________________
૭૨૦
નીતિન્યાયના ધોરણે પોતે સર્વિસ કરી.
પાંચેક વર્ષ મદ્રાસ રહીને પુત્ર અશોકભાઈ તથા પુત્રી કલ્પનાબહેન સાથે ગાર્ડન સિટી બેંગ્લોર આવેલ અને સ્થાયી થઈ કર્મભૂમિ બનાવી.
પોતાનાં ખંત, મહેનત, હિંમત અને તેમની પત્ની વિમળાબહેનના અપૂર્વ સાથ-સહકારથી શૂન્યમાંથી સર્જન કરી માતાની કૂખ દિપાવી અને પિતાનું કુળ અજવાળ્યું.
શરૂઆતથી તેઓનું જીવન સરળતા, સાદગી, સચ્ચાઈ, નમ્રતા, વિનય, વિવેક અને ધર્મમય જેવું આભૂષણ સમાન હતું.
નાનપણથી ખૂબ જ હોંશિયાર, હિંમત, નિખાલસતા, પ્રવીણતા જેવું કર્તવ્યપરાયણ રહી હૃદયમાં ધર્મભાવના અતિપ્રભાવી અને લક્ષ્મીકૃપા બની રહી હતી.
શાસનના કોઈપણ કાર્યમાં હંમેશાં તન, મન, ધનથી સેવા આપવામાં તત્પર રહી ક્યારેય પીછેહઠ નહીં કરી હોય, પછી તે કર્મભૂમિ હોય કે જન્મભૂમિ હોય, તેવા ઊંચા આદર્શ સાથે દરેકને પ્રેરણારૂપ બની તેમના મનની ઊંડી કોઠાસૂઝ તેમજ પરોપકારની ઉજ્જવળ ભાવનાઓ તેમનામાં વણાયેલી હતી.
ધાર્મિક તેમજ સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે અને જીવદયા– અનુકંપાદાન, કરુણાની શીલભરી લાગણી દ્વારા અન્ય પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે સહકાર આપી કાર્યમાં હાજર રહી સચોટરૂપથી સુંદર રીતે માર્ગદર્શન આપી સહભાગી બની રહેતા.
તેઓશ્રી અન્ય સંસ્થાઓમાં પોતાની જીવન જીવવાની શૈલી દ્વારા પોતાનું કાર્ય સંભાળતા અને કાર્યની સુવાસ ફેલાવી કાર્યક્ષેત્રમાં અડગ રહેતા અને દરેકને પ્રેમ અને હૃદયનું ઉષ્માભર્યું વાત્સલ્ય આપી જીવન જીવી જાણ્યું. તેમનો આદર્શ વ્યવહાર સામાન્ય માણસ સાથે રાખી અંતરનાં અમીભર્યુ જીવનકાર્ય પ્રેરણારૂપ રહેલ.
તેમની જન્મભૂમિ જૂના ડીસા ખાતે આશરે લગભગ પંદર વર્ષ પહેલાં શ્રી આદેશ્વર દાદાની પ્રતિષ્ઠા સમયે સુંદર લાભ લીધેલ.
નવા ડીસા ખાતે નેમનાથ ભગવાનના દેરાસરની પ્રતિષ્ઠા પ્રસંગે સુંદર યોગદાન કરેલ.
જીવદયાપ્રેમી આત્મા હોઈ કોઈપણ ક્ષેત્રમાં પાંજરાપોળમાં ઉદાર દિલથી ફંડફાળામાં સહકાર આપી દાનગંગા વહેવડાવતા હતા.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ વિવિધ દેરાસરો, ધર્મશાળાઓ, ભોજનશાળા, આરાધનાભવન વગેરેમાં ક્યાંક ખાતમુહૂર્ત, શિલાન્યાસ, ક્યાંક નાની દેરી, ભગવાન ભરાવાના તેમજ શિખર ઉપર કળશ ચડાવવાના, ક્યારેક ધ્વજા ચડાવવાના વગેરે જુદી જુદી જગ્યાએ સુંદર રીતે લાભ લઈ પોતાના જીવનમાં ધન્યતા અનુભવતા.
જીવનના અંતિમ સમય સુધી ગુપ્તદાન તેમજ સાધુસાધ્વીની વૈયાવચ્ચ માટે હંમેશાં તત્પર રહેલ.
તેમની કર્મભૂમિ બેંગ્લોર ખાતે પોતાની લક્ષ્મીનો સદ્ઉપયોગ કરી ગાંધીનગરમાં શ્રીમતી વિમળાબહેન દલપતલાલ જૈન ભોજનશાળામાં સુંદર રીતે લાભ લીધેલ.
આ ઉપરાંત અનેક નાનીમોટી સંસ્થામાં રહી સુંદર સેવા સાથે યોગદાન આપેલ.
—સંકલન શ્રી પ્રવીણભાઈ એમ. શાહ (ઉણ) બેંગ્લોર ધન્ય તપસ્વી રત્ન'
શ્રી દીપકભાઈ હિંમતલાલ સુરાણા
રાજસ્થાનની જન્મભૂમિ પારલુ (રાજ) શ્રી હિંમતલાલજી સુરાણાના ઘેર માતા મેનાબહેનની કુક્ષિએ તા. ૨૬-૭-૧૯૪૯ના શુભ સમયે દીપકભાઈનો જન્મ થયો હતો. તેઓશ્રી રાજસ્થાનથી ગુજરાતની ધરતી ઉપર આવેલ . અંકલેશ્વરમાં આવી વસવાટ કર્યો. પોતાની જન્મભૂમિ જેવું વાતાવરણ ઊભું કર્યું. અંકલેશ્વરમાં તેમની બાલ્યાવસ્થા પૂર્ણ થયા પછી યુવાવસ્થામાં આવી નૈતિક ધોરણે અભ્યાસ શરૂ કર્યો. SSC પાસ કરી. ધંધાર્થે તેઓશ્રીની પોતાની હોશિયારીથી તેમના સગાંવહાલાંની સહાયથી ઈ.સ. ૧૯૮૦માં બેંગ્લોરમા આવ્યા. થયું. ત્યાર પછી અહીં આવી પોતાની કર્મભૂમિ બનાવી પોતાનું જીવન સુંદર રીતે વિતાવી રહ્યા
હતા.
સોનામાં સુગંધ ભળે તેવી રીતે તેમના સાળાએ તેમની ઇચ્છા શું છે તે પૂછ્યું તો તેમણે કહ્યું કે આપે જે મારા માટે યોગ્ય ધંધા માટે પહેલ કરવાનું કહ્યું. બેંગ્લોર ખાતે શ્રી મહાવીર બેંગલ્સ–મામુલપેટ બેંગ્લોરના નામે પેઢીની શુભ શરૂઆત કરી. ધંધામાં જમાવટ સારી થઈ. પ્રગતિનાં સોપાન સર કરવા
લાગ્યા.
તેમને ધર્મ પ્રત્યે રુચિ ઘણી હતી પણ તેમને કોઈ સહકાર, જાણકાર ન હોવાથી તેમનું મન દુ:ભાતું હતું. સંજોગોઅનુસાર તેમને ગુરુભગવંતનો સહયોગ મળી ગયો અને
For Private & Personal Use Only
www.jainelibrary.org