SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ તેમના મનની ભાવના વિભોર બની ગઈ. ઈ.સ. ૧૯૯૭માં શ્રી કાંકરેજ જૈન પ્રગતિમંડળ દ્વારા સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરેલ તેમાં તેઓ સામેલ થયા અને એ દ્રશ્ય જોઈ તેમનું મનપરિવર્તન થયું. તેથી તો બેંગ્લોરના હુલામણા નામે પ્રસિદ્ધ ‘ગુરુજી' તરીકે ઓળખતા શ્રી સુરેન્દ્રભાઈના સહવાસમાં આવ્યા પછી તેઓશ્રીએ વર્ધમાન તપની ઓળીનો પાયો નાખી પોતાની તપશ્ચર્યાની શુભ શરૂઆત કરી. ધર્મમાં રંગ લાગ્યા પછી તેઓએ પોતે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા ચાલુ કરી અને ઓળી કરવા પછી આયંબિલ ચાલુ રાખતા. આયંબિલના પારણે આયંબિલ કરતાં. અત્યારે તેમણે વર્ધમાન તપની ૬૬મી ઓળી પૂર્ણ કરી છે. તેઓની આગળ વધવાની પૂરેપૂરી તૈયારી શાસનદેવ તેમને સહાય કરે તેવી પ્રાર્થના. સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ(ઉણ) બેંગ્લોર. મૂક સામાજીક સેવક સ્વ. શ્રી નાગરદાસ કુંવરજીભાઈ શાહ ભાવનગર બાજુના એક નાનકડા ગામ તણસા-રાજપરા ગામે રહેતા શ્રીયુત્ કુંવરજીભાઈ જેઠાભાઈ શાહ લગભગ ૯૮ વર્ષ પહેલાં બેંગ્લોર આવેલ. અત્રે સ્થાયી થયા અને ધંધામાં શુભ શરૂઆત કરી. બેંગ્લોર ખાતે કેટોમેન્ટમાં રહેતા હતા. કુંવરજીભાઈના ઘેર સુપુત્રનો માતાની કૂખે જન્મ થયો. તેમનું નામ નાગરદાસ પાડેલ. સમય આગળ વધી તે યુવાવસ્થામાં આવી પોતે કેટોમેન્ટ ખાતે અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ થયા પછી તેમણે મોહનલાલ તારાચંદ ગાંધીની પેઢી શાહ બ્રધર્સમાં મેનેજર તરીકે પ્રામાણિકતા મુજબ સર્વિસ કરી. પ્રગતિનાં સોપાન સર કરી પોતાની આવડત હુન્નર, ખંતથી ઈ.સ. ૧૯૫૦માં પોતાનો કાપડનો ધંધો શાહ સ્ટોર્સ નામથી ભાગીદારીમાં શરૂ કર્યો. ઈ.સ. ૧૯૫૩ પોતાની સ્વતંત્ર રીતે શાહ સિલ્ક હાઉસની પેઢી શરૂ કરી. ધંધાનો વિકાસ કરી ધંધા સાથે ધર્મનું પાસું બરાબર સમતોલ રાખી ધાર્મિક ઘણાં કાર્યો યશસ્વી રીતે કરેલાં છે. સામાજિક ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ઘણું મોટું છે. ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ, બેંગ્લોર ખાતે પોતાની આગવી સેવા હોદ્દા સહિત આપેલ. ઘણાં વર્ષો સુધી ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, આરોગ્યક્ષેત્રે પોતાનું સુંદર યોગદાન આપી સમાજમાં Jain Education Intemational ૭૨૧ પ્રતિભાશાળી બની દરેકનું મન જીતી લીધું હતું. તેઓ હુલામણા નામ ‘દાદા’ તરીકે ઓળખાતા હતા. બેંગ્લોરને કર્મભૂમિ બનાવી દાનની ગંગા વહેતી કરી હતી. બેંગ્લોરમાં માર્થ હોસ્પિટલમાં પાણીનું પરબ બનાવવામાં સુંદર યોગદાન આપેલ અને શૈક્ષણિક ક્ષેત્રે શ્રી ડી. વી. વી. ગુજરાતી શાળામાં અંતર્ગતમાં મોટી રકમ આપી હાઇસ્કૂલમાં પોતાનું નામ જોડી એન. કે. શાહ હાઇસ્કૂલ શરૂ કરવામાં આવી હતી. બેંગ્લોર ખાતે શ્રી હીરાચંદ નાહર જૈન ભવનમાં ખાતમુહૂર્તનો આદેશ લઈ તેમનાં ચરણકમળ હાથે કરેલ. દાદાવાડી ગાંધીનગરમાં ખાતમુહૂર્ત તેમણે કરેલ. મૈસુરમાં ગુજરાતી સમાજના નેજા હેઠળ શેઠ શ્રી કુંવરજીભાઈ જેઠાભાઈ શાહ હ. નાગરદાસ રસિકભાઈ મોટી રકમ આપી સુંદર લાભ લીધો હતો. સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ બેંગ્લોર ન્યાયપ્રેમી, નિઃસ્વાર્થી, સત્યવક્તા સ્વ. શ્રી નેમિદાસભાઈ જી. ભેદા-બેંગ્લોર કુદરતે આપણને આપેલ માનવ જન્મના અલ્પ આયુષ્યમાં એક વ્યક્તિ કેટલું મેળવી શકે! એજ તો જીવનનો સંઘર્ષ છે. આપણે બધાં જીવન તો જીવી જઈએ છીએ પણ એમાં કેટલાંક એવાં માનવ હોય છે કે તેમની સુવાસ મૂકતાં જાય છે. જીવનને સર્જક બનાવ્યું હોય તેવાં લાગે છે. તેવી વ્યક્તિ, જે ગુજરાતની રણપ્રદેશની ભૂમિ કચ્છમાં આવેલા ભૂજપુરના શ્રી નેમિદાસ ગાંગજીભાઈ ભેદા, જેઓ પોતાનું જીવન એવું જીવ્યા છે કે બીજાને દાખલારૂપ રહે. મનુષ્યજીવનમાં બંધનોમાંથી મુક્ત થવા નવ સરળ સૂત્રો અપનાવીને કર્તાભાવથી ઉપર ઊઠીને કામ કરવું એ જ જીવનની ધન્યતા છે. જીવન એવું જીવવું કે જીવનની સંધ્યાએ એમ કહી શકાય કે સત્યતા, અહિંસાના પલ્લામાં એક પાંદડી મૂકવાનું મેં કામ કર્યું છે. આવું કંઈક ચિંતન કરી તેમણે જીવન સફળ બનાવેલ. તેઓશ્રી સાધુ-સાધ્વીનાં દર્શન જવું, વૈયાવચ્ચ કરવી, સાધર્મિક ભક્તિનો લાભ લેવો, તપશ્ચર્યાની અનુમોદનાનો લાભ લેવો, જીવદયામાં યથાશક્તિ ફાળો આપવો, ધાર્મિક કોઈપણ ઉત્સવોમાં બની શકે તેટલી હાજરી આપવી, ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધારે મજબૂત થાય, સમાજ અને ધર્મસ્થાનકો વગેરેમાં પોતાની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy