SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ધન્ય ધરા: ભારતીય સંસ્કૃતિ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાં અનુસ્નાતક કેન્દ્રમાં મહેમાન અધ્યાપક (૧૯૯૬થી) કાર્યરત, પુરાતત્ત્વ (ખોજ) શિબિર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં (૧૯૯૨)થી તqજ્ઞ તરીકે. ‘સામીપ્ય’, ‘પથિક', 'કુમાર', સ્વાધ્યાય', “સંબોધિ', ગુજરાત જેવાં પ્રસિદ્ધ સામયિકોમાં એકસોથી વધુ વિવિધ વિષયોના સંશોધનાત્મક લેખો છપાયા છે. * ગુજરાત વિશ્વકોષમાં પુરાતત્ત્વ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિષયમાં ૧૦૦ જેટલાં અધિકરણો છપાયા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં ભાગ લઈ સંશોધનપેપર રજૂ કરી ચર્ચામાં સારો એવો ભાગ લીધો છે. હાલ અધ્યાપક તરીકે ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન અમદાવાદમાં કાર્યરત છે. અનેક શૈક્ષણિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. –સંપાદક જૈન પ્રતિમાઓની પ્રાચીનતા અને લક્ષણો ભારતીય ધર્મપ્રણાલીમાં હિંદુ ધર્મ પછી મહત્ત્વનો ધર્મ તે જૈન ધર્મ છે. ભારતીય ધર્મ વિચારધારામાં બે પરંપરાઓ એક બ્રાહ્મણ અને બીજી શ્રમણ જાણીતી છે. બ્રાહ્મણ પરંપરાનો વિકાસ “બ્રહ્મનું શબ્દની આસપાસ થયો, જ્યારે શ્રમણ પરંપરાનો વિકાસ ‘શ્રમ” અર્થાત્ સમાજના દરેક માનવીને માટે સરખા અધિકારની ભાવનાની આસપાસ થયો. બ્રાહ્મણપરંપરામાં યજ્ઞ-યાજ્ઞાદિ અને સ્તુતિ પ્રાર્થના વગેરે માટે બ્રાહ્મણોનું મહત્ત્વ હતું, જ્યારે શ્રમણ-પરંપરામાં કોઈપણ મનુષ્ય સ્વપુરુષાર્થ દ્વારા અહંતપદ કે તીર્થંકરપદ મેળવી શકે છે, એમ માનવામાં આવ્યું છે. જૈન ધર્મના કોઈ એક પ્રવર્તક નથી, પરંતુ જેમણે તપ દ્વારા મન, વાણી અને કાયાને જીતી લીધાં હતાં, એવા મહાપુરુષો-તીર્થકરો અને આચાર્યોએ તેના વિચાર-વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. આવા મહાપુરુષોને માનની દૃષ્ટિથી ‘જિન' તરીકે ઓળખવામાં આવ્યા. જિન સંસ્કૃત ધાતુ નિ જીતવું પરથી થયેલો છે, અર્થાત્ જેણે રાગ, દ્વેષ આદિ સર્વદોષોથી પોતાનું મન નિર્મળ બનાવ્યું છે તેવા. આ જિનોએ તપ વડે પોતાના આંતરશત્રુઓને હણી તેમના ઉપર વિજય મેળવ્યો હોવાથી “અહંત' નામ પામ્યા. આ અહંત કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી “તીર્થકર'ને નામે ઓળખાયા. તીર્થકરના ત્રણ અર્થ બતાવાયા છે. (૧) ધર્મનું પ્રગટીકરણ કરે તે. (૨) સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓના બનેલા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે તે. (૩) સંસારરૂપી સાગરને તરવા માટે જે ઘાટ બાંધી આપે છે. આ મહામાર્ગમાં અનુભવસિદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરનારા ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે, જેમાં પ્રથમ તીર્થકર ઋષભદેવ આદિનાથ હતા. તે પછીના ૨૩ તીર્થકરોમાં છેલ્લા બે-પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી ઐતિહાસિક ગણાય છે. જૈન પરંપરામાં તીર્થકરોના પવિત્ર જીવન, ધર્મજીવન અને કૈવલ્યપદ પ્રાપ્તિની યાદ સતત રહે તે હેતુથી મૂર્તિઓ બનવા લાગી. આમ જૈન પ્રતિમાઓનો આવિર્ભાવ જૈન તીર્થકરોની મૂર્તિઓથી થયો હોવાનું જણાય છે. જૈન ધર્મમાં મૂર્તિશાસ્ત્ર અને પ્રતિષ્ઠા વિધાન માટે મુખ્ય બે ગ્રંથો–આચારદિનકર અને નિર્વાણકાલિકા ગણાય છે. ઉપરાંત ‘તિલોયપનતિ'નામના પ્રાકૃત ગ્રંથમાં જૈનમૂર્તિની કેટલીક વિગતો આપી છે. બૃહત્સંહિતાકર અને પ્રતિષ્ઠાસારોદ્ધાર જિનપ્રતિમાના કલાવિધાન અંગે હકીકતો નોંધે છે. ત્રિષષ્ઠીશલાકાપુરુષમાં દરેક તીર્થકર વિશે વિસ્તૃત વર્ણન જોવા મળે છે. આગમોમાં પણ મૂર્તિવિધાનના ખાસ વિષયો આપવામાં આવ્યા છે, જેમાં જિનમૂર્તિ સૌમ્ય, શાંત અને યોગધ્યાનવાળી બનાવવાનું શાસ્ત્રકારોએ સૂચવ્યું છે. જૈન ધર્મ પ્રાક ઐતિહાસિકકાલથી અસ્તિત્વમાં હોવાના કેટલાક અવશેષો મળ્યા છે. આવા અવશેષોમાં ખડકલેખમાં નિગ્રંથોનો ઉલ્લેખ તેમજ કેટલીક ગુફાઓ જૈન–સાધુઓનાં નિવાસસ્થાનો તથા ઉત્પનનમાંથી મળી આવેલી કેટલીક મૂર્તિઓને આધારે આ માન્યતાનું સમર્થન કરવામાં આવે છે. જૈન ધર્મમાં મૂર્તિપૂજા અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ રાજા ખારવેલના શિલાલેખમાંથી મળી આવે છે. આ ઉલ્લેખ લેખિત પુરાવાઓમાં સૌથી પ્રાચીન ગણાય છે. ગુપ્તકાલીન (પાંચમો સૈકો) એક તાપ્રલેખ પૂર્વબંગાળના પહાડપુરથી મળ્યો છે. તેમાં જિનમૂર્તિની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે. સાતમી સદીમાં ચીની યાત્રી હ્યુ-આનત્સાંગે નોંધ્યું છે કે બંગાળના વિભિન્ન ભાગોમાં નિગ્રંથ મોટી Jain Education Intemational For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy