SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ કાચતો ચંદરવો-સુમતિતાથતું જૈત મંદિર તળાજા સ્થિત વનરાજ વિહાર, દેલવાડાના વિમલવસહી તેમજ ચંદ્રાવતીના નિમ્નયામંદિરમાં મંડપો ઉમેરાવ્યા. નવાં મંદિરોની સાથે જૂનાં મંદિરોનો જીર્ણોદ્વાર તેમજ એની જગ્યાએ નવાં મંદિરો પણ બંધાતાં હતાં. ઈ.સ. ૧૧૫૬ની આસપાસ ઉદયન પુત્ર મંત્રી વાગભટ્ટે શત્રુંજય સ્થિત જૂના આદિનાથ મંદિરની જગ્યાએ નવું મંદિર બંધાવ્યું અને ઈ.સ. ૧૧૬૭માં ધોળકાના ઉદયનવિહારમાં વધારો કર્યો. એના ભાઈ આમ્રભટ્ટે ઈ.સ. ૧૧૬૬માં ભૃગુકચ્છ (ભરૂચ)માં આવેલ શકુનિ ચૈત્યની જગ્યાએ નવા ભવ્યમંદિરનું નિર્માણ કર્યું. ધાર્મિક કાર્યો કરવાના ઉત્સાહી બે વાઘેલા ગુણવાન ભાઈઓ વસ્તુપાલ અને તેજપાલ એમણે કરેલ કાર્યો અને દાન માટે પ્રખ્યાત છે. એવી માન્યતા છે કે એમણે ૫૦થી વધારે મંદિરોનું નિર્માણ કરેલ છે, જેમાંનાં નોંધપાત્ર છે-શત્રુંજય ઉપર સ્થિત વસ્તુપાલે બંધાવેલ આદિનાથ મંદિર, સામેનો ઇન્દ્રમંડપ અને બીજાં ૬ મંદિરો, વસ્તુપાલવિહાર (ઈ.સ. ૧૨૩૧), ગિરનારપર્વત પરનું પાર્શ્વનાથમંદિર, ધોળકાનું શત્રુંજય અને કર્ણાવતીમાં નંદીશ્વરદ્વીપ ચૈત્ય, ધોળકા, ગિરનારપર્વત, દેલવાડા (ઈ.સ. ૧૨૩૨)માં નેમિનાથમંદિર અને પ્રભાસમાં આદિનાથમંદિરનું નિર્માણ કર્યું. ઉપરાંત પોતાના પિતાની યાદમાં અણહિલપાટણમાં અસરાજવિહાર અને માતા કુમારદેવીની Jain Education Intemational યાદમાં દર્ભાવતી (ડભોઈ) અને કેમ્બે (ખંભાત)માં એક એક મંદિર બંધાવ્યું. ધન્ય ધરાઃ ભદ્રાવતીના જગડુશા અને માંડવગઢના પેથડશા એ બેઉ ઉત્સાહી હતા અને અનુક્રમે ઢાંક, વર્ધમાન, શત્રુંજય અને પ્રભાસ, ધવલકા (ધોળકા), સંકલ્પપુર (સલક્ષણપુર) અને શત્રુંજય ઉપર મંદિરોની નિર્મિતિ કરી. સંશોધન મુજબ રાજસ્થાનમાં ઈ.સ. ૮ થી ૧૦ શતાબ્દીમાં ગુજરાતથી વધારે જૈન મંદિરોને દાન મળેલ છે પરંતુ ૧૦મી શતાબ્દી પછી ગુજરાતના જૈન ક્ષેત્રમાં વધારે કાર્ય થયું છે. જૈન ધર્મ વિશ્વકર્તામાં માન્યતા રાખતો નથી, એટલે એનાં મંદિરો પણ ૨૪ તીર્થંકરોમાંના કોઈપણ એક કે એનાથી વધારેને અર્પણ કરેલ હોય છે. ઋષભ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર એ ૨૪ તીર્થંકરોમાંથી સહુથી લોકપ્રિય છે. એ એમનાં મંદિરોની સંખ્યા પરથી જણાય છે. એના પ્રમાણમાં અજિતનાથ, શાંતિનાથ અને સંભવનાથ, ચંદ્રપ્રભુનાં મંદિરો ઓછાં છે અને For Private & Personal Use Only ભદ્રાવતી તીર્થ www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy