SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શ્રેણીબદ્ધ શિખરીઓ વચ્ચે આગવી અદામાં ઊભેલા શિખરોથી સુસજ્જ તાણાતીર્થનું સુરમ્ય જિનાલય શિલ્પોમાં આવે છે. વિદ્યાધર એટલે મનુષ્યના રૂપમાં અલૌકિક શક્તિવાળા દેવ, કિન્નર અને નૈગમેશીએ મેળવણી (કંમ્પ્રીઝિટ) આકૃતિ તરીકે કોતરેલ હોય છે. નૈગમેશીને સાધારણ હિરણના મુખ સાથે દેખાડે છે. શ્વેતાંબર માન્યતા પ્રમાણે ભગવાન મહાવીરના ગર્ભનો ફેરફાર બ્રાહ્મણી દેવાનંદાના પેટમાંથી ક્ષત્રિયાણી ત્રિશલાના પેટમાં નૈગમેશીએ જ કરેલો. કિન્નરો એટલે મનુષ્યના ધડ અને પશુ કે પંખીઓના મોઢા સાથેના જીવો આ લગભગ શણગારેલા મોટીફમાં ઊડતા કે એમાંથી નકશી રૂપે નીકળતા દેખાડે છે. છઠ્ઠા પ્રકારમાં પરચૂરણ વિષયોનો સમાવેશ થાય છે. આમાં સામાન્ય સ્ત્રી-પુરુષો, પશુ-પંખીઓ, કીર્તિમુખ, નાગ, વ્યાલા, મકર વગેરેનો સમાવેશ થાય છે. મનુષ્ય એના સાધારણરૂપમાં એ સમયના ઝવેરાત તેમજ કપડાંથી શણગારેલ દેખાડે છે. મકર એ સાધારણ રીતે તોરણ સાથે સંકળાયેલ છે. મૂર્તિશાસ્ત્રની વાત કરીએ તો હિંદુ દેવતાઓની મૂર્તિઓ પ્રમાણે જ જૈન દેવતાઓની મૂર્તિ તૈયાર થાય છે. પાર્શ્વનાથ કે જે ફણા સાથે અને ઋષભનાથ કે જે કર્ણાન્ત ઘૂંઘરાળા વાંકડિયા Jain Education International ધન્ય ધરાઃ વાળ સાથે કોતરેલ છે એના સિવાય બાકીના ૨૨ તીર્થંકરને એમના લાંછન કે ચિહ્ન સિવાય ઓળખવા મુશ્કેલ છે, પરંતુ લાંછન દેખાડવું એ સમયની સાથે સાધારણ વાત થઈ ગઈ હતી, એટલે જૈન ભગવંતને ઓળખવાનું કામ સહેલું થઈ ગયું. જિન મૂર્તિઓ સિવાય-યક્ષ-યક્ષિણી, ૧૬ વિદ્યાદેવી, આઠ દિક્પાલ, સરસ્વતી, લક્ષ્મી, વિદ્યાધર, નૈગમેશી, વિનાયક, કિન્નર, ગંગા, યમુના, દેવી શ્રી અને અષ્ટમંગલ (આઠ માંગલિક વસ્તુઓ) જેમકે સાથિયો, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, દર્પણ, મીનયુગ્મ આ સર્વસાધારણપણે જૈન મંદિરમાં મળે છે. જૈન મૂર્તિશાસ્ત્રમાં મૂર્તિનાં આયુધો બાબત એક મત નથી. ઘણી દેવીઓ એમનાં પ્રખ્યાત આયુધોથી તરત જ ઓળખાઈ જાય છે, જેમકે દેવી અંબિકા-એ હંમેશાં આંબાના ઝાડ અને બાળક સાથે સંકળાયેલ છે, જ્યારે ચક્રેશ્વરીના હાથમાં ચક્ર હોય છે. વજ્રકુંશીના હાથમાં ચક્ર અને પરોણી, વજ્રશૃંખલાની સાથે સાંકળ, મહાજ્વાલાના હાથમાં કુંભ-આ સામાન્ય આયુધો છે. વિદ્યાદેવી અને યક્ષિણીઓના હાથમાં ઘણીવાર સરખાં જ આયુધો હોવાથી એમને ઓળખવાં ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે, પરંતુ જિન ભગવંતની સાથે એમના સેવક તરીકે યક્ષ-યક્ષિણી આવે છે ત્યારે એમને ઓળખવા સહેલાં થઈ જાય છે. જૈનમંદિરોમાં વિદેવી મહાવિદ્યાદેવીઓની આકૃતિ ખૂબ સાધારણ વાત છે. આ વિદ્યાદેવીઓ એટલે રોહિણી, પ્રજ્ઞાપ્તિ, વજ્રશૃંખલા, વજ્રકુંસી અપ્રતિચક્રા, નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, મહાજ્વાલા, માનવી, વૈરોટયા, અચ્છુપ્તા, માનસી અને મહામાનસી. આ બધી વિદ્યાદેવીઓને પોતાનું વાહન છે, પણ કોઈ જગ્યાએ આ વાહન બદલાયેલું પણ દેખાડે છે. દા.ત. વૈરોટયાના વાહન તરીકે લગભગ બળદ હોય છે પરંતુ ઘણી જગ્યાએ એના વાહનના રંગ મંડપની છત ઉપર બ્રેકેટ મૂર્તિ તરીકે અને કોરીડોરમાં પણ આ બધી જ ૧૬ દેવીઓ કોતરેલ હોય છે. આઠે દિશાના રક્ષક દિક્પાલ પણ હિંદુમંદિરના દિક્પાલની સરખા જ છે. કુંભારિયાના નેમિનાથમંદિરમાં બધા જ એટલે ૮ દિક્પાલ એના દિશાના સ્થાન પ્રમાણે બરોબર કોતરેલા છે. આમ આપણને કુબેર અને ઇશાન એ ઇશાન ખૂણામાં, ઇન્દ્ર અને અગ્નિ એ અગ્નિ દિશામાં, યમ અને નિરુતિ એ નૈઋત્ય દિશામાં તો વરુણ અને વાયુ એ વાયવ્ય દિશામાં મળે છે. આ દિક્પાલ સાધારણ રીતે એમનાં વાહન સાથે કોતરેલ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy