________________
૨૫૨
શ્રી પુંડરીક સ્વામીએ ૫ કરોડ મુનિવરો સાથે અહીં શત્રુંજય ઉપર ચૈત્રી પૂર્ણિમાએ સૌ પ્રથમ નિર્વાણ પ્રાપ્ત કર્યું. શ્રી મણિ અને વિનામીએ ૨ કરોડ મુનિ સાથે, દ્રાવિડ અને વિરરખલા, ૧૦ કરોડ મહાત્મા, ચક્રવર્તી અને એના વંશજો અને બીજા ઘણા બધા, સાંબ, પાંચ પાંડવ અને બીજા ઘણાએ આ પવિત્ર પર્વત ઉપર નિર્વાણ પ્રાપ્ત કર્યું એવી માન્યતા છે.
આદિનાથનું ચૌમુખ મંદિર
ટોચ ઉપર આવેલ આદિનાથ મંદિર એ ચૌમુખ મંદિરનું લાક્ષણિક ઉદાહરણ છે, ત્યાં જે લેખ મળેલ છે એના ઉપરથી માહિતી મળે છે કે આ મંદિર ઈ.સ. ૧૬૧૮માં જૂના મંદિરની જગ્યા ઉપર સવા સોમજીએ બંધાવ્યું હતું.
૨ ફૂટની પડથાર ઉપર ઊભું આ ચોરસ મંદિર ૧૭ ફૂટ પહોળું અને ૬૭ ફૂટ લાંબું છે અને એનો આગળનો ભાગ વિસ્તૃત છે. મંદિરમાં બે ચોરસ હોલ છે અને પૂર્વમાં એક ચોરસ મંડપ/ મુખ ચતુષ્કી છે, જ્યાંથી સીડીથી ઉપર ચડતાં અંતરાળાનું દ્વાર આવે છે જે ૩૧ ફૂટ પહોળું છે અને ૧૨ થાંભલાઓમાંથી ઉ૫૨ શિખર ઊભરે છે. અષ્ટકોણી થાંભલાઓ ઉપર ગોળાકાર રિસેસવાળું શિખર છે. પૂર્વના મુખ્ય દરવાજા ઉપરાંત હોલ ને
Shree Delwara Jain Mandir Abus SKPPedil
Jain Education Intemational
ધન્ય ધરાઃ
બે દ્વાર છે કે જે બેઉ બાજુથી મુખ ચતુષ્કીમાં ખૂલે છે. ગર્ભગૃહ ૨૩ ફૂટનું છે, જેમાં ચાર કોલમ આરસનું સિંહાસન બનાવે છે.
નંદીશ્વર દ્વીપ, આદીશ્વર મંદિર, બાલાભાઈ મંદિર, મોતીશા મંદિર.
અહીં શત્રુંજયનાં દરેક મંદિરનું વર્ણન કરવું મુશ્કેલ છે. શત્રુંજયની મહત્તા એના ઉપર કેટલાં મંદિરો છે અને દેલવાડાનાં મંદિરોથી જુદાં છે અને શિલ્પકામ જુદું છે એમાં નથી-પરંતુ અહીં પ્રવર્તતી શાંતિ માટે છે. શત્રુંજય પર્વત પર સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી માણસોની અવર-જવર નથી હોતી. કોઈપણ વ્યક્તિ બ્રહ્મ મૂહુર્તમાં કોઈ પણ એક ટૂંક ઉપર બેસે તો એને સમજાશે કે કેવળજ્ઞાન પામેલા તીર્થંકર આ પર્વત ઉપર શું કામ આવતા?
પશ્ચિમ ભારતનાં જૈન મંદિરોની પવિત્રતા-ખ્યાતિ આજે ઉચ્ચ કક્ષાએ છે. દરેક જૈનો અને કેટલેક અંશે અજૈનોનાં હૃદયમાં પણ આ તીર્થસ્થાનો શ્રદ્ધાપાત્ર બની ચૂક્યાં છે.
(Ref Arch of Western indo jain Temple by Dr. Sali & Shree Barvaliya)
For Private & Personal Use Only
www.jainelibrary.org