SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ભદ્રબાહુ અને વરાહમિહિર, જેમણે મહાજ્ઞાની યશોભદ્રસૂરિજી પાસે ભરયુવાવસ્થામાં સારામાં સારી વિદ્વતા છતાંય ચારિત્ર લઈ મહાવ્રતો સ્વીકાર્યા. તેમાં ભદ્રબાહુ લોકસંપર્કથી પર રહી ટૂંક સમયમાં જ પોતાની શીલસંપન્નતા, શાલીનતા તથા સમન્વય સ્વભાવના કારણે શાસ્રગામી બની ગયા. તેમની બ્રહ્મચર્યકટ્ટરતા, દેઢ નિશ્ચયતા, ધીરતા, ગંભીરતા તથા વીરતા ખૂબ વખણાય છે. ચૌદપૂર્વી તેઓ ગુણાધિક હોવાથી આચાર્યપદ પામ્યા સાથે દશનિર્યુક્તિઓ ચાર છેદસૂત્રો ઉપરાંત અનેક ગ્રંથો રચનારા થયા. તેમના રચેલ કલ્પસૂત્રજીમાં બ્રહ્મચર્યવ્રતલક્ષી અનેક વાતો દૃષ્ટિગોચર થાય છે. તેજ પ્રમાણે જ્યારે વરાહમિહિર દીક્ષા ત્યજી વિરાધના પ્રભાવે વ્યંતર બની જૈન સંઘને ઉપદ્રવિત કરવા લાગ્યો, ત્યારે ભદ્રબાહુસ્વામીજીએ પોતાની શીલ-સ્વાધ્યાય શક્તિ થકી ઉવસગ્ગહર સ્તોત્ર રચી મરકી અટકાવી દીધેલ હતી. વ્રતપ્રભાવે તે સ્તોત્ર નવસ્મરણના બીજા સ્મરણરૂપે અમર બની ગયું છે, તે જ બ્રહ્મલક્ષિતાના કારણે નેપાળ જેવા વિદેશમાં જઈ બાર વરસે સાધી શકાય તેવા મહાપ્રાણધ્યાનની સાધના કરી છે. તેમના જ વિદ્યાર્થી તરીકે તૈયાર થયેલ કામી સ્થૂલિભદ્ર નામી સંત બની જગત ઉદાહરણ બની ગયા છે. ભદ્રબાહુસંહિતા નામનો જ્યોતિષગ્રંથ તેમના વિશાળ જ્ઞાનવૈભવનો ખજાનો છે. કોશા પ્રતિબોધક કામવિજેતા, ચરમ ચતુર્દશ પૂર્વધર. (૪) આચાર્ય સ્થૂલિભદ્રસૂરિજી કોશા ગણિકાના મોહપાશમાં બાર-બાર વરસ રંગ-રાગ વિલાસમાં વીતાવ્યા પછી પિતાજીના અપમૃત્યુથી વૈરાગ્યવાસિત થઈ સંસાર છોડનાર ને દીક્ષા પછી સ્વાધ્યાયમાં ખૂબ આગળ નીકળી જનાર તેજ સ્થૂલિભદ્ર જ્યારે પાછા પોતાની સાંસારિક પ્રિયતમાની ચિત્રશાળામાં જ ચાતુર્માસ કરવા આવે છે, ત્યારે સામે ચડીને કામસુભટ સાથે યુદ્ધ માંડ્યું. કોશાને પણ તેણીના હાસ્ય-વિલાસમાં લગીર સહયોગ ન આપ્યો, બલ્કે ઉત્તમ ભોજન ગ્રહણ કરીને પણ બ્રહ્મચર્ય લગનનો એવો જબ્બર પરિચય આપી દીધો કે જેના કારણે ચાતુર્માસ પૂર્ણાહૂતિ પછી વેશ્યા કોશા બારવ્રતધારિણી શ્રાવિકા બની ગઈ અને ખૂબ ઉપશાંત બની જીવન વીતાવ્યું. ચાતુર્માસ આત્મસંયમ સાથે તથા બ્રહ્મવ્રતની સફળ પરીક્ષા સાથે ઉતીર્ણ કરી જ્યારે પાછા વળ્યા ત્યારે સ્થૂલિભદ્ર ગુરુ તરફથી “દુષ્કર, દુષ્કરકારક”નું સ્વાગત પામ્યા, તેજ વ્રત પ્રભાવે ચોરાશી ચોવીશી સુધી તેમની શીલલગની ગીતોમાં ગવાશે ઇર્ષ્યાવશ કોશાને ત્યાં ચાતુર્માસ જનાર સિંહગુફાવાસી મુનિ પતન પામતા રહી ગયા ને પાછા Jain Education Intemational ૨૧૩ વળતાં પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ બન્યા. આજે માંગલિક સમયે પણ સ્થૂલભદ્રજીને સ્મરણમાં લેવાય છે. તેમની શક્તિને નવાજતા ગુરુદેવે આચાર્ય પદવી એનાયત કરી. (૫) યક્ષા, યક્ષદિનાદિ સાત બહેનો પૂર્વભવથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ લઈ આવેલી સાતે સગી બહેનોના નામ છે યક્ષા, યક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણા, વેણા, રેણા જેના માતા-પિતાનું નામ મંત્રીવર શકટાલ તથા લક્ષ્મીદેવી હતું. કોઈ પણ શ્લોક એક વાર બોલાય તો તરત યાદ રાખી બોલી જનાર હતી યક્ષા, બે વાર બોલાયા પછી યાદ કરી લેનાર હતી યક્ષદિન્ના તેમ સાત વાર બોલાતાં જ ગ્રહણ કરી લેનાર હતી છેલ્લી બેન રેણા, તે સાતેય બહેનોએ પોતાના પિતાનું વંશવેલાની ખાનદાની હેતુ પોતાના જ ભાઈ શ્રીયક દ્વારા તલવારથી થયેલ મરણ, રાજા નંદની રાજલીલા, વરરૂચિ બ્રાહ્મણની કપટલીલા તથા સગા મોટા ભાઈ સ્થૂલભદ્રનું કામને સલામ આપતું અદ્ભુત જીવન પરિવર્તન દેખી મહાભિનિષ્ક્રમણ કરી દીધું. આબાલ બ્રહ્મચારિણી સાતેય ગિનીઓ જાણે ભગવતી સરસ્વતીની સુપુત્રીઓ સમાન હતી. કદાચ તેથી જ યક્ષા મહત્તરા સાધ્વીને તો સાક્ષાત્ સીમંધરસ્વામીએ ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિવિક્તચર્યા નામના ચાર અધ્યયનો આપ્યા છે તથા શ્રીયક મુનિના કાળધર્મ છતાંય સાધ્વીને નિર્દોષ ઠેરવ્યા છે. આવી રીતે બધીય બહેનોની સામટી દીક્ષાને સંસારવૈરાગ્યનું ઉદાહરણ તે વિશિષ્ટ ઘટના છે. બ્રહ્મવ્રત સાધનામાં શિરમોર (૬) અવન્તિ સુકુમાર વિશિષ્ટ કોટિની સાધનાનું બળ લઈ ઉજ્જૈનમાં ભદ્રાશેઠાણીના સુપુત્ર તરીકે જન્મ લેનાર આર્ય સુહસ્તિસૂરિજી પાસેથી રાત્રિના સમયે આગમપાઠમાં નિલનીગુલ્મ વિમાનની વાતો સાંભળ્યા પછી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ જતાં પોતાનો પૂર્વભવ નલિનીગુલ્મ વિમાનમાં જ દેવભવનો જાણી વૈરાગ્ય ઉત્પન્ન થઈ જતાં ચારિત્રની ભાવના ઉદ્દ્ભવી હતી. વિશેષતા એ હતી કે જ્યારે આર્યસુહસ્તિસૂરિજી પાસે સંયમ વાંધ્યું, ત્યારે પોતે બત્રીસ કન્યાઓના પતિ હતા અને તેમાંય એક ધર્મપત્ની તો ગર્ભાવસ્થામાં હતી. છતાંય પોતાના આગામી સંતાન, ધનાઢ્ય કુટુંબની સ્ત્રીઓનું ભાવિ કે સગી ધાર્મિક માતા ભદ્રાશેઠાણીનો વિચાર પણ ન કરી વૈરાગ્ય બળે દીક્ષિત થઈ ગયા. ગુર્વાજ્ઞા લઈ સ્મશાનભૂમિમાં જઈ શિયાલણીના ઉપસર્ગો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy