________________
સ્વપ્ન શિલ્પીઓ
વિક્રમ સંવત ૧૮૦૯ની સાલ હતી. એક પવિત્ર દિવસે રત્નકુક્ષી કંકુબહેને એક પરમ પુણ્યશાળી પુત્ર રત્નને જન્મ આપ્યો. આવા પુણ્યશાળી આત્માની પોતાને ત્યાં પધરામણી થવાથી માત-પિતાના આનંદની કોઈ અવિધ ન રહી. સગાસંબંધીઓ, ગ્રામજનો બાળકને જોઈને ધરાતાં ન હતાં. એ મહાભાગ્યશાલી આત્માને જોઈ સહુ પોતાની જાતને ધન્ય
માનતા હતા.
પોતાનો પુત્ર ભવિષ્યમાં જરા અને મરણથી મુક્ત થાય તેમ જ બીજા અનેક આતઆને જન્મ, જરા-મરણના ચક્રમાંથી મુક્ત કરાવે, આત્માનો સાચો આનંદ પ્રાપ્ત કરી બીજાને આનંદ કરાવે તેથી તેનું નામ આનંદકુમાર પાડવામાં આવ્યું.
માતાની વાત સાંભળી પાંચ વર્ષના પુત્રે કહ્યું, “મા! એમાં આટલી બધી ચિંતા? બેસો, હું પ્રતિક્રમણ કરાવું.' બાળકની આવી વાતા સાંભળી માતાને હસવું આવ્યું અને કહ્યું, “બેટા! તને ક્યાં પ્રતિક્રમણ આવડે છે?' “મા! તમે નિરાંતે બેસો, મને સાંભળો પછી કહેજો.” માતા કંકુબાઈ સામાયિકનું આસર લઈ બેસી ગયાં. આનંદકુમારે વિધિપૂર્વક પ્રતિક્રમણ કરાવ્યું. આખું પ્રતિક્રમણ સાંભળી માતાના આનંદ અને આશ્ચર્યની કોઈ અવધિ ન રહી. પ્રેમપૂર્વક પૂછે છે, “બેટા! મે તો તને પ્રતિક્રમણ શીખવ્યું નથી, તો તને પ્રતિક્રમણ ક્યાંથી ખાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ:, ધ્રુવં બન્ને મૃતય હૈં । આવડ્યું?' ત્યારે પુત્ર કહે છે, “આપની કૃપાથી. દરરોજ સાંભળવાથી મને યાદ રહી ગયું છે.” માતા કંકુબાઈ પુત્રની આવી સ્મરણશક્તિથી પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યાં.
ભગવદ્ગીતા
અર્થાત્ જે જન્મે છે તે મરે છે અને જે મરે છે તે જન્મે છે. તે નિયમાનુસાર માણેકચંદભાઈ એકાએક નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યા. તે વખતે આનંદકુમારની ઉંમર પાંચ વર્ષની હતી. અચાનક મૃત્યુથી માતા-પુત્રને આધાત લાગે તે સ્વાભાવિક છે, પરંતુ કુદરતના કાનૂન પાસે સૌ લાચાર છે. કર્મના સિદ્ધાન્તને સમજનાર કંકુબાઈને આ પ્રસંગ ઉપરથી વૈરાગ્ય આવી ગયો, તેઓ અન્તર્મુખી બની ગયાં. સંયોગ અને વિયોગ એ તો સંસારની ઘટમાળ છે. એના સ્વરૂપને સમજનાર ક્યારેય શોક કરે નહીં.
બીજી બાજુ આનંદકુમારના વિદ્યાર્થી જીવનની શુભ શરૂઆત થઈ. પૂર્વના ક્ષયોપશમના કારણે બુદ્ધિ કુશાગ્ર હતી. સ્મરણશક્તિ વિસ્મય પમાડે તેવી હતી. માતા કંકુબાઈ નિયમિત સાંજે પ્રતિક્રમણ કરવા જાય ત્યારે પોતાના લાડલાને ધાર્મિક સંસ્કાર આપવાની ગણતરીએ પોતાની બાજુમાં જ બેસાડે, પાંચ વર્ષના આનંદકુમાર પણ ધ્યાનપૂર્વક પ્રતિક્રમણ સાંભળે.
એક સાંજે ભારે વરસાદ વરસી રહ્યો હતો. માતા કંકુબાઈ ચિંતાતુર થઈ ઘરમાં આંટા મારી રહ્યા હતાં. આવી રીતે માતાને ચિંતાતુર જોઈ આનંદકુમારે પૂછ્યું, મા! તને ચિંતા સતાવે છે?'' ત્યારે માતાએ પ્રત્યુત્તર આપ્યો, “બેટા! ભારે વરસાદ વરસે છે, પ્રતિક્રમણનો સમય થઈ ગયો છે, બહાર જઈ શકાય તેમ નથી તેથી આજે મારું પ્રતિક્રમણ જશે. જે દિવસે સામાયિક પ્રતિક્રમણ ન થાય તે દિવસને હું નિષ્ફળ માનું છું. મને પ્રતિક્રમણ આવડતું નથી તેથી મારે શું કરવું તે
૭૪૧
વિચારું છું. વરસાદ બંધ થાય તો ઉપાશ્રયે જવાય.” એમ કહી માતાએ ઊંડો નિસાસો નાખ્યો.
Jain Education Intemational
પાઠશાળામાં પુનિત પદાર્પણ
તે સમયમાં પડાણામાં ભણવાની વિશેષ સગવડ ન હોવાથી ગામઠી શાળામાં અભ્યાસ શરૂ કર્યો. 'ટૂંક સમયમાં ગુજરાતી ભાષાનો સારો અભ્યાસ કરી લીધો. બાલ્યાવસ્થાની સહચારિણી બાલચેષ્ટાની જગ્યાએ ગંભીરતા હોવાથી બીજા વિદ્યાર્થીઓની જેમ નિરર્થક તોફાન-મસ્તીમાં કાળક્ષેપ બહુ ઓછો થતો.
શાળાથી છૂટા થયા પછી અવકાશના સમયે માતા-પુત્ર સાથે બેસતાં ત્યારે માતા કંકુબાઈ પ્રિય પુત્રને સંસારની અસારતા સમજાવતાં. બાલમુનિ અઈમુત્તા, ગજસુકુમાર મુનિ આદિ ઘણા મહાપુરુષોની ધર્મક્થા પણ સંભળાવતા, જેથી આનંદકુમાર ખૂબ જ આનંદનો અનુભવ કરતા.
મૈયા મેરો મનવો હુઓ વૈરાગી...
મહાપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો સાંભળીને આનંદકુમાર વૈરાગ્યવાસિત બની ગયા. કુમળા હૃદયમાં માતાનો અસરકારક બોધ આરપાર ઊતરી ગયો અને એક શુભ દિવસે માતાને પોતાનામનની વાત કરી કે, “મૈયા મેરો મનવો હુઓ બેરાગી.” “હે માતા! મારે સંયમ લેવો છે. તમે આજ્ઞા આપો.” પુત્રના મધથીય મધુરતર શબ્દો સાંભળીને માતાના આનંદની કોઈ સીમા ન રહી. સંસ્કારી માતા હંમેશા પોતના પુત્રનું કલ્યાણ ઈચ્છે છે. સતી મદાલસા જેમ પોતાના પુત્રોને
For Private & Personal Use Only
www.jainelibrary.org