________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૧૯૯
છ'રીપાલિત સંઘ કાઢેલ. તા. ૨૯-૧૧-૯૮, માગસર સુદ ૧૦ના દિવસે સંઘ પ્રયાણ થયેલ અને પોષ વદ પાંચમ તા. ૬-૧-૯૯ના માળારોપણ થયેલ. કુલ ૩૯ દિવસનો સંધ હતો, જેમાં ૬૦૦ યાત્રિકો, ૧૦૦ સંધપતિ પરિવાર અને ૩૦૦નો સ્ટાફ હતો. સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકા આદિ વિશાળ પરિવાર સાથે એક હાથી, બે ઘોડા, ઇન્દ્રધ્વજા, ઘોડાબગી, બેન્ડપાર્ટી, શરણાઈથી યાત્રા સંઘ શોભી રહ્યો હતો. પ્રયાણ પૂર્વે પાંચ દિવસનો મહોત્સવ રાખેલ. ત્રણે ટાઇમ આખા ગામને જમાડેલ. ગામના ચિંતામણિ પાર્શ્વનાથ તથા અન્ય ભગવાનને સવા લાખના સુવર્ણના હાર પહેરાવેલ. પ્રયાણ વખતે ૭0 રૂ.નું સંઘપૂજન તવાવ ગામવાસીઓ તરફથી અર્પણ થયેલ. દરેક ગામમાં જેટલાં જૈન ઘર હોય એ દરેક ઘરમાં ચાંદીના સિક્કા અર્પણ કરેલ. સામૈયામાં જેટલાં બેડાં આવતાં દરેકમાં ચાંદીનો સિક્કો નાખતા. સિયાણી તીર્થમાં ૧૬૦ બેડાં સામૈયામાં હતાં. દરેક ગામે સંઘવી પરિવાર તરફથી સાધારણખાતામાં તથા વૈયાવચ્ચ ખાતામાં અને જીવદયામાં સુંદર રકમો લખાવેલ. દરરોજ સાંજે સામૂહિક આરતી થતી, જેમાં એક પણ યાત્રિક બાકી ન રહે. સંગીતકાર સહુ કોઈને ભક્તિભાવમાં તરબોળ બનાવતા. આરતી–દીપકના ચઢાવા સુંદર રીતે થતા અને કુમારપાળ રાજાનો ડ્રેસ પહેરી આરતી ઉતારતા. દરેક ગામે રકમ આપવા માટે યાત્રિક ટીપ તથા જીવદયાની ટીપ સુંદર થયેલ. પ્રયાણ વખતે તિલક અને હાર પહેરાવવાનો ચઢાવો સુંદર થયેલ. સંઘવી પરિવારે તવાવના સાધારણ ખાતામાં રૂા. ૫૧,૦૦૦ અર્પણ કરેલ. આ સંઘમાં કુલ ૪૫૦ રૂ.નું સંઘપૂજન થયેલ. પ્રયાણ વખતે દરેક યાત્રિકને એક બેડિંગ, એક કાંબળો, એક બગલ થેલો, જેમાં બેટરી, ચરવળો, કટાસણું, થાળી, વાટકી, બટવો, બામ, દંતમંજન, દોરી, દર્પણ વગેરે ૩૦ વસ્તુઓ અર્પણ કરેલ. દરરોજ રસ્તામાં ઊંટલારી પર બેસીને અનુકંપા દાન આપતા. હાલતી–ચાલતી ભજન મંડળી પણ સાથે હતી, જેને જોવા માટે અજેન માણસોની ભીડ લાગતી. છેલ્લી ચૌદશના દિવસે પ૫૦ આયંબિલ થયેલ. દરેકને ૫૦ રૂ.ની પ્રભાવના કરવામાં આવેલ. સંઘનું અનુશાસન એકદમ વ્યવસ્થિત હતું. દરેક યાત્રિકો આચાર્ય મ.સાની આજ્ઞામાં રહેતા. સામૈયામાં બધાં યાત્રિકો સાથે જ ચાલતાં. કોઈપણ યાત્રિક આચાર્ય મ.સા.ની આગળ જતા ન હતા. પાલિતાણામાં તવાવથી છ'રીપાલિત સંઘનો ભવ્ય રીતે પ્રવેશ થયેલ, જેમાં હાથી, ઘોડા, ઇન્દ્રધ્વજા, સાતબગી, ત્રણ હડ, સુંદર વેશભૂષામાં સજ્જ છડીદાર તથા બાળકો,
શ્રાવિકાશ્રમની બાલિકાઓ, સાધુ-સાધ્વીજી, શ્રાવકશ્રાવિકાઓના વિશાળ પરિવાર સાથે આ સંઘ એક જ લાઇનમાં ચાલતો તળેટી સુધી પહોંચી સાચા સોના-રૂપાનાં ફૂલોથી દરેક યાત્રિકે ગિરિરાજને વધાવેલ. એ દિવસે આખી તળેટી ગુલાબનાં ફૂલોથી શણગારવામાં આવી હતી. તળેટીથી આવી સાંચોરી જૈન ભવનમાં સંઘનો પ્રવેશ થયેલ ત્યાં આગળ સાંચોરી ભવનના ટ્રસ્ટીઓએ સંઘવીનું બહુમાન તથા રૂા. બેનું સંઘપૂજન થયેલ. સંઘવી પરિવાર તરફથી દરેક યાત્રિકને સુવર્ણની ચેઇન તથા એમના સંબંધીઓ તરફથી ચાંદીની પંખી, દર્પણ, ગ્લાસ, દીવી, વાટકી વગેરે અર્પણ કરેલ. સંઘવી પરિવારે દરેક કાર્યકરનું સારી રીતે બહુમાન કરેલ. દરેક કાર્યકર સાથે સાથે દરેક કર્મચારીનું પણ બહુમાન કરેલ. બધાં યાત્રિકોએ પણ ભેગા થઈને સંઘવી પરિવારનું બહુમાન કરેલ, જેમાં મોટો વિશાળ ચાંદીનો શત્રુંજયનો પટ અર્પણ કરેલ. તવાવ સંઘે સારો સહકાર આપ્યો તે માટે સંઘવી પરિવારે તવાવ સંઘને ચાંદીનું કલ્પવૃક્ષ અર્પણ કરેલ. સંઘની માળા દાદાના દરબારમાં થયેલ અને ત્યાં જ સાકરિયા પરિવારને સંઘવીની પદવી અર્પણ કરેલ. માળ વખતે ૩000 જેટલી પબ્લિક પાલિતાણામાં આવેલ. પાલિતાણામાં પ્રવેશ કરતાં પહેલાં સંઘવી પરિવારે દરેક યાત્રિક તથા સમસ્ત અતિથિગણને ચાંદીના સિક્કા અર્પણ કરેલ. દરેકના ગળામાં ફૂલની માળા અને હાથમાં શ્રીફળ અર્પણ કરેલ. બીજે દિવસે સંપૂર્ણ સંઘ તવાવનગરમાં પહોંચતાં તવાવ સંઘે સુંદર સ્વાગત કરેલ. પૂ. આ.શ્રી જિનેન્દ્રસૂરિજી મ.સા.ની
નિશ્રામાં નીકળેલ યાત્રાસંઘો
વિ.સં. ૨૦૨૯ ગઢડા સ્વામીનાથી પાલિતાણા : હસ્તગિરિ તીર્થનું શિલારોપણ કર્યું. સંઘપતિ ગુલાબચંદ માણેકચંદ, સોમચંદ, અમીચંદ માણેકચંદ તથા પાનાચંદ માણેકચંદ.
વિ.સં. ૨૦૩૮ જામનગરથી સિદ્ધગિરિ : સંઘપતિ મેઘજીભાઈ વીરજીભાઈ દેઢિયા, વેલજીભાઈ વીરજીભાઈ દેઢિયા, હરખચંદ નેમચંદ ફૂલચંદ-નાઇરોબી, હંસરાજ મેઘજીભાઈ-નાઇરોબી, હંસરાજ પોપટલાલ-નાઇરોબી, મણિબહેન વાઘજીભાઈ પેથરાજ-જામનગર.
વિ.સં. ૨૦૪૬ નવાગામ (હાલાર)થી પાલિતાણા : સંઘપતિ પોપટલાલ વીરપાલ દેઢિયા નવાગામવાળા-મુંબઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org