________________
શાશ્વત સૌરભ ભાગ-૧
जैनं बौद्धं तथा ब्राह्मं शैवं कपिलं तथा ।। नास्तिकं दर्शनान्याहुः षडेव हि मनषिणः ॥ तत्रैव - कुलादिबीजं सर्वेषां प्रथम विमलवाहनः ॥ मरुदेवश्च नाभिश्च भरते નસત્તમઃ ॥ ભરતના નામથી ભારતવર્ષ નામ પડ્યું. ભગવાન ઋષભદેવ : શ્રમણ અને બ્રાહ્મણ સંસ્કૃતિના આદિ પુરૂષ
ભગવાન ઋષભદેવનું વ્યક્તિત્વ અને કર્તૃત્વ શબ્દાતીત છે. લૌકિક, લોકોત્તર, ભૌતિક, આધ્યાત્મિક, સામાજિક, રાષ્ટ્રીય, નૈતિક અને ધાર્મિક બધી દૃષ્ટિથી જોતાં ઋષભદેવ–આદિનાથનું જીવન દિવ્ય અને ભવ્ય છે. તેઓ માનવસંસ્કૃતિના આદિ સંસ્કર્તા અને નિર્માતા છે. ભારતદેશની માનવસંસ્કૃતિ પર જે મહાપુરુષોનો પ્રભાવ પડ્યો છે તેમાં ભગવાન ઋષભદેવ મુખ્ય છે. એમના વ્યક્તિત્વની અસાધારણ અને અભૂતપૂર્વ છાપ માનવજીવન પર અતિ ઘેરી પડેલી છે. જૈન અને જૈનેત્તર સાહિત્ય તેમની ગૌરવગાથાથી છલકાઈ રહ્યું છે. તેમનું વિરાટ વ્યક્તિત્વ સંપ્રદાયવાદથી મુક્ત છે. તેઓ માનવતાના કીર્તિસ્તંભ છે. ભગવાન ઋષભદેવનો સમય ભારતીય જ્ઞાત ઇતિહાસમાં નથી આવતો. એમના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે આગમ અને આગમેતર પ્રાચ્ય પ્રબળ પ્રમાણભૂત છે.
જૈન પરંપરાની દૃષ્ટિએ ભગવાન ઋષભદેવ વર્તમાન અવસર્પિણી કાળના ત્રીજા આરાના ઉપસંહાર કાળમાં થયા. ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર અને ઋષભદેવની વચ્ચે અસંખ્ય વર્ષોનો ગાળો છે. વૈદિક દૃષ્ટિએ ઋષભદેવ પ્રથમ સતયુગના અંતમાં થયા છે અને રામ અને કૃષ્ણના અવતારો પહેલાં થયા છે. (જિનેન્દ્ર મત દર્પણ ભાગ-૧) ઋષભદેવ ધર્મ અને કર્મના આદ્યનિર્માતા હતા. તેથી જૈન સાહિત્યમાં તેમનું નામ આદિનાથ લખવામાં આવ્યું છે. ઋષભદેવ પ્રજાના પાલક હતા, તેથી જિનસેન અને આચાર્ય સમન્તભદ્રે તેમનું નામ ‘પ્રજાપતિ’ લખ્યું છે. તે ઉપરાંત તેમના કાશ્યપ, વિધાતા, વિશ્વકર્મા અને સ્રષ્ટા વગેરે નામો પણ પ્રસિદ્ધ છે.
વિધાતા વિશ્વકર્મા ચ, સ્રષ્ટા ચૈત્યાદિનાભિઃ પ્રજાસ્તં વ્યાહરન્તિ સ્મ, જગતાં પતિમચ્યુતમ્ મહાપુરાણ-આચાર્ય જિનસેન ૧૬/૨૬૭ ભગવાન ઋષભદેવ જૈન સંસ્કૃતિની દૃષ્ટિએ પ્રથમ
Jain Education International
૧૧૧
તીર્થંકર છે. શ્રીમદ્ ભાગવતની દૃષ્ટિએ તેઓ વિષ્ણુના અવતાર છે. શિવપુરાણ અનુસાર ઋષભદેવ શિવના અઠ્ઠાવીસ યોગાવતારોમાંથી આઠમા યોગાવતાર છે. તેમણે ઋષભદેવરૂપે અવતાર લીધો. પ્રભાસપુરાણમાં પણ એવો જ ઉલ્લેખ છે. ડૉક્ટર રાજકુમાર જૈન “વૃષભદેવ તથા શિવસંબંધી પ્રાચ્ય માન્યતાઓ” લેખમાં વેદ, ઉપનિષદ, ભાગવત પ્રભૃત્ત ગ્રંથોના સૌથી વધુ પ્રમાણો આપીને સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે કે ઋષભદેવ અને શિવ બંને એક જ છે. બન્ને જુદા જુદા નથી. શ્રમણ અને બ્રાહ્મણ બન્ને પરંપરાના આદિપુરુષ છે. ત્રીજા આરાના ત્રણ વર્ષ સાડા આઠ માસ બાકી રહ્યા હતા ત્યારે ભગવાન ઋષભદેવ સહસ્ર શ્રમણોની સાથે અષ્ટાપદ પર્વત પર આરૂઢ થયા. ત્યાં પર્યાકસનમાં સ્થિર રહી શુકલ ધ્યાન દ્વારા વેદનીય કર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ નષ્ટ કરીને સદાને માટે અક્ષર, અજર અને અમર પદ પ્રાપ્ત કર્યું. જૈન પરિભાષામાં આને નિર્વાણ અથવા પરિનિર્વાણ કહે છે. શિવપુરાણમાં અષ્ટાપદ પર્વતના સ્થાન પર કૈલાસ પર્વતનો ઉલ્લેખ કરેલો છે.
ભગવાન ઋષભદેવની નિર્વાણતિથિ જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ, કલ્પસૂત્ર, ત્રિશષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર પ્રમાણે મહાવદ તેરસ છે અને ‘તિલોયપણત્તિ’ અને મહાપુરાણ અનુસાર મહા વદ ચૌદસ છે. વિદ્વાનોનું મંતવ્ય છે કે તે દિવસે શ્રમણોએ શિવગતિ પ્રાપ્ત ભગવાનની સ્મૃતિમાં ઉપવાસ રાખ્યો અને આખી રાત ધર્મ જાગરણ કર્યું. તેથી આ તિથિ શિવરાત્રિ નામથી પ્રસિદ્ધ થઈ. ‘શિવ’, ‘મોક્ષ', ‘નિર્વાણ' આ બધા પર્યાયવાચી શબ્દો છે. ઇશન સંહિતામાં લખ્યું છે કે મહાવદ ચૌદશની મહારાત્રિ કોટિ સૂર્ય પ્રભોભન ભગવાન આદિદેવને શિવગતિ પ્રાપ્ત થઈ અને શિવ એ લિંગમાંથી પ્રગટ થયા. જે નિર્વાણ પહેલાં આદિદેવ કહેવાતા હતા. તેઓ હવે શિવપદ પ્રાપ્ત થવાથી ‘શિવ' કહેવાયા. ઋષભદેવનું મહત્ત્વ શ્રમણ પરંપરામાં જ નહીં પણ બ્રાહ્મણ પરંપરામાં પણ હતું. તેમાં તેમને આરાધ્ય દેવ માનીને મુક્ત કંઠ– ગુણાનુવાદ કરતા હતા. સુપ્રસિદ્ધ વૈદિક સાહિત્યના વિદ્વાન પ્રો. વિરુપાક્ષ અને આચાર્ય વિનોબા ભાવે જેવા બહુશ્રુત વિચારક ઋગ્વેદ આદિમાં ઋષભદેવની સ્તુતિ થઈ હોવાનું માને છે. શ્રી રામધારીસિંહ દિનકર શ્રી ઋષભદેવ સંબંધી લખે છે, “માહન જો દડો''ના ખોદકામમાં પુરાવા મળે છે કે જૈનોના આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ હતા. જેમની સાથે યોગ અને વૈરાગ્યની પરંપરા એવી રીતે સંકળાયેલી છે જે કાલાત્તરે શિવની સાથે સમન્વિત થઈ ગઈ. એ દૃષ્ટિએ જોતાં જૈન વિદ્વાનો માને છે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org