SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સંઘ ભાવનગરની હદમાં પ્રવેશ્યો ત્યારે ભાવનગર રાજ્ય તરફથી સુંદર બંદોબસ્ત કરવામાં આવેલ. કુંડલામાં ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના પ્રમુખપણા હેઠળ મહાજન તરફથી સમ્માનસમારંભ યોજાયો. તેમાં દીવાન સાહેબે સંઘવીજીના પિતાશ્રી મનસુખભાઈ સાથેના સંબંધોનું સ્મરણ કરી સંઘવીજીને હાર્દિક અભિનંદન આપ્યાં અને કહ્યું : “ધર્મસત્તા એ એક મહાન સત્તા છે, જેની આગળ રાજસત્તાએ નમવાનું જ હોય.’’ ભાવનગરની હદ પૂરી કરી સંધ પાલિતાણા રાજ્યમાં પ્રવેશી ગારિયાધાર આવ્યો, ત્યાં પાલિતાણાના દીવાન શ્રી મૂળરાજકુમારસિંહજી દર્શનાર્થે આવી ગયા. ત્યાંથી સંઘ ઘેટી થઈ પાલિતાણા આવ્યો ત્યારે મહા વદ બીજ હતી. સંઘનો પ્રવેશ નવ વાગ્યાનો હતો. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએથી સામૈયું આવ્યું. સામૈયામાં યાત્રાળુઓ ઉપરાંત બહારગામથી સંઘનાં દર્શન માટે આવેલ યાત્રાળુઓની સંખ્યા ચાલીશ હજાર ઉપર હતી. સામૈયામાં પાલિતાણાના ના. ઠાકોરસાહેબ પણ આવ્યા હતા અને દીવાનસાહેબ તો પહેલેથી હાજર હતા. સાંજે સંઘવીજીએ ગાર્ડન પાર્ટી યોજી ના. ઠાકોર સાહેબને સપરિવાર આમંત્ર્યા અને તેમના પરિવારને વિવિધ પહેરામણી આપી. શેઠ આ. ક. પેઢી તરફથી લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સાચા હીરા અને રત્નોથી જડિત મુગટ, તિલક, હંસ, બાજુબંધ, શ્રીફળ વગેરે દયાળુ દાદાને તીર્થમાળના દિવસે સૌ પ્રથમવાર ચઢાવવાનો નિર્ણય થતાં, મુગટ ચડાવવાનો આદેશ સુરતવાળા શેઠ ફતેહચંદ પ્રેમચંદ ઝવેરીએ રૂા. ૧૫૦૦૧=૦૦માં લીધો. તિલકનો આદેશ શેઠ મયાભાઈ સકરચંદે, હંસનો આદેશ શેઠ રિતલાલ નાથાલાલ લલ્લુભાઈએ, શ્રીફળનો આદેશ શેઠ ભગુભાઈ ચૂનીલાલે અને બાજુબંધનો આદેશ શેઠ ગુલાબચંદ નગીનદાસે લીધો. દાદાના જિનાલયના શિખર માટે ૯૩૦૬ તોલા ચાંદીનો કળશ કરાવેલ. તેના ઉપર ૧૮૭ તોલા ૭ વાલ સોનું ચઢાવેલ. આ કળશપ્રતિષ્ઠાનો આદેશ શેઠ ચીમનભાઈ લાલભાઈ (હીરાચંદ રતનચંદવાળા)એ રૂા. ૪૫૦૧માં લીધો. મહા વિદ પાંચમે સંઘ સહિત પૂજ્યશ્રીની નિશ્રામાં દાદાને ઉપરોક્ત આભૂષણો અને શિખર ઉપર કળશ ચડાવવામાં આવ્યા. સંઘવીશ્રી માણેકભાઈ શેઠ અને સંઘવણ શ્રીમતી સૌભાગ્યલક્ષ્મી-બહેને શ. ૫૦,૦૦૦=૦૦ની કિંમતનો રત્નજડિત હાર પ્રભુજીને ચડાવ્યો અને બંનેએ પૂજ્યશ્રીના હસ્તે તીર્થમાળ પહેરી. Jain Education International ધન્ય ધરાઃ ત્યારબાદ નીચે આવી બીજે દિવસે સંઘ બાર ગાઉની પ્રદક્ષિણા કરવા ગયો. હસ્તગિરિ-કદંબગિરિની યાત્રા કરી સંઘ પુનઃ પાલિતાણા આવ્યો. ત્યાં પાલિતાણામહાજને તથા ગુરુકુળ વગેરે અનેક સંસ્થાઓએ સંઘવીજીને દીવાન સાહેબના હસ્તે માનપત્ર આપ્યાં. સંઘવીજીએ સર્વત્ર ઉદાર રકમોનું દાન આપ્યું. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'એ આ મહાન સંઘનું વર્ણન કરતાં તેને કુમારપાળ મહારાજાના સંઘની સાથે સરખાવ્યો. બીજા વર્તમાનપત્રોએ પણ સંઘ તથા સંઘવીજીને સુંદર શબ્દોમાં બિરદાવ્યા. વિ.સં. ૧૯૯૦માં મુનિસંમેલન પહેલાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીની પ્રેરણાથી શા. રાયચંદ લલ્લુભાઈએ ઘોઘાથી સિદ્ધગિરિનો સંઘ કાઢ્યો. વિ.સં. ૧૯૯૪માં પૂ. શાસનસમ્રાટશ્રી, પૂ. સાગરજી મ., પૂ. મોહનસૂરિજી મ. આદિની શુભ નિશ્રામાં શેઠ પોપટલાલ ધારશીભાઈ તથા તેમના ભત્રીજા શેઠ ચૂનીભાઈ લક્ષ્મીચંદ જામનગરથી ગિરનાર-પાલિતાણાનો યાદગાર છ'રીપાલિત સંઘ કાઢ્યો. આ સંઘની વિસ્તૃત વિગત શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈના આ ગ્રંથમાં અન્યત્ર પ્રગટ થયેલ જીવનચરિત્રમાં આપવામાં આવી છે.) વિ.સં. ૧૯૯૪ના ભાવનગરના ચાતુર્માસ બાદ પૂજ્યશ્રીની પ્રેરણાથી ઘોઘાના શા. કાંતિલાલ વિઠ્ઠલદાસે તેઓશ્રીની નિશ્રામાં ઘોઘાથી સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. વિ.સં. ૧૯૯૬ના અમદાવાદના શેઠ દલપતભાઈ મગનભાઈનાં ધર્મપત્ની શ્રી લક્ષ્મીભાભુ (શ્રી હઠીસિંહ કેસરીસિંહવાળા)એ પૂજ્યશ્રીની નિશ્રામાં પાલિતાણાથી કદંબગિર તીર્થનો ૧૫૦૦ યાત્રાળુનો છ’રીપાલિત સંધ કાઢ્યો. પૂ. આ. શ્રી વિજયદેવસૂરિજી મ.ની નિશ્રામાં માલવાડાથી શ્રી સિદ્ધગિરિજીનો સંઘ (સં. ૨૦૪૬) પૂજ્યશ્રી આદિ વિ.સં. ૨૦૪૨-૪૩-૪૪' અને ૪૫ એમ ચાર ચાતુર્માસ મુંબઈ બિરાજમાન હતા. શા. વરદીચંદજી ભલાજીને સંઘ કાઢવાનો અભિગ્રહ હતો અને તે એવો કે જ્યાં સુધી સંઘ ન કાઢું ત્યાં સુધી વરસીતપનું પારણું ન કરવું અને સંઘ પણ પૂજ્યશ્રીની નિશ્રામાં જ કાઢવો. ગમે તેવી નાંદુરસ્ત તબિયતમાં પણ તેઓ પોતાના નિયમમાંથી જરાયે ચલિત થયા નહીં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy