________________
શાશ્વત સૌરભ ભાગ-૧
આજે ભૌતિકવાદ, વિજ્ઞાન અને રાજકારણ એ ભોગવિલાસમાં જ જિંદગીની ઇતિશ્રી મનાવે છે. આત્મવાદ અને અધ્યાત્મવાદ તો જાણે ભૂતકાળની વાતો થઈ ગઈ છે. અનાત્મવાદના ઝેરી પવને માત્ર ને માત્ર ભૌતિક સાધનોના સર્જન, સંવર્ધન અને વિવર્ધનમાં જ જીવની સુખશાંતિ અને આબાદી છે, એની સાવ ખોટી અને પાયાવિહોણી વાત ગરીબથી તવંગર, બાળકથી વૃદ્ધ દરેકના મગજમાં ઠાંસી ઠાંસીને ભરી દીધી છે. સાચી વાત કોણ સમજાવશે? માં સંસ્કૃતિના ચીરહરણ કરવા હજારો દુર્યોધનો અને દુ:શાસનો નીકળી પડ્યા છે, કોણ રોકશે?
સત્સાહિત્ય માનવજાતનો સાચો શિલ્પી છે. આજે એવા સાહિત્યનો જ દુકાળ છે. પુસ્તકાલયોમાં રહેલા લાખો પુસ્તકો માત્ર અર્થ અને કામની આગમાં પેટ્રોલ નાંખવાનું કામ કરી રહ્યાં છે. અનાદિની દુવૃત્તિઓના વિષ વૃક્ષોને સીંચવાનું કામ ડાહ્યો માણસ કેમ કરતો હશે? આ લાખ રૂપિયાનો સવાલ છે.
આજે સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં છપાય છે. કેટલાય પુસ્તકો તો વંચાતા પણ નથી અને સીધા જ પસ્તી ભેગા થાય છે. સમાજની યુવાપેઢીને દિશા આપવાને બદલે ઘણું સાહિત્ય તો માત્ર મોહના ચેનચાળાવાળું ગલગલિયા કરાવનારું છપાય છે. આ અર્થપ્રધાન અને કામપ્રધાન સાહિત્ય તો પડતાને પાટુ મારનારું છે. જેનો ગોવાલ ટેકરા પર એના પશુ ટેકરા પર અને જેનો ગોવાલ ખાડામાં એની ગાયો ખાડામાં–આજના પરિપ્રેક્ષ્યમાં કહી શકાય જે પુસ્તકનો લેખક સંસ્કારી એનું સાહિત્ય સંસ્કારી. કો'ક અપવાદોને બાદ કરતાં આ નિયમ સાર્વત્રિક છે. અમૃત પીનારના ઓડકાર અમૃતના જ આવે. કુવામાં હોય તો હવાડામાં આવે.
સાહિત્ય તો લેખકનો માનસ પુત્ર કહેવાય. ચિત્તોડનાં પંડિત હરિભદ્રમાંથી આચાર્ય હરિભદ્ર બનેલ. તેમના બન્ને ભાણેજ શિષ્યો હંસ અને પરમહંસ બૌદ્ધદર્શન ભણવા ગયા. બુદ્ધિ પ્રાગલભ્યથી સાંભળતા જાય અને ખંડન કરતા જાય. એકદા પાના ઊડીને ગયા...બે પાના બૌદ્ધસાધુઓના હાથમાં આવી ગયા. બન્ને ક્રૂરતાના ભોગ બન્યા. અહિંસાના ઉપાસક આચાર્ય હરિભદ્ર ૧૪૪૪ બૌદ્ધ સાધુઓને કડાઈમાં તળવા તત્પર બન્યા. ગુરુએ અગ્નિશર્મા અને ગુણસેનની વૈર પરંપરાને બતાવતા શ્લોક લખીને મોકલ્યા. વાંચતાં ક્રોધ શાંત થયો. આચાર્ય ભગવંત અત્યંત ઉદ્વેગમાં રહેવા લાગ્યા ત્યારે શાસનદેવીએ પ્રગટ થઈને એકજ વાત કરી. ગરદેવ! હવે આપના પુણ્યમાં શિષ્ય નથી. માટે નાશવંત શિષ્યોને ભૂલી જઈ અવિનાશી શિષ્યોને તૈયાર કરો. એટલે? સત્સાહિત્યનું નિર્માણ કરો. શિષ્ય તો પાંચ પચીસ કે પચાસ વધીને ૧૦૦ વર્ષના હશે સાહિત્યની આયુ હજાર ને હજારો વરસ હશે. આજે એમનું સાહિત્ય સાધકોને દીવાદાંડીની ગરજ સારે છે. આ એમના માનસપુત્રો છે.
ધન્યધરાઃ શાશ્વત સૌરભ ભાગ-૧માં જૈન ધર્મ શા માટે?
આનો જવાબ “અહો જૈનદર્શનમાં વાંચકોને મળી જ રહેશે. જૈનધર્મ એ વિશ્વધર્મ બનવાની લાયકાત ધરાવે છે, એવું આજે સર્વમાન્ય સત્ય બનવા માંડ્યું છે.
ભૂતકાળમાં જૈનધર્મનો પ્રચાર સારો એવો હતો. ભારતના રાજા-મહારાજા-ચક્રવર્તીઓ અને મોટાભાગે પ્રજાજનો જૈનધર્મનું પાલન કરતાં હતા. માટે જૈનોની વસ્તી કરોડોની હતી. આજે ૫૦ લાખ લગભગ જ રહી છે. એનું કારણ? આજે જૈનધર્મ એક સમાજ વિશેષનો ધર્મ છે એવી માન્યતા ઘર કરી ગઈ છે.
Jain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org