________________
શાશ્વત સૌરભ ભાગ-૧
જૈનમૂર્તિવિધાનના પરિપ્રેક્ષ્યમાં તીર્થંકરોનું કલાવિદ્યાન
આ તીર્થંકરોએ જ આપણને ધર્મસત્તાનું વાસ્તવિક ભાન કરાવ્યું. અનિત્યાદિ ૧૨ ભાવનાઓ, અનશનાદિ ૧૨ તપો, ક્ષમાદિ ૧૦ યતિધર્મો, સામાયિકાદિ પ ચરિત્રો, ૨૨ પરિષહજન્ય આદિ સંવર-નિર્જરા આદિનું ભાન કરાવનારા આ તીર્થંકરો જ.
ભગવાન ઋષભદેવથી લઈને નેમિ, પાર્શ્વ અને મહાવીરસ્વામી સુધીના દરેક તીર્થંકરોના પ્રસંગો આપણને ઢંઢોળે છે, જાગૃત કરે છે, પ્રેરણા આપે છે. આ તીર્થંકરોની પ્રતિમાઓનું મૂર્તિવિધાન મુખ્યત્વે શિલ્પશાસ્ત્રના ગ્રંથોમાં જોવા મળે છે, જેમાં મૂર્તિવિધાનનાં લક્ષણોની વિશદ્ છણાવટ કરી છે. તીર્થંકરોની ઊભી પ્રતિમાઓને કાઉસગ્ગ અવસ્થાવાળી તથા બેઠી પ્રતિમાઓને પદ્માસનમુદ્રાવાળી કહેવામાં આવે છે.
Jain Education Intemational
૨૫૩
–ડૉ. આર. ટી. સાવલિયા
આ લેખમાળા રજૂ કરનાર લેખક, અધ્યાપક ડૉ. રામજીભાઈ ટી. સાવલિયાનો પરિચય જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં એમ. એ. (૧૯૮૨) અને પી.એચ. ડી. (૧૯૮૯). ‘સંસ્કૃત સાહિત્ય અને ઇતિહાસમાં શાસ્ત્રી (દ્વિતીય)ની પદવી (૧૯૯૭), ‘ગુજરાતની હિન્દુ દેવીઓનું પ્રતિમાવિધાન' નામનું મહાનિબંધનું ICHP નવી દિલ્હીના અનુદાન દ્વારા પ્રકાશન (૧૯૯૧) અને ગુજરાતમાંની માતૃકાઓનું મૂર્તિવિધાન (૧૯૯૩) અને કલાવિમર્શ (૨૦૦૦), ‘સંસ્કૃતિ અને કલા’ (૨૦૦૫), ‘સંસ્કૃતિ અને ઇતિહાસ' (૨૦૦૬), ‘સંસ્કૃતિ અને દર્પણ’ (૨૦૦૭) ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશન. 'ગુજરાતની દિક્પાલ પ્રતિમાઓ' (૧૯૯૯) અને પાશુપત સંપ્રદાય : ઉદ્ભવ અને વિકાસ' (૧૯૯૯) પુસ્તકરૂપે પ્રકાશન, ‘ગુજરાતનાં પ્રાચીન સરોવર, તળાવો અને કુંડો' યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત (૨૦૦૦), ક. ભા. દવે રૌપ્યચંદ્રક : ગુજરાત ઇતિહાસ પરિષદ, ૧૯૯૧, સમાજ ગૌરવ પુરસ્કાર : લોકસેવા ફાઉન્ડેશન અમદાવાદ મે (૧૯૯૯), સ્વ. ડૉ. હિરભાઈ ગૌદાની સમાજ ગૌરવ પુરસ્કાર ઃ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ અમદાવાદ ૧૯ જુલાઈ ૨૦૦૧, ક્યુરેટર કમ લેક્ચરર, વિચાર ટ્રસ્ટ, ધાતુપાત્ર સંગ્રહાલય (૧૯૮૨ જુલાઈથી ૧૯૮૪ જુલાઈ), ૧૯૮૪થી ભો. જે. વિદ્યાભવન અમદાવાદમાં ભારતીય સંસ્કૃતિ વિષયમાં અધ્યયન- સંશોધન અને અનુસ્નાતક કેન્દ્રમાં અધ્યાપક. ભારતીય સંસ્કૃતિ વિષયમાં પી.એચ. ડી. માટે ગુજરાત યુનિવર્સિટી (ઓક્ટો. ૧૯૯૬) તથા આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા કેન્દ્ર અને બૌદ્ધદર્શન વિષયમાં એમ. ફિલ. અને પી.એચ. ડી. માટે ગુજરાત વિદ્યાપીઠ (માર્ચ ૧૯૯૮) દ્વારા માન્ય માર્ગદર્શક અધ્યાપક. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની પુરાતત્ત્વ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની સંસ્થાઓનું આજીવન સભ્યપદ ધરાવે છે. ‘સામીપ્ય’ અધ્યયન અને સંશોધન ત્રૈમાસિક, (૧૯૯૨)થી સહાયક સંપાદક, ૨૦૦૭થી સંપાદક તરીકે, ગુજરાત ઇતિહાસ પરિષદમાં કોષાધ્યક્ષ (૧૯૯૪થી ૧૯૯૭) અને મંત્રી (૧૯૯૭થી ૨૦૦૦) હાલ ઉપપ્રમુખ (૨૦૦૮) આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અને બૌદ્ધ દર્શન કેન્દ્ર અને ઇતિહાસ
For Private & Personal Use Only
www.jainelibrary.org