SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ વિ.સં. ૧૯૬૦નું ચોમાસું પૂજ્યશ્રીએ અમદાવાદમાં કર્યું. ત્યારબાદ શેઠ વાડીલાલ જેઠાભાઈએ પૂજ્યશ્રીના ઉપદેશથી અમદાવાદથી સિદ્ધાચલજીનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. વિ.સં. ૧૯૬૦માં મુનિશ્રી નેમવિજયજીને પ.પૂ. પં.શ્રી ગંભીરવિજયજી મહારાજે યોગોદ્દહન કરાવી વલ્લભીપુર (વળા)માં ગણિ–પંન્યાસપદ આપ્યાં તો વિ.સં. ૧૯૬૪માં અદ્ભુત મહોત્સવપૂર્વક ભાવનગરમાં આચાર્યપદ આપ્યું. અને તે ચાતુર્માસ ભાવનગરમાં જ કર્યું અને ત્યારબાદ શેઠશ્રી હીરાભાઈ ચકુભાઈ તરફથી ભાવનગરથી પાલિતાણાનો છ'રીપાલિત સંઘ નીકળ્યો. વિ.સં. ૧૯૬૫માં મહુવા ચાતુર્માસ કર્યું, ત્યારબાદ વિહાર કરી તેઓશ્રી ત્રાપજ પધાર્યા. ત્યાં શ્રી ધરમશીભાઈ વારૈયાએ સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કાઢ્યો. વિ.સં. ૧૯૭૬માં જ તેઓશ્રી જાવાલ પધાર્યા. ત્યાં તેઓશ્રીના ઉપદેશથી શા. મનરૂપમલજી ગુલાબચંદજી તથા શા. મલચંદ્રજી વનાજીએ જાવાલથી શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢ્યો. આ ગંધ માર્ગમાં જીરાવલાજી ત્રણ દિવસ રહ્યો. વિ.સં. ૧૯૮૦માં અમદાવાદના શ્રી મોહનભાઈ ગોકળદાસે સિદ્ધાચલજીનો છ'રીપાલિત સંઘ પૂ. શાસનસમ્રાટશ્રીની પ્રેરણાથી કાઢ્યો, પરંતુ પૂજ્યશ્રીની શારીરિક અનુકૂળતા ન હોવાથી તેઓશ્રીએ પૂ. આ. શ્રી દર્શનસૂરિજી મ.સા.ને સંઘમાં મોકલ્યા. વિ.સં. ૧૯૮૨ના પાટણ ચાતુર્માસ બાદ શેઠશ્રી નગીનદાસ કરમચંદને શ્રી સિદ્ધગિરિનો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કાઢવાની ભાવના હતી પરંતુ પાલિતાણા સ્ટેટ સાથે વાંધો પડવાથી સમગ્ર ભારતના જૈન સંઘોએ તે દિવસોમાં શત્રુંજયની તીર્થયાત્રા બંધ કરી હતી તેથી તેઓએ ગિરનાર તથા કચ્છ (ભદ્રેશ્વર) તીર્થનો સંઘ કાઢ્યો. આ સંઘમાં પૂ. આ. શ્રી વિજયનીતિસૂરિજી, પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરિજી, વાચનાચાર્ય શ્રી માણિક્યસિંહસૂરિજી, પં. શ્રી ભક્તિવિજયજી (રાધનપુરવાળા) આદિ અનેક પૂજ્ય મુનિપુંગવો સપરિવાર પધાર્યા હતા. વિ.સં. ૧૯૮૪નું ચાતુર્માસ ખંભાતમાં પૂર્ણ થયું ત્યારે અર્થાત્ વિ.સં. ૧૯૮૫ની કાર્તિકી પૂર્ણિમાએ પૂજ્યશ્રીનું ચાતુર્માસ શેઠશ્રી તારાચંદ સાકળચંદ પટવાએ બદલાવ્યું ત્યારે વ્યાખ્યાનમાં Jain Education International ૧૮૩ ગિરિરાજ અને છ'રીપાલિત સંઘનો મહિમા વર્ણવતાં શેઠશ્રીને સંઘ કાઢવાની ભાવના થઈ, અને તેમના તરફથી ખંભાતથી શત્રુંજય તીર્થનો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યો. વિ.સં. ૧૯૮૫ના શુભ દિને પ્રયાણ અને માગસર વદ-૩૦૨૨૮ તા. ૨૯-૧૨-૨૮ના પાલિતાણામાં નગર પ્રવેશ થયો. પાલિતાણાની યાત્રા છૂટી થયા પછી બે વર્ષના લાંબા યાત્રાવિરહકાળ પછી આ સૌ પ્રથમ સંઘ હતો અને તેના સામૈયામાં પાલિતાણા સ્ટેટના દીવાન સાહેબ શ્રી ચીમનભાઈ પણ આવ્યા હતા. આજે ખંભાતનિવાસી સંધવીજીના કુટુંબીઓ તથા ખંભાતના . જૂના શ્રાવકો પણ આ સંઘને યાદ કરે છે. વિ.સં. ૧૯૮૬માં મહુવાના શ્રેષ્ઠી શ્રી કસળચંદભાઈ તરફથી મહુવાથી સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ કાઢવામાં આવ્યો. વિ.સં. ૧૯૮૮ના બોટાદના ચાતુર્માસ બાદ ધોલેરાના શ્રાવકો શ્રી હરિલાલ પુરુષોત્તમદાસ, શ્રી દલીચંદ પુરુષોત્તમદાસ, શ્રી ચૂનીભાઈ ગોવિંદજીભાઈ દોશી (માસ્તર) અને શ્રી પાનાચંદ ઝવેરચંદ ગાંધીની વિનંતીથી ધોલેરાથી સિદ્ધગિરિનો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યો. દાદાની શીતળ છાયામાં સંઘપતિઓને તીર્થમાળ પહેરાવવામાં આવી. સૌને બાર ગાઉની સ્પર્શનાનો ભાવ જાગતાં સંઘ સાથે પૂજ્યશ્રી પણ તેમાં પધાર્યા. પૂજ્યશ્રીના ઉપદેશથી ઘોઘાના વતની શા. રાયચંદ લલ્લુભાઈને સંઘ કાઢવાની ભાવના થતાં પૂજ્યશ્રીની નિશ્રામાં વિ.સં. ૧૯૯૦ ઘોઘાથી શ્રી સિદ્ધગિરિજીનો છ'રીપાલિત સંઘ ઘણા જ ઉલ્લાસપૂર્વક કાઢવામાં આવ્યો. વિ.સં. ૧૯૯૦ના ઐતિહાસિક મુનિસંમેલન બાદ પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ જાવાલ ચાતુર્માસ કર્યું. ત્યારબાદ શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ (મકુભાઈ શેઠ)ને ગિરનાર અને સિદ્ધગિરિનો સંઘ કાઢવાની ભાવના થતાં પૂજ્યશ્રી અમદાવાદ આવ્યા અને પૂજ્યશ્રીની નિશ્રામાં છેલ્લાં ૨૦૦ વર્ષમાં અદ્વિતીય કહેવાય એવો અભૂતપૂર્વ સંઘ નીકળ્યો. ત્યારબાદ સંઘ અમરેલી આવ્યો. અમરેલીમાં ગાયકવાડી રાજ્ય હતું. ગાયકવાડ સરકારે પણ સંઘને સુંદર સગવડ કરી આપેલ. સંઘપ્રવેશના સામૈયામાં અમરેલીના સૂબા શ્રી પીલાજીરાવ ગાયકવાડે હાજરી આપી. મહાજનનું માનપત્ર પણ તેમના હસ્તે સંઘવીજીને અર્પણ થયું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy