________________
૧૪૨
ધન્ય ધરાઃ
સાહિત્યસ્વામી અને ખ્યાત તત્ત્વજ્ઞ
મલવાદીસૂરિ આ જૈનાચાર્ય ક્ષેત્રપાલીન ગુજરાત (ઈસ્વીસન ૨૩ થી ૪૧૫ દરમ્યાન પશ્ચિમી ક્ષત્રપોથી વિખ્યાત શક જાતિના રાજાઓએ સંપૂર્ણ ભારતીકરણ અંકે કરીને ગુજરાતનું સર્વ પ્રથમ સ્વતંત્ર રાજ્ય સ્થાપેલું)ના સહુથી પ્રધાન સાહિત્યસ્વામી અને ખ્યાત તત્ત્વજ્ઞ હતા. મલવાદીના જીવનવૃત્તાંતને નિરૂપવા કાજે મુખ્ય આધાર પ્રબંધો છે, જેમાં એમના જીવન અંગે બે વિભિન્ન પરંપરા આપણને હાથવગી થાય છે. આમાંની એક પરંપરા મુજબ તેઓ વલભીના મૈત્રક રાજા શિલાદિત્યની બહેનના પુત્ર હોવાનું જણાય છે. આ પરંપરા જોકે સ્વીકાર્ય નથી. બીજી પરંપરાનુસાર તેઓ ભરુકચ્છના જૈનાચાર્ય જિનાનંદની બહેન દુર્લભદેવીના ભાણેજ હતા. આ કથા વધુ શ્રદ્ધેય જણાય છે.
જૈનાચાર્યના સમયનિર્ણય બાબતે કોઈ પ્રત્યક્ષપ્રમાણ હાથવગાં નથી. એમના ગ્રંથોમાં કોઈ રચનાવર્ષ નોંધાયેલું નથી. પરિણામે એમના ગ્રંથમાં નિર્દિષ્ટ પૂર્વાચાર્યોના સમયનિર્દેશથી, એમના ગ્રંથ દ્વારનવ માં જેમનો ઉલ્લેખ નથી એવા અનુકાલીન તાર્કિકોના સમયના સંદર્ભમાં તથા જૈનપરંપરાના અનુસંધાને મલવાદીના સમયને નિશ્ચિત કરવો રહ્યો.
દ્વારનવ માં વાવિયાવીના કર્તા ભર્તુહરિ, દિનાગ તથા સિદ્ધસેન દિવાકરનો નિર્દેશ છે. આથી, મલવાદી કાં તો આ ત્રણેયના અનુકાલીન હોય, કાં તો ઉત્તર સમકાલીન. ભર્તુહરિ અને દિનાગ બંને સમકાલીન છે. બૌદ્ધ પરંપરાનુસાર, વિનયતોષ ભટ્ટાચાર્ય, દિનાગને ઈસ્વી ૩૪૫ અને ૪૨૫ વચ્ચે વિદ્યમાન હોવાનું સૂચવે છે. સિદ્ધસેને દિનાગનો ઉલ્લેખ કર્યો છે અને મલવાદીએ એ બંનેનો નિર્દેશ કર્યો છે. આ સંદર્ભે મલવાદી ઈસ્વીની ચોથી સદીનાં છેલ્લાં બે ચરણ અને પાંચમી સદીના પ્રથમ ચરણ દરમ્યાન વિદ્યમાન હોઈ શકે.
એમના ગ્રંથમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિ.સં. ૬૬૬ = ઈસ્વી ૬૦૯) અને ઉદ્યોતકર (ઈસ્વી પ૭પ થી ૬૨૫) એમ બંનેનો ઉલ્લેખ નથી. આ દૃષ્ટિએ મલવાદી ઈસ્વીની સાતમી સદી પૂર્વે અર્થાત્ છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હોવા જોઈએ. મલવાદીના ગ્રંથ વિશે ટીકા લખનાર સિંહસૂરિની ટીકામાં મૂળ ગ્રંથના ઘણા અંશ સંગૃહીત નથી,
એટલે મલવાદી અને સિંહસૂરિ વચ્ચે એક સૈકાથીયે વધારે અંતર હોવું જોઈએ. સિંહસૂરિ જિનભદ્રગણિના સમકાલીન હોઈ ઈશુની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં જીવિત હોય. એટલે મલવાદીને આપણે ઈસ્વીની પાંચમી સદીના ઉત્તરાર્ધમાં પ્રવર્તમાન હોવાનું સૂચવી શકીએ.
મલવાદીના સમયને નિર્ણિત કરવા વિષે ઉપર્યુક્ત ચર્ચાના સંદર્ભમાં જૈન પરંપરાને ચકાસવી જરૂરી છે. પ્રભાવકચરિતકારે મલવાદીને બૌદ્ધો સાથે કરેલા વિવાદની મિતિ વીર સંવત ૮૮૪ અથવા વિક્રમ સંવત ૪૧૪ એટલે કે ઈસ્વી ૩૫૭-૫૮ નોધી છે. આ મિતિ વિશેષ સ્વીકાર્ય જણાય છે. તેથી મલવાદીસૂરિ ઈસ્વીની ચોથી સદીનાં છેલ્લા બે-ત્રણ ચરણમાં વિદ્યમાન હોઈ શકે.
જૈનપરંપરા મુજબ મલવાદીએ શ્રુતદેવીના વરદાનથી એક શ્લોક માત્રના ગ્રહણથી દશ હજાર શ્લોક પ્રમાણયુક્ત નયત્રની રચના કરી, જેને શ્વેતાંબર અને દિગંબર બંને ફિરકાના ગ્રંથોમાં એક સરખું સ્થાન પ્રાપ્ત થયું છે. આ ગ્રંથ તે દ્રશાનયા. આ ગ્રંથ ઉપલબ્ધ નથી, પણ એના વિશે રચાયેલી ટીકા ઉપલબ્ધ છે. આ ટીકા સિંહસૂરિએ વિક્રમના સાતમા શતકમાં (વિ.સં. ૬૬૬થી ૭00ની સમયાવધિમાં) સંપન્ન કરી હતી. પ્રસ્તુત ટીકાના આધારે વીસમી સદીમાં મૂળગ્રંથનું સંભવિત ક્લેવર તૈયાર કરવાના વિવિધ પ્રયાસ થયા છે. પરિણામે મૂળગ્રંથનો સંભવિત પાઠ ઉપલબ્ધ થઈ શક્યો છે. જૈનદર્શનશાસ્ત્રોમાં આ ગ્રંથ અનન્ય સ્થાન ધરાવે છે. ગ્રંથનામ મુજબ નયરૂપી ચક્રમાં બાર આરા છે. ગ્રંથકર્તાએ એક નિષ્ણાત શિલ્પીની જેમ આ ચક્રની રચના કરી છે. ગ્રંથકારનો ઉદ્દેશ એ છે કે આ બધા એકાંતવાદી પોતાના પૂર્વવાદીથી સ્વયંને શક્તિસંપન્ન સમજે છે અને ઉત્તરવાદીઓના અસ્તિત્વને સ્વીકારતા નથી. તટસ્થ વ્યક્તિ ચક્રાંતર્ગત પ્રત્યેકવાદની અપેક્ષિત સબળતા કે નિર્બળતા સમજી શકે છે. તેથી મલવાદીસૂરિએ આ બધા વાદને પંક્તિબદ્ધ કરવાને બદલે કે ક્રમાનુસાર વર્ણવવાને સ્થાને ચક્રબદ્ધ કરવાનો ઉદ્દેશ રાખ્યો છે, કારણ કે ચક્રને આરંભાત ન હોવાથી, કોઈ વાદનો આરંભ કે કોઈ વાદનો અંત નિર્ણિત કરવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. આ પદ્ધતિમાં તો ખંડન-મંડનનાં ચક્ર ચાલ્યા જ કરે છે, ફર્યા જ કરે છે. પરિણામે મલવાદીના આ ગ્રંથમાં બધા મતની તાટસ્થપૂર્ણ સમીક્ષા કરાઈ છે. નય એ સ્વતઃ જૈન મંતવ્ય નથી, પરન્તુ જે જે જૈનેતર મંતવ્ય પ્રચલિત હતાં એને પણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org