________________
૨૧૬
ધન્ય ધરા:
ગુરુદેવે મના ફરમાવેલી તે ગુરુની ગેરહાજરીમાં વાંચવા જતા શ્રુતદેવીએ તે ગુપ્તગ્રંથ આંચકી લીધો પણ પુસ્તકરત્ન ગુમ થતાં સંઘના દુઃખને દૂર કરવા બ્રહ્મવૃતલક્ષી ક્ષત્રિય મુનિ મલે બરડાની પહાડગુફામાં બેસી છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણામાં અનાજના ફોતરાનું ભોજન લઈ કાયાને ઓગાળવાની ચાલુ કરી તેથી તેજસ્વી તે મુનિવરને રક્ષા આપવા સંધે પરાણે વિગઈ પારણું કરાવ્યું. તેથી પ્રસન્ન થયેલ સરસ્વતીએ પ્રગટ થઈ છ- છ મહિનાના આંતરે પ્રશ્નો પૂછ્યા જેના સચોટ જવાબ મલમુનિ પાસે મળતાં સાવ પ્રસન્નતા સાથે એક જ શ્લોકના અનેક અર્થો ઉકેલવાની શક્તિ આપી હતી.
બાલમુનિએ તે પછી દસહજાર શ્લોક પ્રમાણ નયચક્ર શાસ્ત્ર રચી બૌદ્ધાચાર્યને હરાવી, પોતાના મામાના પરાજયનો બદલો વાળી દીધો અને તે સમયે તો તેમની વ્રતનિષ્ઠા અને પ્રજ્ઞાને કારણે આચાર્ય પદવી થઈ ગયેલ હતી. બૌદ્ધ વ્યંતરો જે જૈનોને રંજાડી રહ્યા હતા તેમને પણ નાથી લીધા. આચાર્ય મલવાદિસૂરિ નામે અલગ અલગ સંવંતોમાં ત્રણ આચાર્યો થયા તેમાંના આ એક જૈનાચાર્ય શાસનપ્રભાવક થયા છે.
પદ્માવતીદેવીના પરમ ચાહક (૧૩) આચાર્ય માનદેવસૂરિજી (બીજા).
તેઓ દિગંબરોનો પરાભવ કરનાર આ સમુદ્રસૂરિજીના શિષ્ય થયા છે, સાથે શારાવિશારદ આ. હરિભદ્રસૂરિજીના પરમ મિત્ર પણ હતા. તેમને કુદરતી અનેક અતિશયો ચતુર્થવ્રતના પ્રભાવે પ્રગટ થયેલા હોવાથી ગુરુદેવે આચાર્ય પદવી સાથે ચંદ્રકુળનો સૂરિમંત્ર આપેલ, સાથે આ. હરિભદ્રસૂરિજીએ પણ મૈત્રીનો બદલો વિદ્યાધરકુળનો સૂરિમંત્ર આપી વાળી આપેલ.
બિમારી, દુકાળ, મંત્રોની સમાનતા અને લોકમરણ એવા ચાર કારણોથી જ્યારે માનદેવસૂરિજી સૂરિમંત્રની આમ્નાયને ભૂલી ગયા ત્યારે ગિરનારરક્ષિકા અંબિકા દેવીએ તેમના ગિરનારતીર્થે આવી કરેલ ૧૬ ઉપવાસથી પ્રસન્ન થઈ છેક મહાવિદેહ જઈ સીમંધરસ્વામી પાસેથી સૂરિમંત્ર લાવી આપેલ. શીલવ્રતની અખંડતાના પ્રભાવે પદ્માવતી દેવી પણ તેમના ઉપર કૃપાવંત બનેલ હતા.
કુવલયમાળા' ગ્રંથના કર્તા (૧૪) આચાર્ય ઉધોતનસૂરિજી ક્ષત્રિય રાજા ઉધોતનના પૌત્ર તથા રાજા વટેશ્વરના પુત્ર
છતાંય રાજસુખ છોડી આ. તત્ત્વાચાર્ય પાસે દીક્ષિત થયા હતા. ચારિત્રસ્વીકાર પછી બ્રહ્મવ્રતમાં કટ્ટર તેમને પદ્માવતી દેવી પ્રગટ પ્રસન્ન હતા. જેમની કૃપાથી જાલોરના ઋષભદેવપ્રભુના દહેરાસરમાં બેઠા બેઠા પ્રથમ ચૈત્ર વદ ૧૪ના દિવસે ત્રીજા પ્રહારે પ્રાકૃત ભાષામાં કુવલયમાળા કથા રચી નાખેલ, જે આજેય જૈન સાહિત્યમાં વિખ્યાત કથાગ્રંથ છે. વિ.સં. ૮૩૫માં રચાયેલી તે કથામાં પૂર્વકાલીન જેનાજૈન કવિઓનું સ્મરણ છે. દેહના જમણા ભાગમાં સાથિયાની નિશાની હોવાથી તેઓ દક્ષિણચિહાચાર્ય પણ કહેવાયા. તેમના ગુરુદેવ તત્ત્વાચાર્ય પણ પંચાચાર પાલનની મક્કમતા સાથે શીલસંપન્નતાના જોરે પ્રવચનપ્રભાવક ઓળખાયા છે. વ્યાપક મહિમાવંતા ‘ભક્તામર સ્તોત્ર'ના કતાં : શ્રી
સંઘની રક્ષા કરનારા (૧૫) આચાર્ય માનતુંગસૂરિજી
બનારસના રહેવાસી ધનદેવ બ્રહ્મક્ષત્રિયના તેઓ સુપુત્ર હતા. પણ દિગંબર સાધુના પરિચય થવાથી દિગંબરી દીક્ષા લીધી. પાછળથી પોતાની જ બહેનને ત્યાં ભિક્ષા વહોરવા જતાં બહેનથી જ પ્રતિબોધ પામી જિનસિંહસૂરિજી પાસે ફરી વાર ચારિત્ર લઈ શ્વેતાંબર સંત બન્યા. અંતર્મુખી સ્વભાવ તથા પ્રભુભક્તિના રાગી હોવાથી આત્માના બ્રહ્મસ્વરૂપવેદી તેમણે ચમત્કારિક ભક્તામર સ્તોત્ર રચી ૪૪ બેડીઓ તોડી દેખાડી. કાશીના રાજા હર્ષ અને પ્રજા હેરત પામી ગયા. તે સ્તોત્રની એક એક ગાથાના સ્મરણથી ચમત્કારો અનુભવનારા અનેક શ્રાવકશ્રાવિકાઓ છે અને આજેય પણ ભક્તામરનો પાઠ ચારેય ફીરકાઓ કરે છે. ઉન્માદની બીમારીથી બચવા ધરણેન્દ્રદેવને પ્રત્યક્ષ કરી અણસણની રજા માંગી. આયુષ્ય લાંબુ હોવાથી ધરણેન્દ્ર દેવની સહમતિ ન મળતાં તેમના જ આપેલ ૧૮ મંત્રાક્ષરોથી નમિઉણ સ્મરણની રચના કરી પોતાના રોગ અને વેદનાને સંહારી લીધી. આજે પણ અનેક સંતો અને સંઘો ભક્તામરપાઠી દેખાય છે. વાદ મહાર્ણવ ટીકાકાર : ન્યાયવનસિંહ, તર્ક પંચાનન
(૧૬) આચાર્ય અભયદેવસૂરિજી
રાજપુત્ર છતાંય દીક્ષિત તે રાજર્ષિને વ્રત-નિયમોની અડગતા, એકાગ્રતા અને આત્મલક્ષિતા થકી લબ્ધિઓ પ્રગટ થઈ હતી. કનોજના રાજા કર્દમના પુત્ર ધન રાજકુમારના શરીરના ફોલ્લા બ્રહ્મવ્રતધારી અભયદેવસૂરિના ચરણો ધોઈ તેજ જળ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org