________________
શાશ્વત સૌરભ ભાગ-૧
પ્રતિમાઓ તથા મંદિરો ઓછાં મળે છે. ભોંયણી પાવાપુરી, કુંભારિયા, આબુ વગેરેમાં તેમની પ્રતિમાઓ આવેલી છે.
યક્ષ કુબેરનો વર્ણ શ્વેત, ચાર મુખ, વાહન રથ અથવા હાથી, આઠ હાથમાં વરદ, ત્રિશૂલ, પરશુ, અભય, બિજોરું, મુદ્દગર, શક્તિ, અક્ષમાલા હોય છે.
યક્ષિણી ધરણપ્રિયાનો વર્ણ શ્યામ, પદ્માસન કે વાહન સિંહ, ચતુર્ભુજમાં વરદ, અક્ષમાલા, શક્તિ અને બિજોરું છે. મુનિસુવ્રત
વીસમા તીર્થંકર મુનિસુવ્રતનું લાંછન કૂર્મ છે. કેવલજ્ઞાનનું વૃક્ષ ચંપક, યક્ષ વરુણ, યક્ષિણી નરદત્તા કે બહુરૂપિણી, ચામરધારી રાજા અજિત છે. આ તીર્થંકરની બહુ જ થોડી પ્રતિમા મળી છે.
યક્ષ વરુણનો શ્વેત વર્ણ, ચારમુખ, બારનેત્ર, વાહન વૃષભ અને આઠ હાથમાં બિજોરું, ગદા, બાણ, શક્તિ, પાશ, ધનુષ, પદ્મ, નકુલ ધારણ કરે છે.
યક્ષિણી નરદત્તાનો શ્વેત વર્ણ, વાહન સિંહ, ચતુર્ભુજમાં વરદ, અક્ષસૂત્ર, ત્રિશૂલ, બિજોરું ધારણ કરે છે. નમિનાથ
એકવીસમા તીર્થંકર નમિનાથનું લાંછન નીલોત્પલ કે અશોકવૃક્ષ છે. કેવલીવૃક્ષ બકુલ, યક્ષ ભ્રુકુટ, યક્ષિણી ગાંધારી કે ચામુંડી, ચામરધારી રાજા વિજયરાજ છે. આ તીર્થંકરની એક મૂર્તિમાં બે શંખની વચ્ચે કમળનું ચિહ્ન છે. ગુજરાતમાંથી એમની જૂજ પ્રતિમાઓ મળી છે. આબુ ઉપર વિમલવસહીની દેરી નં. ૪ અને ૪૫માં નમિનાથની મૂર્તિઓ છે.
યક્ષ ભ્રૂકુટિ પીળા વર્ણના, ચાર મુખ, બાર નેત્ર, વાહન નર અને આઠ હાથમાં બિજોરું, શક્તિ, મુદ્દગર, અભય, નકુલ, પરશુ, વજ, અક્ષમાલા ધારણ કરે છે. મથુરા અને દેવગઢના કિલ્લામાં પ્રતિમાઓ છે.
યક્ષિણી ગાંધારીનો વર્ણ શ્વેત, વાહન સિંહ અને ચતુર્ભુજમાં વરદ, ખડ્ગ, બિજોરું, કુંભ (ભાલો) ધારણ કરે છે. નેમિનાથ
બાવીસમા તીર્થંકર નેમિનાથનું લાંછન શંખ છે. તેમનું બીજું નામ ‘અરિષ્ટનેમિ’ પણ જાણીતું છે. નેમિનો એક અર્થ ચક્ર થાય છે. નેમિનાથનો વર્ણ શ્યામ કે ઇન્દ્રનીલ, કેવલીવૃક્ષ મહાવેણુ
Jain Education International
૨૦૧
કે વેતસ, યક્ષ ગોમેઘ, યક્ષિણી અંબિકા કે કુષ્માRsિની, ચામરધારી રાજા ઉગ્રસેન અને નિર્વાણસ્થાન ગિરનાર છે. નેમિનાથ શ્રીકૃષ્ણ અને બલરામના પિતરાઈ ભાઈ હતા. નેમિનાથ અને પત્ની રાજુલની કથાઓ શિલ્પમાં કંડારાયેલી છે. એમણે દ્વારકામાં વરદત્તને ત્યાં પ્રથમ ભિક્ષા લીધી હતી.
નેમિનાથની પ્રતિમાઓ ગ્વાલિયરના કિલ્લામાં મળી છે. ગિરનાર પર પહેલી અને પાંચમી ટૂંકમાં નેમિનાથનાં સ્વતંત્ર મંદિરો આવેલાં છે. આબુ ખાતે લૂણવસહિમાં, ખંભાતમાં માંડવીની પોળમાં, પાટણમાં, શંખેશ્વરમાં, અમદાવાદ વગેરે સ્થળોનાં જિનમંદિરોમાં તેઓ મૂળનાયક તરીકે બિરાજે છે. ખંભાત અને ગિરનાર ઉપર એમની સપરિકર પંચતીર્થી પ્રતિમાઓ આવેલી છે. કાળા પથ્થરમાં કંડારેલી પ્રતિમામાં નેમિનાથ પદ્માસનમાં બેઠેલા છે. છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન, આસનની મધ્યમાં લાંછન શંખ છે. પરિકરની બેસણીમાં ડાબી બાજુ ગોમેઘ યક્ષ અને જમણી બાજુ યક્ષિણી અંબિકા છે.
યક્ષ ગોમેઘનો વર્ણ શ્યામ, ત્રણ મુખ, વાહન માનવ અને છ હાથમાં બિજોરું, પરશુ, ચક્ર, નકુલ, ત્રિશૂલ, શક્તિ અથવા હથોડો, પરશુ, દંડ, ફળ, વજ્ર અને વરદમુદ્રા હોય છે. મથુરા મ્યુઝિયમ અને દેવગઢના કિલ્લામાં ગોમેધની સ્વતંત્ર પ્રતિમાઓ આવેલી છે.
યક્ષિણી અંબિકાનો વર્ણ સુવર્ણ, વાહન સિંહ, ચાર હાથમાં આમ્રલંબ, બાળકને ધારણ કરેલ, પાશ અને અંકુશ હોય છે. નેમિનાથની શાસનદેવી હોવા સાથે જૈન પરંપરામાં તે સ્વતંત્ર દેવી તરીકે પૂજાય છે. તે આમ્રલંબ ધારણ કરતી હોવાથી ‘આમ્રા’ તરીકે પણ ઓળખાય છે. ‘આચારદિનકર' ગ્રંથમાં તેનું વર્ણન મુખ્ય દેવી તરીકે કરેલું છે. તેના પિરવારમાં માતૃકાઓ અને વિદ્યાદેવીઓ ગણાય છે. અંબિકાની ઘણી પ્રતિમાઓ મળી છે. ઇલોરાના ગુફામંદિર, મથુરા ઉપરાંત અનેક ધાતુ-મૂર્તિઓ પણ મળે છે. આબુમાં વિમલવસહિની દેરીમાં બેઠેલ, દ્વિભુજામાં આમ્રલંબ અને બીજા હાથથી બાળક તેડેલું છે. મુકુટના ઉપરના ભાગમાં નેમિનાથની લઘુપ્રતિમા આવેલી છે. ગિરનાર પર નેમિનાથના મંદિરમાં તથા વડોદરાના જૈન મંદિરમાં લેખયુક્ત ધાતુપ્રતિમા આવેલી છે, જેમાં દેવી લલિતાસનમાં બેઠેલ, ચતુર્ભુજ પૈકી ઉપલા જમણા હાથમાં પાશ અને ડાબા હાથમાં આમ્રલંબ અને એક હાથથી બાળ તેડેલું છે. પગ પાસે સિંહનું વાહન છે. ખંભાતમાં પાર્શ્વનાથ ચિંતામણિના મંદિરમાં આવેલ પ્રતિમા ૧૫મા સૈકાની છે. તેના ચાર હાથમાં અંકુશ, પાશ,
For Private & Personal Use Only
www.jainelibrary.org