SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૨૫૫ સંખ્યામાં જાણીતો હતો. પાલવંશના રાજ્યકાળની નવમી અને દસમી શતાબ્દી આસપાસની જૈન પ્રતિમાઓ મોટી સંખ્યામાં ખોદકામમાંથી પ્રાપ્ત થઈ છે. ઈ. પૂ. પહેલી સદીમાં ઉજ્જૈન અને મથુરામાં જૈન લોકો જાણીતા હતા, જે ગર્દભિલ્લ અને કાલકાચાર્યની કથા ઉપરથી સ્પષ્ટ થાય છે. ગુપ્તકાલીન લેખને આધારે માલૂમ પડે છે કે ઉદયગિરિ-વિદિશામાં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. મથુરામાંથી મળેલા પુરાવશેષો પરથી ઈ.પૂ. બીજી સદીથી ઈ.સ.ની દસમી સદી સુધી આ પ્રદેશમાં જૈનધર્મનું મહત્ત્વનું કેન્દ્ર હતું. મથુરા પાસે કંકાલિ ટીલા નામના સ્થળેથી જૈન સૂપ મળ્યો છે. તેની મધ્યમાં સુપાર્શ્વનાથની મૂર્તિ હોવાનું જણાય છે. મથુરાની સાથોસાથ વલભીમાં ચોથી સદીના પ્રારંભકાળમાં નાગાર્જુનીયવાચના તેમજ ગિરનાર પર્વતની સાથે ધરસેનાચાર્ય, પુષ્પદંત તથા ભૂતબલિના સંબંધથી આ પ્રદેશની સાથે જૈનધર્મનો સંબંધ ઈ.સ.ની પહેલી શતાબ્દીથી હોવાનું જણાય છે. વલભીની બીજી અને અંતિમ વાચનાથી સ્પષ્ટ થાય છે કે પાંચમી સદીમાં જૈનધર્મ આ પ્રદેશ ઉપર સ્થિર થઈ ગયો હતો. સાતમી સદીના બે ગુર્જર રાજાઓને જૈનધર્મ પ્રત્યે અનુરાગ હતો, જે તેના દાનપત્રોને આધારે જાણી શકાય છે. ચાવડાવંશના સ્થાપક વનરાજે પણ જૈનધર્મને પ્રોત્સાહન આપ્યું હતું. સોલંકી રાજા ભીમના મંત્રી વિમલશાહે ૧૧મી સદીમાં આબુ ઉપર બંધાવેલા જૈન શિલ્પ સ્થાપત્યના નમૂના જગપ્રસિદ્ધ છે. સિદ્ધરાજ અને કુમારપાળનો સમય જૈન ધર્મનો સુવર્ણયુગ હતો. આ દરમ્યાન ગુજરાત જૈનધર્મનું એક બળવાન અને સમૃદ્ધ કેન્દ્ર બની ગયું. ૧૩મી સદીમાં વસ્તુપાલ અને તેજપાલે આબુ પર બનાવેલા સંગેમરમરના જૈન પ્રાસાદો તેની કલા માટે અદ્વિતીય છે. રાજસ્થાનમાં જૈનધર્મનું અસ્તિત્વ મૌર્યકાલ પહેલાંનું મનાય છે. અજમેર પાસેથી મળેલા શિલાલેખમાં મહાવીરનિર્વાણના ૮૦માં વર્ષનો ઉલ્લેખ છે. આ મુજબ ઈ.પૂ. પાંચમી સદીમાં ત્યાં જૈનધર્મ વિદ્યમાન હોવાનું જણાય છે. સાતમી સદીમાં ચીની મુસાફર હ્યુ-આન-ત્સાંગના વર્ણનથી ભિન્નમાલ અને વૈરાટમાં જૈનોનું અસ્તિત્વ માલૂમ પડે છે. વસંતગઢ (સિરોહી)માં ઋષભદેવની ધાતુની મૂર્તિ ઉપર છઠ્ઠી સદીનો લેખ છે. પ્રતિહાર રાજા વત્સરાજ (૮મી સદી)ના સમયનું ઓસિયાનું મહાવીરનું મંદિર આજે પણ જાણીતું છે. - ઈ.સ.ની બીજી સદીથી ૧૩મી સદી સુધી જૈનધર્મ કર્ણાટકનો મુખ્ય ધર્મ રહ્યો. ત્યાંનાં લોકજીવન, સાહિત્ય, સંસ્કૃતિ અતિ અને કલા ઉપર આ ધર્મનો જ પ્રભાવ છે તે અદ્વિતીય છે. બીજી સદીમાં ગંગવંશની સ્થાપના કરવામાં જૈન આચાર્ય સિંહનાદ મુખ્ય હતા. રાયમલ્લચતુર્થના મંત્રી ચામુંડરાયે ગોમટેશ્વરની જે વિશાળ અને અદ્ભુત મૂર્તિ બનાવરાવી છે તે પોતાની કલા માટે જગવિખ્યાત છે. પ્રારંભકાલથી મધ્યયુગ સુધી જૈનધર્મ પૂર્વ દેશથી દક્ષિણ અને પશ્ચિમ તરફ ઉત્તરોત્તર વિકાસ પામતો રહ્યો. જૈન પ્રતિમાઓની પ્રાચીનતાની દૃષ્ટિએ જોઈએ તો પટના પાસેના લોહાનીપુરમાંથી પ્રાપ્ત તીર્થકરની પ્રતિમા પ્રાચીન ગણાય. રેતિયા પથ્થરમાં કંડારેલ મસ્તક અને પગ વગરની આ ખંડિત પ્રતિમા પરનું પોલીશ મૌર્યકાલીન જણાય છે. અહીંથી પ્રાપ્ત અન્ય એક પ્રતિમાના હાથ કાયોત્સર્ગ અવસ્થામાં છે. આ પ્રતિમા ઈ.પૂ. પહેલી સદીની મનાય છે. મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં આવેલ કાયોત્સર્ગ અવસ્થાની ધાતુ પ્રતિમા પાર્શ્વનાથની હોવાનું જણાય છે. કુષાણકાલથી જૈન તીર્થકરોની ઘણી પ્રતિમાઓ મળવા લાગી. આ સમયમાં ચૌમુખ-ચારબાજુ ચાર તીર્થકરોઋષભદેવ, નેમિનાથ, ચંદ્રપ્રભ અને મહાવીરની મૂર્તિ મૂકવાની પ્રથા પ્રચલિત થઈ. અહીં ઋષભદેવનું લાંછન વૃષભ અને મહાવીરનું સિંહ બતાવેલ છે. મૂર્તિઓમાં આ લાંછન મૂકવાની પ્રથા ગુપ્તકાલથી શરૂ થઈ હોવાનું જણાય છે. ચંદ્રગુપ્ત બીજાના (ઈ.સ. ૩૧૬-૪૧૫) સમયની નેમિનાથની પીઠિકા પર શંખનું લાંછન અને ચંદ્રપ્રભની ધાતુપ્રતિમાની ટોચ પર ચંદ્રનું લાંછન નજરે પડે છે. તીર્થકરોની છઠ્ઠી સદીની ધાતુ-પ્રતિમાઓમાં જમણી બાજુ યક્ષ અને ડાબી બાજુ યક્ષિણી મૂકવાની પ્રથા શરૂ થઈ. ૨૪ યક્ષ અને વળી બાજ યુધિ તીર્થકરના ૨૪ યક્ષ-યક્ષિણી નવમી સદીથી તીર્થંકર પ્રતિમાઓમાં જોવામાં આવે છે. આમ જૈનધર્મમાં મૂર્તિપૂજાની શરૂઆત શિશુનાગના સમયમાં કે નંદરાજાના સમયમાં મૂર્તિ હોવાના સ્પષ્ટ નિર્દેશ મળે છે. ઉપરાંત રાજા ખારવેલના હાથી ગુફાલેખમાં ઋષભદેવની , પ્રતિમાનો ઉલ્લેખ તથા મથુરામાંથી પ્રાપ્ત પુરાવશેષોને આધારે ઈ.પૂ. 600માં જૈન મૂર્તિઓ અને તેનાં મંદિરો થતાં હતાં. જૈન પ્રતિમાનાં લક્ષણો ભારતની બીજી મૂર્તિઓથી જૈન પ્રતિમાઓ તેનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોને લઈને જુદી પડે છે. જૈન પરંપરામાં તીર્થકરોની મૂર્તિઓને તેમજ ધર્મના આચાર્યોને પણ સ્થાન આપવામાં આવ્યું મૂતિઓને તેમજ ધર્મના આચાયોને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy