________________
શાશ્વત સૌરભ ભાગ-૧
સંબંધો હતા. ઈ.સ. ૧૧૧૦ અને ૧૧૧૫માં અશ્વરાજાના પુત્ર કટુક રાજાએ સેવાડીના મહાવીર મંદિરને બક્ષિસ આપી હતી. તેમજ નાડુલાના ચહામના રાજા આલ્હાનદેવે ઈ.સ. ૧૧૭૧માં સંડેરેકા (સાડેરાવ)ના મહાવીરમંદિરને બક્ષિસ આપી હતી.
હસ્તિ કુંડી (હાથી કુંડી)ના રાષ્ટ્રકૂટો જૈન ધર્મના કટ્ટર અનુયાયી હતા. રિવર્મનના પુત્ર વિદગ્ધ રાજાએ હસ્તિકુંડીમાં ઈ.સ. ૯૧૭માં શ્રી ઋષભદેવનું મંદિર બંધાવ્યું અને એના પુત્ર મમ્મલાએ એજ મંદિરને બક્ષિસ આપી. મમ્મલાના પુત્ર અને ઉત્તરાધિકારી ધવલાએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી મંદિર માટે કૂવો ખોદાવ્યો.
રાજાઓની સાથે સાથે રાણીઓ પણ દાનધર્મ કરવામાં આગળ પડતો ભાગ લેતી હતી એ રાજસ્થાનની રાણીઓએ કરેલાં દાન ઉપરથી સ્પષ્ટ થાય છે. નડુલાની ચહામના રાણી રજની મનાલદેવીએ પોતાના બે પુત્રો સાથે ઈ.સ. ૧૧૩૨માં નડુલા ગંગીકા સ્થિત મહાવીરમંદિરને દાન આપ્યું. ઈ.સ. ૧૧૬૯માં અલ્હાનાદેવની પત્ની રાણી અણહલાદેવીએ સંડેરકાના મંદિરને દાન આપ્યું. ચંદ્રાવલીના પરમારકુંવર ધારાવર્ષદેવની રાણી શ્રૃંગારાદેવીએ ઈ.સ. ૧૧૯૭માં જાડોલીના મંદિરને દાન આપ્યું. સમરસિંહની માતા ગુહિલારાણી જૈતલાદેવીએ ઈ.સ. ૧૨૭૮માં ચિત્રકૂટમાં શ્રી પાર્શ્વનાથમંદિર બંધાવ્યું.
પર્વતતી તળેટીમાં રમ્ય શોભા પાથરતું જિતાલય-તાડોલા
Jain Education International
૨૩૦
જૈત દેરાસર કલિકુંડ તીર્થ-ધોળકા જૈનધર્મને ફક્ત રાજાઓ જ મદદ કરતા એવું ન હતું. મંત્રીઓ, અધિકારીઓ અને સામાન્ય માણસો પણ મંદિર, આશ્રમ, પુસ્તકાલય વગેરે બનાવવામાં છુટ્ટે હાથે મદદ કરતા હતા. આનો જ્વલંત દાખલો મંત્રી વિમલશાહનો છે. દંડનાયક વિમલે ઈ.સ. ૧૦૩૨માં દેલવાડામાં આદિનાથ મંદિરનું નિર્માણ કર્યું, જે આજે પણ પોતાની સુંદર અને નાજુક કોતરણી માટે વિશ્વવિખ્યાત છે. આજ વિમલે બંધાવેલ બીજાં બે મંદિરોનો ઉલ્લેખ કવિ મેહા (ઈ.સ. ૧૪૪૩) પોતાની રચનામાં કરે છે, જેમાંનું એક મંદિર શત્રુંજય ઉપર આવેલ વિમલવસહી છે તો બીજું કુંભારિયાનું છે. સોલંકી રાજા કર્ણદેવના પ્રધાનમંત્રી શાંતુએ અણહિલ પાટણ અને કર્ણાવતી (અમદાવાદ)માં શાંતુ વસતિકા બંધાવી. બીજા મંત્રી મુંજાલે ઈ.સ. ૧૦૯૩ની આસપાસ અણહિલ પાટણમાં મુંજાલવસતિની સ્થાપના કરી. આજ કાળ દરમ્યાન ઉદયન મંત્રી (ઈ.સ. ૧૦૯૩)એ પણ કર્ણાવતીમાં ઉદયનવિહાર અને સ્તંભતીર્થ (ખંભાત)માં ઉદયનવસતિનું નિર્માણ કર્યું, એટલું જ નહીં ઈ.સ. ૧૧૧૯માં ધવલકા (ધોળકા)માં જિન સીમંધરના મંદિરની નિર્મિતિ કરી. એજ વર્ષે મંત્રી સોલંકીએ અણહિલ પાટણમાં સોલંકીવસ્તી બંધાવી. સોરઠના દંડનાયક સજ્જને ઈ.સ. ૧૧૨૯માં ગિરના૨૫ર્વત ઉપર આવેલ પ્રખ્યાત નેમિનાથમંદિરનું નિર્માણ કર્યું. કુમારપાળના મંત્રી પૃથ્વીપાલે અણહિલ પાટણમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org