________________
સ્વપ્ન શિલ્પીઓ.
૭૬૩
બૃહદ્ ગુજરાતના સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજમાં અગ્રતા ધરાવતા ગૌરવવંતા એવા શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન લબડી અજરામર સંપ્રદાયમાં વરિષ્ઠ કાર્યવાહક પદે બિરાજી સંપ્રદાયના ૨૬૦ જેટલા સાધુ સાધ્વીજીના યોગક્ષેમ વહન કરી રહયા છે. અન્ય સંપ્રદાયના સાધુ સાધ્વીજી તેમના બહોળા અનુભવ જ્ઞાનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. તેઓ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુવિધસંઘ માટે દીવાદાંડી સમાન છે.
અજરામર સંપ્રદાયના આત્મા એવા ગુરુવર્ય ન માત્ર ધાર્મિક કાર્યો જ કરે છે. દીર્ઘદ્રષ્ટા, વિશદ વિચારક ગુરુદેવ સામાજિક અને માનવતા વાદી અભિગમ પણ રાખે છે. તેમની શુભ પ્રેરણાથી પાંચ છ જગ્યાએ વિદ્યાલયો પણ શરૂ થયેલ છે. નિસ્પૃહી એવા સંત નમ્રતાની મૂર્તિ છે. તેઓ પોતાનું નામ કયાંય આગળ કરતા નથી. તેમના આરાધ્ય ગુરુ સંપ્રદાયના સ્થાપક સર્વધર્મ સમન્વયવાદી દાદાગુરુ શ્રી અજરામરજી સ્વામીના નામથી જ તેઓ દરેક પ્રવૃતિ કરે છે. શકિતના પૂંજ સમાન મુનિરાજ યુવાનોના પ્રેરણાસ્ત્રોત છે.
તબિયત નાદુરસ્ત હોવા છતાં દરરોજ ૧૮ થી ૨૦ કલાક કામ કરે છે. તેમના માટે તેમના સમવયસ્ક સંસારી મિત્રો બોલે કે નાના હતા ત્યારે દેશભકિતથી પ્રેરાઇને આર.એસ.એસ.માં જોડાયા હતા, વૈરાગ્ય આવતાં દીક્ષા લીધી. અગર જો દીક્ષા ન લીધી હોત અને સંસારમાં હોત તો, મોટા ઉદ્યોગપતિ બનત, અગર સાયન્સ ભણ્યા હોત તો મોટા સાયન્ટીસ્ટ બનત, મેડીકલ લાઇનમાં ગયા હોત તો ડો. ગાલાના નામે ફેમશ થાત, કોમર્સ લાઇન લીધી હોત તો સી.એ. કે એમ.બી.એ. થયા હોત. એવા વિદ્વાન અને બુદ્ધિ નિધાન સંત આત્માની આરાધનાથી સ્વ કલ્યાણ સાથે પર કલ્યાણ કરી રહયા છે. ૪૦ વરસ દીક્ષા લીધે થયા છે.
સાહિત્યકારો, શિક્ષકો, કલાકારો, ઉચ્ચ ઓફિસરો વિગેરે તેમને મળીને ખુબ સંતોષ અનુભવે છે. સારાય સ્થાનકવાસી જૈન સમાજમાં વિદ્વાન સંતોમાં તેઓ શ્રી અગ્રતા ક્રમે છે. વિદ્વતા છતાં નિખાલસતા અને નમ્રતાના કારણે જૈન જૈનેતર સમાજમાં સારી એવી લોકપ્રિયતા પ્રાપ્ત કરેલ છે, ૬૧ વરસની ઉંમરે પણ સતત વ્યસ્ત રહે છે.
તેમનું વિચરણ ક્ષેત્ર કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત અને મુંબઇ મહારાષ્ટ્ર છે. તેમના મનનો મહેરામણ કાયમ છલકતો રહે છે. અંતરની અમૃત સરિતા સદાય બે કાંઠે વહેતી રહે છે. હૃદય જાણે કરૂણારસની પ્યાલી જોઇ લો. આશીર્વાદની અમૃતધારા વરસાવી ગુરુકૃપાથી સદા શિષ્ય/શિષ્યા પરિવાર તથા ભકત સમુદાયને પસન્ન તેમજ ઉત્સાહિત રાખે છે. અભ્યાસ માટે નાના મોટા સહુને ખાસ પ્રેરણા આપે.
જીવન ખુબ નિરાળું અને સ્વાવલંબી ! જીવન ગાંધી વિચારધારાના રંગે રંગાયેલું હોવાથી પોતાના દરેક કામ જાતે જ કરે. કયારેય કોઇ પાસે અપેક્ષા કે આગ્રહ પણ રાખે નહિ. સ્થિતપ્રજ્ઞતા એવી કે સ્વ પ્રસંશામાં રાચે નહીં, ટીકા નિંદાથી ગભરાય નહી. પ્રસંશા કે ટીકા નિંદાને ધુમાડાના બાચકા કહી વાત હસી કાઢે.
ક્રાંતિકારી વિચારધારા હોવાથી સમય સાથે કદમ મિલાવીને ચાલે, નવા વિચારોને નવા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org