________________
શાશ્વત સૌરભ ભાગ-૧
મોટી ખાખર (કચ્છ)
જિનસેવકો, ચમરધારી, હાથી, મકર કે વ્યાલા જેવાં પશુઓ કે ઘણી વાર ઊડતી આકૃતિઓ અને બાજુમાં યક્ષ-યક્ષિણીઓ પણ હોય છે. પાર્શ્વનાથ ભગવાનના શિર ઉપર ફણાનું છત્ર હોય છે. આની પાછળ એક દંતકથા છે. પરિકર ઉપર ઘણીવાર બીજા જિન ભગવંત હોય છે, જેનાથી મૂર્તિને નામ મળે છે. દા.ત. જો મૂર્તિમાં કુલ ત્રણ તીર્થંકર હોય તો એ મૂર્તિ ત્રિતીર્થી, પાંચ હોય તો પંચતીર્થી, જો ૨૪ હોય તો ચોવીસી તરીકે ઓળખાય છે. જિનમૂર્તિ ઉપર લાંછન કે ચિહ્ન હોવું જરૂરી છે. નહીં તો એ ક્યા તીર્થંકરની મૂર્તિ છે તે ઓળખવું ખૂબ મુશ્કેલ પડે છે, કેમકે જૈન મૂર્તિશાસ્ત્રમાં પ્રત્યેક તીર્થંકરનાં કંઈ વિશિષ્ટ લક્ષણો નથી. ઈ.સ. ૧૪મી સદી પછી મૂર્તિઓ લગભગ એક સરખી જ બનતી હતી અને એના વિકાસનો અભ્યાસ કરવો એ મુશ્કેલ થઈ ગયું. ઘણીવાર મંદિરમાં મૂળનાયકની મૂર્તિ મંદિરની નથી હોતી પરંતુ બીજે જ ક્યાંયથી મળેલ મૂર્તિ પણ સ્થાપેલી હોય છે અને આને લીધે મૂળ મંદિર ક્યા તીર્થંકરનું હતું એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે.
જૈનશાસ્ત્રોમાં કથાનો વિપુલ ખજાનો છુપાયેલો છે, આ કથા-પ્રસંગો જૈનમંદિરોની છતો ઉપર તેમજ દીવાલ ઉપર
Jain Education International
૨૪૧
કોતરવામાં આવે છે અને લોકોને એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તો બીજા પ્રકારનાં શિલ્પોમાં આ કથાપ્રસંગોવાળાં શિલ્પો સ્થાન પામે છે. આ વર્ગમાં તીર્થંકરોના પંચ કલ્યાણક-એટલે કે તીર્થંકરના આયુષ્યના પાંચ મુખ્ય પ્રસંગો-ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ ખૂબ જ લોકપ્રિય છે. ઘણાં મંદિરોમાં આપણને જુદા જુદા તીર્થંકરોનાં પંચકલ્યાણક કોતરેલાં જોવા મળે છે. કુંભારિયાના મંદિરમાં આની ખૂબ જ સુંદર કોતરણી આપણને દેખાય છે. આ ઉપરાંત ઉપસર્ગ, ભાવંતરા એટલે જિંદગીનાં દૃશ્યો, ૨૪ તીર્થંકરો ભૂત, વર્તમાન, ભવિષ્યનાં માતા-પિતા, આચાર્યો, એમના શિષ્યો, કૃષ્ણજન્મ, આર્દ્રકુમારની કથા, ભરત– બાહુબલીની લડાઈ, કૃષ્ણે કરેલા કાલીયમર્દન, સમુદ્રમંથન, ગોકુળમાં કૃષ્ણ, તેમજ રામાયણ-મહાભારત વગેરેમાં ભરત બાહુબલીની વગેરે એમ ઘણી કથા આપણી આંખ સામે તાદેશ થાય છે. આબુના મંદિરમાં લડાઈ આખા છજ્જામાં કોતરેલ છે.
દૈવત્વવાળા–એટલે કે યક્ષ-યક્ષિણી, વિદ્યાદેવી, દિક્પાલ, પ્રતિહાર, વિનાયક, સરસ્વતી, લક્ષ્મી, ગણેશ, નૃસિંહ, વિષ્ણુ, વીરભદ્ર, ગંગા, યમુના વગેરેએ ત્રીજા પ્રકારના શિલ્પમાં આવે છે. જો કે જૈનમંદિરોમાં ગંગા-યમુના ખાસ કરીને મળતાં નથી. આ શિલ્પો આપણને ગર્ભગૃહની બહાર પોતાનાં ચિહ્નો સાથે હોય છે. આ શિલ્પો પદ્માસન, લલિતાસનમાં બેઠેલ કે પ્રભંગ અથવા ત્રિભંગમાં ઊભાં હોય છે. ઘણી વાર નૃત્ય પણ કરતાં હોય છે. આ શિલ્પોનાં અંગ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં દાગીના હોય છે, જેમકે મુકુટ (કદંડ અથવા કિરીટ), કાનમાં કર્ણફૂલ વગેરે. ગળામાં જુદી જુદી જાતની માળાઓ, હાથમાં કડાં, પોંચી, કમર, પટ્ટો, કંદોરો, ઝાંઝર વગેરેથી શણગારેલ છે. જુદા જુદા પ્રકારના દાગીના સુંદર રીતે કોતરેલ છે.
ચોથા પ્રકારનાં શિલ્પોમાં અપ્સરાનો સમાવેશ થાય છે. આ સ્વર્ગીય અપ્સરાઓની મૂર્તિ હંમેશાં સુંદર હોય છે, જેનાં અંગ ઉપર ભરપૂર દાગીનાઓ છે અને એની કલ્પનાપૂર્વક કોતરણી કરેલ છે. એ જુદા જુદા આકર્ષક અંગસ્થિતિ (પોઝ)માં મંદિરની અંદર-બહાર બેઉ જગ્યાએ મળે છે. કુંભારિયાના મંદિરની દીવાલ પરની અપ્સરાઓ તો કારીગરીના કૌશલ્યનો એક ઉત્તમ નમૂનો છે. કારીગરનાં કલાકૌશલ્યનો ખ્યાલ આપણને એના ભરાવદાર નિતંબ, પાતળી લચકદાર કમર, ભરેલી છાતી અને લટકાળા દેખાવ પરથી આવે છે. કલાકારના બારીકાઈભર્યાં અવલોકન અને કોતરણીને દાદ દેવી જોઈએ.
વિદ્યાધર, કિન્નર, નૈગમેશી એ બધા પાંચમા પ્રકારનાં
For Private & Personal Use Only
www.jainelibrary.org