________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૨૧૦
N
શરીરે છાંટતા દૂર થઈ ગયેલ. તરત જ દીક્ષા લીધી ને રાજર્ષિના અંતેવાસી બનતા પોતે પણ રાજર્ષિ બન્યા. તેજ પરંપરામાં થયેલ આ. શીલભદ્રસૂરિજી પણ આબાલ બ્રહ્મચારી બાર વરસે જ દીક્ષિત અને ચારિત્રના પ્રથમ દિવસથી જ છએ વિગઈના ત્યાગી બની ગયેલ હોવાથી અમોઘ ઉપદેશક બન્યા હતા. તેમની ચુસ્તતાથી બોધિત ચંદ્રપ્રભસૂરિજી પણ વિશિષ્ટ સિદ્ધાંતવેતા બની શાસ્ત્રરચયિતા બન્યા છે. લબ્ધિસંપન્ન મહાન તપસ્વી : પરમ પ્રભાવી :
કૃષ્ણર્ષિગચ્છ પ્રવર્તક
(૧૭) કૃષ્ણર્ષિ દીક્ષા દિવસથી જ ઘોર પસ્વી અને ચુસ્ત સંયમી તે મહાત્મા વરસમાં ૩૪થી વધુ પારણા ક્યારેય ન કરનારા થયા છે. તે વ્રત અને તપ થકી આમોસહિ, વિપ્રોસહિ, જલ્લોસહિ, ખેલોસહિ લબ્ધિવાન બની ગયા હતા. સ્મશાનમાં જઈ ધ્યાન કરતા. તેઓ નીડર હતા. તેમના તપપ્રભાવે નાગોરથી ભિન્નમાલ સુધીના તમામ પારણાના ક્ષેત્રમાં દહેરાસરો બંધાયા. શ્રેષ્ઠીઓ, બ્રાહ્મણોને દીક્ષાઓ આપી, રાજાઓને પણ પ્રતિબોધી જેની બનાવ્યા. મુખ્યતયા છ'રી પાળતા સંઘો કાઢી તીર્થકરોની કલ્યાણક ભૂમિની સ્પર્શના વધુ કરી છે. ગુણોના તો પાછા ભંડાર હતા. કૃષ્ણઋષિની તપ–જપ-વ્રતની નિષ્ઠાને કારણે કમ્મર્ષિ ગચ્છ પ્રારંભ થયો છે. વાદિકુંજર કેસરી : ચારિત્રધર્મથી દેદીપ્યમાન :
(૧૮) આચાર્ય બપ્પભટ્ટસૂરિજી.
માબાપથી રીસાઈને ભાગી છૂટેલા સુરપાળે આ. સિદ્ધસેન પાસે દીક્ષા ફક્ત સાત વરસની બાળવયે લીધી અને પ્રખર મેઘાવી તેમને પૂર્વભવના પુણ્યોદયે હજાર-હજાર શ્લોકો કંઠસ્થ રહી શકતા હતા. તેમના નૈસર્ગિક બ્રહ્મચર્યથી આકર્ષાઈ સરસ્વતી દેવીએ નગ્ન સ્વરૂપમાં જ પ્રત્યક્ષ થઈ દર્શન આપેલા હતા. વિ.સં. ૮૧૧માં ફક્ત ૧૧ વરસની નાની ઉમરે આચાર્ય પદવી રાજા આમના આગ્રહથી ગુરુદેવે આપી અને તે દિવસથી ચારિત્ર રક્ષા માટે છએ વિગઈઓ ત્યાગી દીધી. બ્રહ્મચર્યનિષ્ઠ તેમની પરીક્ષા આમરાજાએ એક રૂપાંગનાને રાત્રે ઉપાશ્રયમાં મોકલી તેણી દ્વારા સ્પર્શ-હાવભાવ વગેરે કરાવી કરી ત્યારે પણ સૂરિજીએ તે સ્ત્રીને માતા કહી પાછી વાળી. તે પ્રસંગથી ખુશખુશ રાજાએ તેમને આજીવન ગુરુપદે રાખી આબાલ બ્રહ્મચાર, ગજવર, વાદિકુંજરકેસરી, રાજપૂજિત વગેરે બિરૂદોથી સન્માન્યા
તે ૭૨ કળા તથા નવેય રસોના જાણકાર પ્રસિદ્ધ પ્રવચનકાર તેમણે નટકન્યા ઉપર મોહ પામી ગયેલ આમરાજાને ઉન્માર્ગે જતો અટકાવી દીધો અને બળી મરવાના બદલે પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધિ કરાવી પોતાની બ્રહ્મચર્ય શક્તિથી દિગંબર કન્યામાં અંબિકા દેવીને ઉતારી, ગિરનાર તીર્થ શ્વેતાંબરોનું છે તેવી જાહેરાત કરાવી અને તીર્થ દિગંબરોના કબજામાંથી છોડાવી શ્વેતાંબરી જયવિજય કરાવ્યા છે. ૯૫ વરસની વયે જ્યારે પાટણમાં વિ.સં. ૮૯૫ ભાદરવા સુદ ૮ના કાળધર્મ પામી બીજા દેવલોકે સીધાવ્યા, આમરાજા તેમની પાછળ ચિત્તામાં બળી મરવા સુધી આવેશ કરી બેઠો હતો.
(૧૯) આચાર્ય જીવદેવસૂરિજી
તોફાનોના કારણે માતા પિતાથી યાજાયેલો મહિપાલ મગધમાં જઈ દિગંબર મુનિ સુવર્ણકીર્તિ નામે બન્યો, અને તે પ્રસંગથી વૈરાગ્ય પામી મોટા ભાઈ મહીધરે શ્વેતાંબર પક્ષની દીક્ષા લીધી. પિતા ધર્મદેવના મરણ પછી માતા શીલવંતીએ બન્ને પુત્રોનો સંસાર ત્યાગ દેખી ધર્મારાધના વધારી અને અંતે દિગંબરમુનિને શ્વેતાંબર પુત્રમુનિના ઉચ્ચ આચારવિચાર દેખાડી, દિગંબરી દીક્ષા છોડાવી. આ. રાશિલસૂરિજીએ નવું નામ જીવદેવ મુનિ રાખ્યું. ભક્તામર સ્તોત્રના આમ્નાયના જાણકાર હોવાથી વ્રતનિષ્ઠા પ્રમાણે ચમત્કારિક શક્તિઓ વિકસી. ચાલુ પ્રવચનમાં એક યોગીએ તેમની વાચા અટકાવી વળતરમાં ફક્ત જીવદેવસૂરિજીએ દ્રષ્ટિ યોગી ઉપર નાખી ને તે ખંભિત થઈ ગયો. પછી તેને શ્રાવકોના કહેવાથી છોડ્યો, પણ વેરઝેરથી યોગીએ એક સાધ્વીને આકર્ષી, જેના બદલામાં આચાર્યે પૂતળું મંત્રીને યોગીની આંગળી કપાવીને ભય ઉત્પન્ન કરાવીને સાધ્વીને છોડાવી દીધી. એકવાર મરવા પડેલી ગાયને બ્રાહ્મણો પ્રભુવીરના દહેરાસરની બાજુમાં મૂકી ગયા, જે ગાય મૃત્યુ પણ પામી ત્યારે ફરી તેમાં પ્રાણ પૂરી ગાયને બ્રહ્માજીના મંદિર સુધી પહોંચાડી,
જ્યાં ફરી મૃત્યુ પામી. અંતે જ્યારે બ્રાહ્મણો જીવદેવસૂરિજીના શરણે આવ્યા ત્યારે જિનશાસનના હિતમાં કરાર કરાવી ગાયને ફરી જીવિત કરી નગર બહાર કરી જ્યાં મરણ ત્રીજી વાર થયું. અંતે અણસણ કરી કાળધર્મ પામી વૈમાનિક દેવલોકે સીધાવ્યા
(૨૦) આચાર્ય વિજયસેનસૂરિજી
ભક્તામર સ્તોત્રની ૨૦મી ગાથા દ્વારા ચક્રેશ્વરી દેવીને પ્રત્યક્ષ કરનારા તેઓ મહાસાત્ત્વિક હતા, તથા ચારિત્રાચારમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org