________________
૧૧૨
ઋષભદેવ વેદાક્લિખિત હોવાની પણ વેદ પૂર્વે થયા છે. એ વાત અતિશયોક્તિભરી નથી.
ડૉ. જિમ્મર લખે છે, “આજે પ્રાગુ-ઐતિહાસિક કાળના મહાપુરુષોના અસ્તિત્વને સાબિત કરવા માટેના સાધનો ઉપલબ્ધ નથી. એનો અર્થ એવો નથી થતો કે મહાપુરુષો થયા નથી. આ અવસર્પિણી કાળના અંતકાળમાં અર્થાત્ પાષાણકાળ પૂરો થતાં અને કૃષિકાળના આરંભમાં પહેલાં તીર્થંકર ઋષભ થયા. જેમણે માનવને સભ્યતા શીખવી, અને ત્યારબાદ અન્ય તીર્થંકરો થયા. જેમનામાંથી કેટલાંકના ઉલ્લેખ વેદગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. એટલે કે જૈન ધર્મ ભગવાન ઋષભદેવના સમયથી ચાલ્યો આવે છે. ઋગ્વેદમાં ભગવાન ઋષભને પૂર્વજ્ઞાનના પ્રતિપાદક અને દુઃખોના નાશ કરનારા બતાવતાં કહ્યું છે.
અ?પૂર્વ વૃષભો જયાયુનિમા અરય શુરુધઃ સન્તિ પૂર્વીઃ દિવો ન પાતા વિથસ્ય ધીમિ: ક્ષેત્રે રાજાનામુ પ્રદિવો દશાવે. ઋગ્વેદ-૫૨-૩૮.
જેવી રીતે જલ ભરેલ મેઘ વર્ષાનો સ્રોત ગણાય છે જે પૃથ્વીની તરસને છીપાવે છે. એ રીતે પૂર્વી જ્ઞાનના પ્રતિપાદક વૃષભ (ઋષભ) મહાન છે. તેમના શાસનમાં ઋષિ પરંપરાથી પ્રાપ્ત પૂર્વનું જ્ઞાન આત્માના શત્રુઓ ક્રોધાદિને નાશ કરનારા છે. બન્ને સંસારી અને મુક્ત આત્મા પોતાના આત્મગુણો દ્વારા ચમકે છે એટલે એ રાજા છે. પૂર્ણ જ્ઞાનના સાગર છે અને આત્મપતન નથી થવા દેતા.
વૈદિક ઋષિ ભક્તિ ભાવનાથી વિભોર થઈ મહાપ્રભુની સ્તુતિ કરતાં કહે છે, “હે આત્મદૃષ્ટ પ્રભુ, પરમ સુખ પામવા માટે હું તારા શરણમાં આવવા ઇચ્છું છું. કારણ કે તારો ઉપદેશ અને તારી વાણી શક્તિશાળી છે. તેને હું ધારણ કરું છું. હે પ્રભુ બધા માનવો અને દેવોમાં તમે પૂર્વગત જ્ઞાનના પ્રતિપાદક છો.'
“આત્મા જ પરમાત્મા છે' જે અપ્પા સો પરમપ્પા' આ જૈન દર્શનનો મૂળ સિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્તને ઋગ્વેદના શબ્દોમાં ભગવાન શ્રી ઋષભદેવે આ રીતે પ્રતિપાદિત કર્યો છે. 'મન, વચન અને કાયા ત્રણેથી બદ્ધ (સંવત) વૃષભે પોષણા કરી કે મહાદેવ અર્થાત્ પરમાત્મા મોંમાં નિવાસ કરે છે."
ૠગ્વેદ ૪/૫૮/૩ ૠગ્વેદના મેધાવી મહર્ષિએ લખ્યું છે, “ઋષભ સ્વયં આદિ પુરુષ હતા જેમણે સૌથી પહેલાં માનવરૂપે દેવત્વ પ્રાપ્ત કર્યું હતું.
Jain Education International
ધન્ય ધરા
તન્મર્ત્યસ્ય દેવત્વસજાત મગ્નઃ ઋગ્વેદ ૩૧/૧૭
અથર્વવેદના ઋષિ માનવોને ઋષભદેવનું આહવાન કરવા પ્રેરણા કરે છે. “પાપોથી મુક્ત પૂજનીય દેવતાઓમાં સર્વપ્રથમ તથા ભવસાગરના રૂપને હૃદયથી આહવાન કરું છું. હે બંધુઓ તમે આત્માની શ્રદ્ધા દ્વારા તેના આત્મખલ અને તેજને ધારણ કરો.'
અથર્વવેદ કારિકા. ૧૪૨૪
કારણ કે તેઓ પ્રેમના રાજા છે. તેમણે એવા સંઘની સ્થાપના કરી છે જેમાં પશુ પણ માનવ સમાન માનવામાં આવે છે. તેમને કોઈ મારી શકતું નથી. શ્રીમદ્ ભાગવતુ ૫/૬/ પ૬૯ આ ઉપરાંત કર્મપુરાણ, માર્કણ્ડેય પુરાણ, અગ્નિપુરાણ આદિ વૈદિક ગ્રન્થોમાં તેમના જીવનની મહત્ત્વની ગાથાઓ લખાઈ છે. બૌદ્ધ ગ્રન્થ ‘આર્ય મંજુશ્રી મૂલકલ્પ''માં ભારતના આદિ સમ્રાટોમાં નાભિપુત્ર પમપુત્ર ભરતની ગણના કરવામાં આવી છે. તેમણે હિમાલય પર સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. (જૈન દૃષ્ટિએ સિદ્ધિ સ્થલ અષ્ટાપદ છે. હિમાલય નથી.) તેઓ વ્રત પાળવામાં દઢ હતા. તે જ નિર્માન્ય તીર્થંકર ઋષમ જૈનોના આપ્તદેવ હતા. પ્રજાપતેઃ સુતો નાભિ તસ્યાપિ આગમુચ્યતિનાભિનો ૠષભપુત્રો થૈ સિદ્ધકર્મ દૃઢવતઃ તસ્યાપિ મણિયો યાઃ સિદ્ધી હેમવેત પરોક્ષમા ભરતઃ પુત્રઃ સોડપિ મંજતાન તદા જયેતનિગ્રન્થ તીર્થંકર ષભ નિન્ય રૂપિઆર્ય મંજુશ્રી મૂળકલ્પ બ્લોક ૩૬૦– ૩૬૧-૩૬૨ ધમ્મપદમાં ધમને સર્વશ્રેષ્ઠ વીર કહ્યા છે. ઉસભં પવરં વીર ધમ્મપદ-૪૨૨ ભારત ઉપરાંત બહારના દેશોમાં પણ ભગવાન ઋષભદેવના વિરાટ વ્યક્તિત્વને વિવિધ રીતે દર્શાવવામાં આવ્યું છે. તેમણે સૌ પ્રથમ કૃષિકલાનું જ્ઞાન આપ્યું તેથી તેઓ ‘કૃષિ દેવતા' કહેવાયા. આધુનિક વિદ્વાન તેમને “એગ્રીકલ્ચરેજ માને છે. દેશનારૂપી વર્ષા કરવાથી તેઓ ‘વર્ષાના દેવ' કહેવાયા. કેવલજ્ઞાની હોવાથી સૂર્યદેવના રૂપે માન્ય છે. આ રીતે ભગવાન ઋષભદેવનું જીવન, વ્યક્તિત્વ અને કર્તૃત્વ વિશ્વના કરોડો માનવો માટે કલ્યાણરૂપ, મંગલરૂપ અને વરદાનરૂપ રહ્યું છે. તેઓ શ્રમણ સંસ્કૃતિ અને બ્રાહ્મણ સંસ્કૃતિના આદિપુરુષ છે. ભારતીય સંસ્કૃતિના જ નહીં, પણ માનવસંસ્કૃતિના તેઓ આદ્ય નિર્માતા છે. તેમના વિરાટ જીવન પર દૃષ્ટિ નાખતા માનવનું મસ્તક ગર્વથી ઊંચું થાય છે અને અંતરભાવ શ્રઢાથી ઝુકી જાય છે.
(તા. ૮-૯૪૭ના નવયુક' સામાયિકમાંથી સાભાર)
For Private & Personal Use Only
www.jainelibrary.org