SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ વિષય પરિચય જૈન ધર્મે પશ્ચિમ ભારતની સંસ્કૃતિ તેમજ પ્રાદેશિક પ્રગતિ માટે ઘણો મહત્ત્વનો ફાળો આપેલ છે. ગિરિનગર એક કાળમાં જૈન ધર્મનો મજબૂત કિલ્લો હતો. જૈન ધર્મ વચગાળામાં બૌદ્ધ ધર્મ જેટલો શક્તિશાળી ન હતો પરંતુ એ કાળના રાજા મૈત્રક અને સ્થાનિક લોકો ઉપર પોતાની અસર જરૂરથી પાડી હતી. જૈન ધર્મના અસ્તિત્વ અને લોકપ્રિયતાએ આપણને આકોટાથી મળેલ જૈન કાંસ્યમૂર્તિઓ (પહેલી તારીખ ઈ.સ. છઠ્ઠી શતાબ્દી), ખેડબ્રહ્માથી મળેલ દિગંબર જૈન મૂર્તિ અને ઢાંકથી મળેલ પથ્થરમાં કોતરેલ મૂર્તિઓ તેમજ જૈન સાહિત્ય ઉપરથી સમજાય છે. જ્યારે બૌદ્ધ ધર્મની લોકપ્રિયતા ઓછી થવા લાગી ત્યારે ઈ.સ. ૮મી સદીની આસપાસ જૈન ધર્મ લોકપ્રિયતાનું શિખર સર કરવા લાગ્યો. જૈન ધર્મમાં મુખ્ય બે પંથ છે. શ્વેતાંબર અને દિગંબર. ગુજરાતમાં શ્વેતાંબર પંથ ચડતી ઉપર હતો પરંતુ ગુજરાતમાં અને રાજસ્થાનમાં એ દરમ્યાન દિગંબર પંથ પણ લોકપ્રિય થતો હતો. ઈ.સ. ૭૮૩માં જિનસેને વર્ધમાનમાં આવેલ પાર્શ્વનાથમંદિર (નન્નારાજા વસતિ)માં હિરવંશની રચના કરી અને ઈ.સ. Jain Education International ૨૩૫ શિલ્પસૌંદર્યકલાનું યંત્ર તત્ર સર્વત્ર દર્શન સૌંદર્યકલાની સાથે સંસ્કાર-સરસ્વતીનું સંમિલન માત્ર આ ભારતવર્ષની ધર્મભૂમિમાં જ સભર પડ્યું છે. આંખ ભરીભરીને નિહાળવા ગમે તેવાં મનમોહક સૌંદર્યધામોની હારમાળા અહીં છે, તો શિલ્પસ્થાપત્ય કલાને જીવંત રાખનારાં આરસપહાણનાં સેંકડો જિનમંદિરો અને મૂર્તિઓ ખરેખર તો આપણને આ યુગનું દર્શન કરાવે છે. જૈનોએ કળાના નિર્માણને ધર્મ માની પ્રોત્સાહન આપ્યું અને પોતાની સંપત્તિ ઉત્તમ સર્જનકળામાં સમર્પિત કરી. ચિત્ર-શિલ્પસ્થાપત્ય કળાનું આવું વિપુલ સર્જન અને સંવર્ધન વર્ષોથી થતું આવ્યું છે, તેનું દર્શન આપણને તાડપત્રોમાં, પ્રાચીન હસ્તપ્રતોમાં, લાકડા કે આરસમાં, પિત્તળ કે પંચધાતુમાં, હીરા-પન્ના કે સ્ફટિકમાં, ગ્રંથભંડારો કે મ્યુઝિયમોમાં, જિનમંદિરોની દીવાલો કે છત ઉપર, થાંભલા કે ગોખલામાં, પ્રવેશ દ્વારે કે પરિકરમાં, આ શિલ્પ સૌંદર્યકલા યંત્ર તત્ર સર્વત્ર જોવા મળે છે. ૯૩૧-૩૨માં હિરસેને પણ પોતાના બૃહત્-કથાકોષની રચના આજ મંદિરમાં કરી. પ્રાચીન સમયથી ઠેકઠેકાણે આપણને જૈન મંદિરોનો ઉલ્લેખ મળે છે. સિંહવાહન અંબિકા કે જે શાસનદેવી છે. એનું મંદિર ગિરનાર પર્વત ઉપર છે એમ હિરવંશપુરાણમાં ઉલ્લેખ છે. દિગંબરોનું એક મહત્ત્વનું સ્થાન પ્રભાસ ઈસુની ૮મી સદીથી થવા લાગ્યું અને ત્યાં ચંદ્રપ્રભુનું ભવ્યમંદિર હતું. સમયની સાથે ત્યાં ઉન્નતપુરા તરીકે ઓળખાતા પાર્શ્વનાથના મંદિરનો ઉમેરો થયો. એટલું જ મહત્ત્વનું બીજું સ્થાન સ્તંભતીર્થ (અત્યારનું ખંભાત) હતું. રાજસ્થાનમાં ઘણાં મહત્ત્વનાં જૈન મંદિરો બંધાયાં પણ કમનસીબે તે મંદિરોના ઉલ્લેખ ગુજરાત જેટલા આપણને મળતા નથી પરંતુ એવાં ઘણાં ઉદાહરણો મળે છે, જેનાથી જૈનોની હયાતી સૂચક છે. નોંધપાત્ર દાખલાઓમાં બૂદી નજીક આવેલ કેસોરપુરમાંથી ઈ.સ. ૫ મી સદીનું ભગ્નાવસ્થામાં મળેલ ઈંટનું જૈનમંદિર, તેમજ ઈ.સ. ૬૮૮ના કાળની કાયોત્સર્ગ અવસ્થામાંની વસંતગઢથી મળેલ બે જિનપ્રતિમાઓ, સાધારણ એજ કાળની નોંદિયા અને ભટેવાથી મળેલ પ્રતિમાઓ રાજસ્થાનમાં પ્રાચીન કાળથી જૈન ધર્મની હાજરી સૂચવે છે. ઈ.સ. ૭૯૯માં ઉદ્યોતનસૂરિ રચિત કુવલયમાળાએ ભીનમાળ સ્થિત જૈનમંદિરનો ઉલ્લેખ કરે છે. ચિત્તોડમાં ઈ.સ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy