બે હાથમાં નાગ અને નીચલા બે હાથમાં વરદ અને નાગપાશ ધારણ કરેલ છે. પાલનપુરમાં પાર્શ્વયક્ષની ઈ.સ. ૧૧૪૯ની લેખયુક્ત એક માત્ર પ્રતિમા છે, જેમાં યક્ષના મસ્તક પર નાગછત્ર, શ્રીવત્સનું ચિહ્ન, કૂર્મનું વાહન અને ચાર હાથ પૈકી જમણા બેમાં પરશુ અને વરદમુદ્રા, ડાબા બેમાં નકુલ અને બિજોરું છે. યક્ષિણી પદ્માવતીનો વર્ણ રક્ત, વાહન સર્પ કે હંસ હોય છે. જૈન પરંપરામાં પદ્માવતીને ચાર, આઠ, બાર કે ચોવીસ હાથ બતાવાય છે. આ દેવીનું સ્થાન તાંત્રિક દેવી તરીકે ઊંચું છે. જૈન પરંપરાની મુખ્ય ચાર દેવીઓમાં પદ્માવતીને ગણવામાં આવે છે. વાયુપુરાણમાં તેનું સ્થાન ‘પદ્મકોશ' પર હોવાનું નોંધ્યું છે. રૂપમંડનમાં સર્પ સાથે કુક્કુટનું વાહન બતાવ્યું છે. પદ્માવતીને ચાર હાથ હોય તો પાશ, પદ્મ, અંકુશ અને બિજોરું હોય છે. છ હાથ હોય તો પાશ, અર્ધચંદ્ર, ખગ, ગદા ભાલો, દંડ હોય, અષ્ટભુજ હોય તો છ આયુધો ઉપર મુજબ અને ચક્ર તથા ખેટક હોય છે. ગ્વાલિયરના કિલ્લામાં પાર્શ્વનાથની પ્રતિમા સાથે પદ્માવતીની પ્રતિમા આવેલી છે. નાલંદામાંથી મળેલ પદ્માવતીની પ્રતિમાના ચાર હાથમાં ખેટક, કુંભ, પરશુ અને વરદ છે. મસ્તક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy