SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ધન્ય ધરાઃ અનુયાયી કુમારપાળ, (ઈ.સ. ૧૧૪૪–૭૪) કે જેના ગુરુ હેમચંદ્રાચાર્ય હતા એણે ઘણાં મહત્ત્વનાં સ્થળોએ કુમારવિહાર બંધાવ્યા. એમને પોતાના ગુરુ માટે ખૂબ જ માન હતું અને એની આજ્ઞાથી ઠેકઠેકાણે મંદિરો બંધાવ્યાં. આ બાજુ રાજસ્થાનમાં પણ ગુર્જર પ્રતિહારોનો ઉત્સાહ વખાણવાલાયક હતો. નાગભટ્ટ ૧લાએ પોતાના ગુરુ યક્ષદત્તગણિના માનમાં પોતાની રાજધાની જબાલીપુરામાં યક્ષવસતિ પ્રસાદ બંધાવ્યો. આ જ નાગભટ્ટ સાંચોર કે જે સત્યપુરાને નામે પણ ઓળખાય છે ત્યાં એને કોરતા કે કોરાંતમાં મંદિરો બંધાવ્યાં. પ્રતિહાર રાજા નાગભટ્ટ ૨-જા અને મિહિરભોજ પણ જૈન ધર્મના ટેકેદાર હતા. પછીના સમયમાં ચહામના રાજાઓને જૈનો સાથે ખૂબ સારા સંબંધો હતા. રણથંભોરના જૈનમંદિર ઉપર પૃથ્વીરાજ ૧લાએ સોનાનો કળશ ચડાવ્યો હતો. એમના પુત્રો અને ઉત્તરાધિકારીઓને જૈન ધર્મ માટે માન હતું. કહેવાય છે કે એમના પુત્ર અને ઉત્તરાધિકારી વિશાલદેવ વિગ્રહ રાજાએ અજમેરમાં રાજવિહાર બંધાવેલ હતું. ઈ.સ. ૧૧૬૯માં એમના પુત્ર પૃથ્વીરાજ રાજાએ પાર્શ્વનાથ દિગંબર જૈનમંદિર માટે ગામ બક્ષિસ આપેલ. નાડોલ કે નાડુલાના ચહામનાને પણ જૈનો સાથે સારા રાજસ્થાન (સાદડી)નાં જિનમંદિરો ૮મી સદીમાં જૈનમંદિર-હરિભદ્રસૂરિજીના સમયમાં બંધાયેલ હતું. જાલીહરગચ્છના શ્રેયાર્થે અણહિલપાટણના નિનૈયાએ ચંદ્રાવતીમાં જૈનમંદિર બંધાવેલ છે. જયસિંહસૂરિ પોતાના ધર્મોપદેશ વિહારણમાળાવૃત્તિમાં (ઈ.સ. ૮૫૯) નાગૌર (પ્રાચીન નાગપુરા)માં સ્થિત જૈનમંદિરનો ઉલ્લેખ છે, તદુપરાંત એમ કહેવાય છે જયસિંહના ગુરુ ક્રિષ્ણાશ્રીએ નાગોર જૈન મંદિર બંધાવ્યું હતું. ઈ.સ. ૧૦મી સદીની શરૂઆતમાં રઘુસેને (જેનો રાજવંશ સ્પષ્ટ નથી) વાયવ્ય ગુજરાતમાં આવેલ રામસૈન્યપુર (રામસેન)માં જિનભવન બંધાવેલ. સોલંકી રાજા મૂળરાજ ૧લાએ (ઈ.સ. ૯૪૨-૯૯૫) શ્વેતાંબર પંથનું મૂળનાથ જિનદેવે અણહિલપાટણમાં બંધાવ્યું અને એના અનુયાયી ચામુંડારાજા અને દુર્લભરાજા જૈન ધર્મના ખાસ ટેકેદારો હતા. ચામુંડા રાજાએ ઈ.સ. ૯૭૭માં મંદિરને દાન આપેલ. ભીમદેવ ૧લા (ઈ.સ. ૧૦૨૨-૬૪) જૈન આચાર્યો અને સાધુઓને ખૂબ માન આપતા, તેમજ એના પુત્રો અને ઉત્તરાધિકારી પણ જૈનો તરફ ઉદાર હતા. ઈ.સ. ૧૦૮૪માં કર્ણદેવ (ઈ.સ. ૧૦૬૪-૯૫)એ ટાંકવવી (ટાકડી)માં જિન સુમતિનાથના મંદિરને જમીન દાન આપી હતી. આજ પરંપરા એના પુત્ર જયસિંહ સિદ્ધરાજે ચાલુ રાખી અને ઈ.સ. ૧૧૪૦માં અણહિલપાટણમાં રાજવિહાર તેમજ સિદ્ધપુરમાં સિદ્ધવિહાર બંધાવ્યા. જૈનધર્મના એક મોટા ' ' .'' ન જ કરી તકશીકામતું દશ્ય (નાડોલા) For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy