________________
૨૨૦
ધન્ય ધરા:
બ્રહ્મવ્રતધારિણી સતીઓ થઈ છે. સોમરાજા જેવા આગારી તોય બ્રહ્મચારીના બીરૂદને પામનારા ગૃહસ્થો થયા છે. વર્તમાનકાળના નિકટના પ્રસંગોમાં બંગાળના રામકૃષ્ણ પરમહંસ–શારદામણી દેવી, ગુજરાતના નરસિંહ મહેતા, જેસલ-તોરલ, નિર્મળાદેવી કે પછી સ્વામિ વિવેકાનંદ જેવા દેશ પ્રભાવકો પણ થયા છે. ચંદ્રશેખર આઝાદ, શહીદ ભગતસિંહ, દયાનંદ સરસ્વતી કે મોહનલાલ કરમચંદ ગાંધી વગેરેના જીવન પણ બ્રહ્મચર્યવ્રતલક્ષી હતા જેથી તેમના પરિચયમાં આવેલ ભાગ્યશાળીઓ પણ ઉચ્ચ સંસ્કારધર્મ પામ્યા છે અને તે ઉપરાંત સ્વામી રામતીર્થ જેવા પણ અનેક નામી-અનામી વ્રતધારીઓને આ પ્રસંગે સ્મરણ પથમાં લેતા સંક્ષેપવાનું કે પ્રભુ આદિનાથથી લઈ પ્રભુવીરના અનેક શ્રમણ-શ્રમણીઓ માટે પણ આ લેખમાળા લાગુ પડે છે પણ
લેખ અને ગ્રંથ મર્યાદાને કારણે તમામ મર્યાદા પુરુષોત્તમને અભિનંદન-અભિનંદન કરતાં એવી જ શુભાપેક્ષા કે સોની અબ્રહ્મવાસના વરાળ બની જાય, બ્રાતત્ત્વ હાથ લાગી જાય, નર અને નારીઓમાં ભાતૃત્વ-ભગિનીભાવ ઉત્પન્ન થઈ જાય તથા પરંપરાએ પરમબ્રહ્મ મોક્ષસ્થાન હાથવેંત થઈ જાય.
આગામી કાળમાં પણ થનાર વિશિષ્ટ બ્રહ્મચર્યવ્રતધારીઓને સુસ્વાગતમ્.
આબાલ બ્રહ્મચારી વિશિષ્ટ બ્રાવતધારી નેમિનાથાય નમો નમ:
(નેમિપ્રેમી)
RNT
A
કોઠારા (કચ્છ)નું નયનરમ્ય જૈન મંદિર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org