________________
9૬૨
સ્વપ્ન શિલ્પીઓ.
ઇતિકારી વિચા૨8
જૈન મુનિ શ્રી ભાસ્કરજી સ્વામી કચ્છ જિલ્લાનું ભચાઉ ગામ ધરતીકંપ બાદ સારી દુનિયામાં જાણીતું થઇ ગયેલ છે. એ ખમીરવંતી ભુમિ પર નિવાસ કરતા શ્રી જખુભાઇના નાનાપુત્ર, નામ અમૃત. માત્ર એક વરસની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. માતાએ વૈધવ્યનો ભાર વેંઢારતા વેંઢારતા ચાર સંતાનોને ભણાવી ગણાવી સંસ્કારિત કર્યા. અમતભાઇ નાની ઉંમરમાંજ ગર ભગવંતોના સત્સંગથી વૈરાગ્ય વાસિત થયા. ભણવામાં ખૂબ તેજસ્વી હતા. મેટ્રીક સુધી અભ્યાસ કર્યો. ચાર ભાઇ બહેનમાં સૌથી નાના હોવાથી માતાના વિશેષ લાડકવાયા. છતાં માતાએ પોતાનો હતા સ્વાર્થ ન જોતાં દીક્ષા માટે સહર્ષ અનુજ્ઞા આપી.
દીક્ષા લઇને ખુબ અભ્યાસ કર્યો, દરેક વિષયમાં પારંગતા થયા. ઐતિહાસિક જ્ઞાન એટલું કે ઇતિહાસવિદનું બિરુદ સહેજે અપાઇ જાય. એજીનિયર ન હોવા છતાં બાહોશ એન્જીનિયરની કંપેર કરી શકે તેવું બાંધકામ સંબંધી તલસ્પર્શી અદભૂત જ્ઞાન. તેઓ શ્રીની પ્રેરણાથી કચ્છ સૌરાષ્ટ્ર મુંબઇમાં ૬૫ જેટલા ધર્મ સંકુલોનું નવનિર્માણ તેમના માર્ગદર્શન પ્રમાણે થયેલ છે. કર્તવ્યનિષ્ઠા એવી કે કોઇ પણ કામ હાથમાં લે પછી તે પૂર્ણ કરીને જ રહે. તેના માટે પૂરેપૂરો પરિશ્રમ કરે.
એટલા જ શિક્ષણપ્રેમી પણ ખરા, તેઓ કહે કે એક મંદિર કે દેરાસર બનાવો યા તો ધર્મસ્થાનક કે ધર્મશાળા બનાવો તેનું જેટલું પુણ્ય મળે, તેટલું જ પુણ્ય માત્ર એક વિદ્યાર્થી ને ભણાવવાથી મળે, કારણકે એક વિદ્યાર્થી ને ભણાવવો એટલે એક માનવમંદિરનું નવનિર્માણ થયું તેમ સમજવું. આવો તેમનો શિક્ષણ માટેનો પ્રેમ છે.
જેવું તેમનું નામ છે. તેવા જ તેજસ્વી છે. હોઠ પર સ્મિત, ગળામાં ગીત, સર્વ જીવો સાથે પ્રીત, એવી છે એમની જીવન જીવવાની રીત. પ્રવચન એકદમ તેજસ્વી ઓજસ્વી શ્રોતાગણને જકડી રાખે અને જે પ્રસંગનું વર્ણન કરતા હોય તેના ભાવાવેશમાં શ્રોતાગણને અદ્ભુત રીતે ખેંચી જાય તેવી પ્રવચન પ્રભાવકતા!
વાણી તો એવી વરસે જાણે સઘડા શાસ્ત્રનો સાર મુશળધાર વરસે. સુમધુર કંઠ! ગાવાની તો હલક એવી કે કહેવાનું મન થાય કે - જે ખુબી છે તમારા અવાજમાં, જોઇ નથી એવી ખુબી કોઇ બીજા સાજમાં. સોનામાં સુગંધ ભળે તેમ ગોડગિફટ તરીકે કવિત્વ શકિત પણ સંપ્રાપ્ત થયેલ છે. ગીત ગાવાના લય-ઢબ-તાલ-રાગ આદિ સંગીત વિશારદ હોય તેવા!
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org