________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૨૨૧
જળ શાસનના મુહૂર્ણ જયોતિર્વિદી
-
જ્યોતિષાચાર્ય પૂ. ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી મ.સા.
સંસ્કૃતિની સાથે પ્રાચીનતમ વિદ્યા જ્યોતિષમાં પણ આપણે ત્યાં બહોળા જનસમૂહમાં પ્રબળ લાગણી, ઊંડી સમજ અને અપાર શ્રદ્ધા ધરાવનારો એક વર્ગ છે. જ્યોતિષવિદ્યા ગણિત વિદ્યાનું એક સચોટ શાસ્ત્ર છે. તે સંદર્ભમાં અસંખ્ય પ્રામાણિક ગ્રંથરત્નો લખાયાં છે.
જ્યોતિષશાસ્ત્ર વેદનું અંગ, પરમાત્માનું નેત્ર અને ગ્રહગણિત છે. અનાદિકાળથી આ જ્યોતિષવિદ્યા સમાજને સચોટ માર્ગદર્શન આપતી રહી છે અને ભવિષ્યમાં પણ આપશે. આ ગૂઢ વિદ્યાનાં રહસ્યો સંબંધે અસંખ્ય લેખો અને પંચાંગોની રચના થતી રહી છે. આધુનિક ઉપકરણોનો જો ધારણા પ્રમાણેનો સહયોગ મળે તો ભારતીય જ્યોતિષનો સર્વાગી વિકાસ શક્ય બને તેમ છે.
જૈનશાસનમાં પણ સમયે સમયે જ્યોતિષવિદ્યાના જે પ્રકાંડ પંડિતો મળ્યા છે તેમાંના કેટલાક પરિચયો રજૂ કરે છે પૂ. અચલગચ્છાધિપતિ શ્રી ગુણોદયસાગરસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન જ્યોતિષાચાર્ય પૂ. ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી મ.સા.
પૂજ્યશ્રીનો જન્મ જખી (અબડાસા) પ્રદેશ (મૂળ વતન કચ્છ) અચલગચ્છના વર્તમાનમાં વિદ્યમાન મુનિ ભગવંતોમાં સૌથી બાલવયે ૮ વર્ષની ઉંમરે સંયમ પ્રાપ્તિ કરી. વડીલબંધુ પણ સાથે જોડાયા. બાળક હતાં એટલે લાડકા તો ખરા જ, પરંતુ દીક્ષાદાતા પૂજ્યપાદ ગુણસાગરસૂરિ મહારાજાએ જવાહિરને પારખી, તે માનવના ખોળિયામાં બાહ્ય પરિબળોને સ્પર્શવા ન દીધાં. સાથે જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ અને નૈષ્ઠિક સંયમધર્મમાં પાવરધા બનાવ્યા. બાળસહજ સ્વભાવે કુતૂહલવૃત્તિ ઘણી, એટલે ગુરુમહારાજની દરેક વાતમાં પ્રશ્નો શોધી અને પોતાની જિજ્ઞાસાને સંતોષે. તીવ્ર મેધાના કારણે પૂજ્યપાદ ગુણસાગરસૂરિ મહારાજે તેમને શાસ્ત્રોમાં પારગામી કર્યા અને પૂર્વના સંસ્કારને અનુસાર દૈવી સંકેતોથી પોતાના જીવનને સંપૂર્ણ સાધનામય બનાવતા ગયા. વર્ષોનાં વહાણાં વીતતાં ગયાં. ગુરુદેવ પરમોપકારી પ.પૂ. આ.ભ. ગુણોદયસાગરસૂરિ મ.ની અપાર કૃપાવૃષ્ટિ થતાં “ગણિવર્ય'પદથી અલંકૃત થયા. મંત્ર-તંત્રના જબરા શોખીન અને જ્ઞાતા પૂજ્ય ગણિ વીરભદ્રસાગરજી મ.સા. તીવ્ર ક્ષયોપશમ ધરાવતા હોવાથી તેમણે જીવનમાં સાહિત્યરત્ન અને સાહિત્યશાસ્ત્રી તેમજ સંસ્કૃત M.A.ની પરીક્ષાઓ પણ આપી છે. તેમાં તેઓ ઉચ્ચગુણવત્તાએ ઉત્તીર્ણ થયા. ગુરુદેવોના અનુગ્રહ મેળવી તેમણે વિષમ પરિસ્થિતિઓની અંદર રહીને પણ જ્યોતિષનો ઠોસ અભ્યાસ કરી, “જ્યોતિષાચાર્ય” પદ પામ્યા. શાસ્ત્રીના પરિચયમાં સતત લીન રહેતા પૂજ્યશ્રીએ સંયમજીવન દરમ્યાન લાખો શ્લોકોનું વાચન કરી, સ્વસમુદાયનાં શ્રમણ-શ્રમણીરત્નોને સંસ્કૃતના જ્ઞાતા કર્યા છે. તેઓ અચ્છા
ચનકાર પણ છે, નાનાં નાનાં ગામડાંઓમાં દેવ-ગુરુનો મહિમા ગાઈને ધર્મની અહાલેક જગાવી રહ્યા છે. તેમણે સ્વશિષ્ઠ મુનિ શશાંકસાગરજી મ.સા.ને પણ જ્યોતિર્વિદ્ બનાવ્યા છે. સંસ્કૃત, સાહિત્ય, જ્યોતિષ, મંત્ર-તંત્ર, પ્રવચનકાર તરીકે બહુમુખી પ્રતિભા ધરાવતા હોવા છતાં તેમની અંદર ગુરુસમોવડા થવાની આંશિક રેખાઓ પણ નથી દેખાતી, કારણ હાલમાં જ વડીલબંધુ પાસે એક મુમુક્ષુભાઈની દીક્ષા થઈ, તેમાં પણ પોતાનાં ગુરુદેવે જે મુહૂર્ત આપ્યું, તેને જ તેઓએ સર્વોપરી માન્યા કર્યું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org