SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ચુસ્ત હતા. દેવીએ દરેક પ્રશ્નોના સચોટ જવાબ આપવાની શક્તિ આપી હતી. નાગોરના રાજા મહીપતિને લાગટ ૧૨ દિવસની જે-જે આગાહી કહી તે બધીય સાચી પડી, તે રાજા મારફત ખૂબ જિનશાસનની પ્રભાવના થઈ છે. તે જ પ્રમાણે સાંડેર ગચ્છના આ. ઈશ્વરસૂરિજી તથા આ. શીલસૂરિજીને બકરીદેવી પ્રત્યક્ષ હતી. આ બલિભદ્રસૂરિજીને સૂર્યદેવે પ્રગટ થઈ મંત્રપોથી આપી હતી. જૂનાગઢ જતા એક સંઘને રાખેંગાર રાજાએ રોક્યો ને બધાયને બૌદ્ધધર્મ સ્વીકારી જાત્રા કરવા ફરમાન કર્યું, ત્યારે બલિભદ્રમુનિએ આકાશમાર્ગે જૂનાગઢ આવીને મંત્રવિદ્યાથી અડદના દાણી ફેંકી રાણીને હેરાન-પરેશાન કરી, યુદ્ધ માટે તૈયાર થયેલા રાજાને વિવિધ વિદ્યાઓનો પરચો દેખાડી શરણાગત કરી દીધો હતો. મેવાડના રાણા અલ્લટની રાણીનો રેવતીદોષ ઉપશમાવી રાજાને જૈન બનાવી અનેક પ્રકારે શાસનપ્રભાવના કરી હતી. સાંડેર ગચ્છમાં ચમત્કારિક શક્તિવાળા અનેક આચાર્યો થયા. આજીવન છ વિગઈનો ત્યાગ કરનાર : ગગનગામિની વિદ્યા પ્રાપ્ત કરનાર (૨૧) આ. યશોભદ્રસૂરિજી પીંડવાડાની નિકટના પલાઈ ગામમાં જન્મ લેનાર સુધર્માને આ. ઈશ્વરસૂરિજીએ દેવતાઈ સૂચનથી ફક્ત છ વરસની ઉમરે દીક્ષા આપી. જ્ઞાનાભ્યાસ કરતાં જ્યારે અનેક શક્તિઓ પ્રગટી ત્યારે ગુરુદેવે યશોભદ્રસૂરિ નામે આચાર્ય પદવી આપી અને તે જ દિવસથી બ્રહ્મચર્ય વ્રતની રક્ષા હેતુ આજીવન છ વિગઈનો ત્યાગ સાથે ફક્ત આઠ કોળિયાનો આહાર લેવા ઉણોદરી વ્રત ધારણ કર્યું. વ્રત અને તપ પ્રતાપે આઠ મહાસિદ્ધિઓ પ્રગટ થઈ, સૂર્યદેવ થકી ત્રણેય લોકના દર્શન થાય તેવી અંજનકૂપિ અને સિદ્ધ મંત્રોવાળી સ્વર્ણાક્ષરની પોથી મળી. ગગનગામિની વિદ્યા મેળવી દરરોજ પાંચ તીર્થોની જાત્રા કરી પચ્ચક્ખાણ પારતા હતા. પાટણના મહેલમાં જ રોકી રાખવા છતાં રાજા સામંતસિંહ ચાવડાએ જ્યારે મહેલના કમાડ બંધ કરાવી દીધા ત્યારે રૂપપરાવર્તન કરી ઉઠીને પાછા છ’રી પાળતા સંઘમાં જોડાઈ ગયા. સાંડેરાવની દહેરાસરની પ્રતિષ્ઠામાં વધારે પડતી જનમેદની ઉભરાણી ત્યારે પાલીના ધનરાજ શ્રેષ્ઠીની દુકાનમાંથી અને મકાનમાંથી વિદ્યાબળે ઘી મંગાવી દીધું, કવિલાણનો કૂવો વાસક્ષેપ નાખતા જ પાણીથી ઉભરાઈ ગયો. જોગીની દાઢીમાંથી બે નાગ નીકળ્યા તેને નાથવા મુહપત્તિના બે ટૂકડા કરી બે નોળીયા પેદા કરી સાપને નસાડી દીધા. સંઘ માટે Jain Education International ધન્ય ધરા પાણીનું સૂકું તળાવ છલોછલ ભરાવી આપ્યું. કહેવાય છે કે નાડલાઈમાં તેમણે વલ્લભી અથવા ખેડબ્રહ્માથી આખુંય આદિનાથ પ્રભુનું દહેરાસર આકાશમાર્ગે લાવીને સ્થાપિત કરી દીધું છે. તે જ ગામમાં વિ. સં. ૧૦૩૯માં શ્રાવકોને પૂર્વ આગાહીઓ કરી કાળધર્મ પામ્યા ને દેવલોકગમન કર્યું હતું. (૨૨) ખિમૠષિ બોહા નામના દરિદ્ર ઘીના વેપારીએ ચિત્તોડ નગરની નિકટના વડગામમાં આ. યશોભદ્રસૂરિજી પાસે દીક્ષા લઈ ઉગ્ર તપ સાધ્યો. જેથી તેમના ચારિત્ર અને તપથી પ્રભાવિત દેવો સાનિધ્ય આપવા લાગ્યા. અવંતીની નિકટના ગામના પાદરે ધ્યાન કરતા તેમને બ્રાહ્મણપુત્રોએ જ્યારે સતાવ્યા ત્યારે દેવોએ તે બધાય છોકરાઓને લોહી વમતા કરી નાખેલ. માબાપોએ માફી માંગી ત્યારે દેવોએ તેમને છોડાવ્યા. નિર્જન ગિરિકંદરામાં સંયમ જીવનાર તેમના ઉત્કટ અભિગ્રહ સાથેનો તપ ખૂબ ગવાયો છે. મદાંધ હાથી પાંચ લાડવા વહોરાવે તો ખિમઋષિ પારણું કરે, વિધવા બ્રાહ્મણી જે સાસુ સાથે ઝગડો કર્યા પછી પુરણપોળી આપે તો લેવી, વાંદરો આંબાનો રસ અપાવે તો, મુંજરાજાનો ભાઈ મન બગાડીને પણ ૨૧ પુલ્લા પધરાવે તો જ ખિમઋષિ પારણું કરે તેવા અભિગ્રહો પણ લાંબા ઉપવાસે પૂરા થયા હતા અને દેવોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરેલી. સર્પદંશથી મૃત્યુ પામેલ ધનરાજ શેઠનો દીકરો ખિમત્ર ષિના ફક્ત પાણી છાંટવાથી જીવતો થયેલ ધારા રાજ્યના ગાંડા થયેલા બધાય હાથી મુનિરાજના ચરણોદક છાંટવા માત્રથી ડાહ્યા થઈ ગયેલ તેવા ખિમૠષિને જ્યારે સિંધુલ યુવરાજ શિષ્યરૂપે પ્રાપ્ત થયો ત્યારે પણ દીક્ષા દિવસે આકાશમાંથી કુસુમવૃષ્ટિ થઈ હતી. તેવા ખિમઋષિએ ૯૦ વરસની ઉમર સુધીમાં ૮૪ અભિગ્રહો કર્યા, જે બધાય દેવોએ અથવા કુદરતી અને અંતરાયકર્મના ક્ષયોપશમથી પૂર્ણ થયા હતા. (૨૩) આચાર્ય વીરસૂરિજી ભિન્નમાલ નગરનાં ધરણેન્દ્રોપાસક શિવનાગ શેઠ તથા પૂર્ણલત્તા શેઠાણીના પુત્ર વીરકુમારે સાત-સાત પત્નીઓનો ત્યાગ કરી પૌષધ વગેરે લઈ સ્મશાન સાધનાઓ ચાલુ કરી દીધી, કારણ કે પોતાના મરણની સાવ જૂઠી વાત તેના જ સાળાએ વીરકુમારની માતાને કરતાં આઘાતમાં જ માતા પૂર્ણલત્તા મૃત્યુ પામી ગઈ હતી તેનું દુઃખ વૈરાગ્યમાં ફેરવાઈ ગયું હતું. એક દિવસ સાંજના સમયે નગર બહાર જતાં ૧૦૦ વરસની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy