________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૧૪૧
જિનદર્શનના પ્રખર દાર્શનિકો
-ડો. રસેશ જમીનદાર
ધર્મશાસ્ત્રો કહે છે કે માનવી આ પૃથ્વી પટે આંખો ખોલે છે ત્યારથી અનેક પ્રકારના વિસ્મયોથી ઘેરાયેલો રહે છે. હું શું છું?” “આ બધું શું છે? ‘આ બધા વચ્ચે હું ક્યાં છું?' “મારી આસપાસ આ બધું શું છે?
યથા પિંડે તથા બ્રહ્માંડે અને યથા બ્રહ્માંડે તથા પિંડેની પ્રતીતિ કરતો માનવી પિંડને પળવાર પણ વિસરી શકતો નથી અને સર્વવ્યાપ્ત બ્રહ્માંડને સર્વથા પામી શકતો નથી. જ્યારે જ્યારે એમાંના અંશને ઓળખવાનો અવસર આવે છે ત્યારે પરમ આશ્ચર્યનો અનુભવ કરે છે. એવા અનુભવને દર્શન કહે છે અને આપણાં શાસ્ત્રો આવા સાનંદાશ્ચર્યના અનેક અનુભવોના આનંદની અખંડ લહરીઓ છે. આ અગમનિગમના રહસ્યોનો પાર પામનાર દાર્શનિકો છે.
જૈન ઇતિહાસમાં એવા અસાધારણ ગુણ અને વ્યક્તિત્વવાળા ઘણા આપણી નજરે પડે છે જેમની સૂક્ષ્મ ચિંતનશક્તિ અને ગંભીર દાર્શનિક વિચારધારાએ જૈન શાસનને ભારે મોટી સમૃદ્ધિ બક્ષી છે એટલું જ નહીં એ સૌ આગમવાણી પ્રત્યે અગાધ શ્રદ્ધાશીલ અને નિષ્ઠાવાન હતા. આ દાર્શનિકો ખરેખર તો આર્ષદૃષ્ટા જ હતા. એમણે બધુ આત્માની શક્તિથી શોધ્યું હતું. તર્ક અને નિરીક્ષણ, ચિંતન અને બુદ્ધિ, જ્ઞાન અને સત્યની ખોજ માટેની ઉત્કૃષ્ટ ઇચ્છા એ બધા કારણોને લીધે એ સૌ જ્ઞાનનાં ઉત્તુંગ શિખરો સર કરી શક્યા હતા.
આ મહામેઘાવીઓએ પંચમહાભૂતોની આ રહસ્યમય સૃષ્ટિનો આપણને પરિચય કરાવ્યો છે.
આ ઉપરાંત સંસ્કારના નામે વિધિવિધાનો અને નીતિનિયમનોથી આધિ-વ્યાધિ-ઉપાધિના વિવિધ તાપોમાંથી પરમ શાંતિમય સમાધિની સ્થિતિ સુધી લઈ જાય છે. દાર્શનિકો માનવજીવનના સાચા પથપ્રદર્શકો છે. તેના શબ્દોમાં કરુણા અને કરણીની ચેતના દર્શન થતાં.
જીવનમાં સુખ-શાંતિ અને આનંદની ક્ષિતિજો વિસ્તારનારા આ સૌ સાચા માર્ગદર્શક છે. એ ન હોત તો આ અકળ રહસ્યોને પામવાની આપણી શક્તિ અને ક્ષમતા કેટલી હોત એ પ્રશ્ન છે. દાર્શનિકોનું દર્શન, સારસ્વતોની સમજણ અને ભાષ્યકારોના વિશ્લેષણોથી જ આપણે આ સમષ્ટિના અવિચળ સત્યોને પામી શકીએ છીએ. શબ્દ નામનો પ્રકાશ આ રહસ્યોને પ્રકાશિત ન કરતો હોત તો આ જગત કેવા અંધકારમાં અટવાયેલું હોત તેની વિદ્વાનોએ કલ્પના કરેલી છે. માટે શબ્દબ્રહ્મનો આભાર માનીએ કે શબ્દના પ્રકાશથી આ સમષ્ટિ અને સામાન્ય જીવની અનેક દિશાઓ અજવાળીને આ દાર્શનિકોએ આપણને ઉપકૃત કર્યા છે. મનુષ્યનું માધુર્ય પણ આ મહર્ષિઓઆ જીવનમાંથી માણવા મળશે.
જિનદર્શનના કેટલાંક પ્રખર દાર્શનિકોનો પરિચય કરાવે છે ડૉ. રમેશભાઈ જમીનદાર, જેઓ ઇતિહાસ અને સંસ્કૃતિના જ્ઞાતા છે. અમદાવાદ અને ગુજરાતનું તેઓ ગૌરવશાળી રત્ન છે. જૈન સાહિત્યમાં પણ તેમનું ઘણું મોટું પ્રદાન છે.
–સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org